SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૨ કરેલી પ્રતિજ્ઞાનો નિર્વાહ કરે છે— ओव्वट्टन्तो य ठितिं उदयावलिबाहिरा ठिईठाणा । निक्खिवइ से तिभागे समयहिगे लंघिउं सेसं ॥९॥ अपवर्त्तयंश्च स्थितिमुदयावलिकाबाह्यानि स्थितिस्थानानि । निक्षिपति स्वे त्रिभागे समयाधिके लङ्घित्वा शेषम् ॥९॥ અર્થ—સ્થિતિની અપવત્તના કરતો ઉદયાવલિકા બાહ્ય સ્થાનોની અપવર્ત્તના કરે છે. અને શેષ સ્થાનો ઓળંગી પોતાના સમયાધિક ત્રીજા ભાગમાં નાખે છે. પંચસંગ્રહ-૨ ટીકાનુ—સ્થિતિની અપવર્ઝના કરતો આત્મા ઉદયાવલિકાની બહારનાં સ્થિતિસ્થાનોની અપવર્ત્તના કરે છે, ઉદયાવલિકામાંનાં સ્થાનકોની કરતો નથી. કેમ કે ઉદયાવલિકા સકળ કરણને અયોગ્ય છે. જે સ્થાનકની અપવત્તના કરે તેના દલિકને ક્યાં નાખે ? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે— શેષસમય ન્યૂન બે તૃતીયાંશ ભાગ પ્રમાણ સ્થાનકો ઓળંગી સમયાધિક આવલિકાના ત્રીજા ભાગમાં નાખે છે. તાત્પર્યાર્થ આ પ્રમાણે છે—ઉદયાવલિકા ઉપરની સમયમાત્ર સ્થિતિની અપવત્તના કરતો તેના દલિકને ઉદયાવલિકાના ઉપરના સમય ન્યૂન તૃતીયાંશ સ્થાનકો ઓળંગી નીચેના સમયાધિક ત્રીજા ભાગમાં નાખે છે. આ જઘન્ય નિક્ષેપ અને જઘન્ય અતીત્થાપના છે. જ્યારે ઉદયાવલિકા ઉપરના બીજા સ્થિતિસ્થાનની અપવર્ઝના કરે ત્યારે પહેલાં જે અતીસ્થાપના કહી છે તે સમયાધિક થાય છે, નિક્ષેપ તેટલો જ રહે છે. જ્યારે ઉદયાવલિકા ઉપરના ત્રીજા સ્થિતિસ્થાનની અપવર્ત્તના કરે ત્યારે અતીસ્થાપના બે સમય વડે અધિક થાય, નિક્ષેપ તેટલો જ રહે. એ પ્રમાણે અતીત્થાપનાની આવલિકા પૂર્ણ ન થાય ત્યાં સુધી અતીસ્થાપના વધે છે, ત્યારબાદ નિક્ષેપમાં વૃદ્ધિ થાય છે. ૯ ઉપરોક્ત હકીકતને આ ગાથામાં કહે છે— उदयावलि उवरित्था एमेवोवट्टए ठिड्डाणा । जावावलियतिभागो समयाहिगो सेसठितिणं तु ॥१०॥ उदयावलिकोपरिस्थानि एवमेवापवर्त्तयति स्थितिस्थानानि । यावदावलिकात्रिभागः समयाधिकः शेषस्थितीनां तु ॥१०॥ ૧. ઉદયાવલિકાના નવ સમય કલ્પીએ તો ઉદયાવલિકા ઉપરના સ્થાનકના દલિકને ઉદયાવલિકાના છેલ્લા પાંચ સમય ઓળંગી નીચેના ઉદય સમયથી આરંભી ચાર સ્થાનકમાં નાખે છે, કેમ કે બે ભાગના છ સમય થાય, તેમાં એક સમય ન્યૂન લેવાનો છે. એટલે તે પાંચ સમય પ્રમાણ થાય, તેટલી અતીત્થાપના કહેવી નિક્ષેપ સમયાધિક ત્રીજો ભાગ છે, તેના ચાર સમય થાય. એટલે તેટલામાં નિક્ષેપ થાય, અને તે જધન્યનિક્ષેપ કહેવાય.
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy