SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્વર્તના અપવર્તનાકરણ સારસંગ્રહ ૪૭૭ રહેલ દલિકો સાથે ભોગવવા યોગ્ય થતા નથી, કારણ કે ઓગણીસથી એકસો નવ સુધીનાં સ્થિતિસ્થાનો બધ્યમાન લતાની અબાધાના અંતર્ગત છે, તેથી તે ઉત્કૃષ્ટ અતીત્થાપનારૂપ છે. બધ્યમાન લતાની અબાધાસ્થાનના ઉપરના એટલે પૂર્વબદ્ધલતાના એકસો દશમા સ્થિતિસ્થાનનાં દલિકો એકસો અગિયારથી એકસો ઓગણીસ સુધીની અસત્કલ્પનાએ નવ સમયાત્મક આવલિકા પ્રમાણ અતીત્થાપના છોડી તેની ઉપર એકસોવીસથી દશ હજાર સમય સુધીના કુલ નવ હજાર આઠસો એક્યાશી સ્થિતિસ્થાનોમાં પડે. કારણ કે–અસત્કલ્પનાએ પ્રાબુદ્ધની બંધાવલિકા નવ સમય પ્રમાણ, નવીન બધ્યમાન લતાની અબાધા સો સમય પ્રમાણ, ઉદ્વર્તમાન એક સ્થિતિસ્થાન અને નવ સમયરૂપ આવલિકા પ્રમાણ અતીત્થાપના = એકસો ઓગણીસ સમયો દશ હજારમાંથી ઓછા થાય, તેથી શેષ વધ્યમાન લતાના ચરમ સમય સુધીના નવ હજાર આઠસો એક્યાસી સમયોમાં નિક્ષેપ થાય છે. એ જ પ્રમાણે જયારે સત્તાગત સ્થિતિથી = નવ સમય ન્યૂન દશ હજાર સમયથી ઓછોઓછો સ્થિતિબંધ થાય ત્યારે અબાધા ઓછી-ઓછી થવાથી અતીત્થાપના પણ ઓછી ઓછી હોય છે. અને તે મધ્યમ અતીત્થાપના છે. એમ સર્વ જઘન્ય સ્થિતિબંધ થાય ત્યારે પચીસ સમય પ્રમાણ જઘન્ય અબાધા તે જઘન્ય અતીત્થાપના છે. બધ્યમાન લતાના અબાધાસ્થાનની ઉપરના અર્થાત એકસો દશમા સ્થિતિસ્થાનનાં પૂર્વબદ્ધ સત્તાગત અમુક દલિકો તેની ઉપર એટલે એકસો અગિયારથી એકસો ઓગણીસમા સ્થિતિસ્થાન સુધીના નવ સ્થિતિસ્થાનરૂપ આવલિકામાં તથાસ્વભાવે જ પડતાં નથી. અર્થાત્ તે સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકો સાથે ભોગવવા યોગ્ય થતા નથી. કારણ કે નવ સ્થિતિસ્થાનાત્મક આવલિકા એ અતીત્થાપના છે. તેથી એકસો વીસમા સ્થિતિસ્થાનથી દશ હજારમાં સ્થિતિસ્થાન સુધીનાં દરેક સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકો સાથે ભોગવવા યોગ્ય થાય છે અને તે જ ઉત્કૃષ્ટ નિક્ષેપના વિષયભૂત સ્થિતિઓ હોવાથી સમયાધિક આવલિકા, બંધાવલિકા અને અબાધા ન્યૂન એટલે અસત્કલ્પનાએ એકસો ઓગણીસ સ્થિતિસ્થાન રહિત દશ હજારમાં સ્થિતિસ્થાન સુધીના કુલ નવ હજાર આઠસો એક્યાશી સ્થિતિસ્થાનોમાં ઉત્કૃષ્ટ નિક્ષેપ થાય છે. તથા અબાધાની ઉપરના બીજા, ત્રીજા અર્થાત એકસો અગિયારમા, એકસો બારમા વગેરે સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકોનો તેની ઉપરના આવલિકા પ્રમાણ નવ-નવ સ્થિતિસ્થાનો છોડી તેની ઉપર જેટલાં જેટલાં સ્થિતિસ્થાનો રહે તેટલાં તેટલાં સ્થિતિસ્થાનોમાં દલિક નિક્ષેપ થાય છે તે છેવટ નવ હજાર નવસો સિત્યાસીમા સ્થિતિસ્થાનમાં રહેલ દલિકોનો તેની ઉપર નવ હજાર નવસો અદ્યાશીથી નવ હજાર નવસો છ— સુધીના આવલિકા પ્રમાણ નવ સ્થિતિસ્થાનો રૂપ અતીત્થાપનાની ઉપરના નવ હજાર નવસો સત્તાણુથી દશ હજારમાં સ્થિતિસ્થાન સુધીનાં ચાર સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે. અને તે બધી સ્થિતિઓ મધ્યમ નિક્ષેપના વિષયભૂત છે. જ્યારે નવ હજાર નવસો ઇહ્યાશીમા સ્થિતિસ્થાનનાં દલિકોની ઉદ્ધર્નના થાય ત્યારે તેની ઉપરનાં આવલિકા સ્વરૂપ નવ સ્થિતિસ્થાનો છોડી નવ હજાર નવસો અઠ્ઠાણુથી દશ હજારમા સ્થિતિસ્થાન સુધીનાં ત્રણ સ્થિતિસ્થાનોમાં દલિક નિક્ષેપ થાય છે અર્થાત તે દલિકોની સાથે
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy