SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દત્તના અને અપવર્દનાકરણ ૪૬૧ ઉપરનાં સ્થાનકોંમાં નાખે. આવલિકાના નવ સમય કલ્પીએ તો એકસો બેમા સ્થાનકથી એકસો દશ સ્થાનક સુધીમાં નહિ નાખે. એકસો અગિયારમા સ્થાનકથી લાખમા સ્થાનક સુધીમાં નાખે. એ પ્રમાણે એકસો બેમા એકસો ત્રણમા વગેરે જે જે સ્થાનકોની ઉત્તના કરે તેની ઉપરના સ્થાનકથી આવલિકાના સમયપ્રમાણ સ્થાનકો ઓળંગી ઉપરનાં સ્થાનકોમાં દલ પ્રક્ષેપ કરે. અહીં એ ખ્યાલમાં રાખવું કે છેવટે અતીત્થાપનાની આવલિકા અને નિક્ષેપનો ઓછામાં ઓછો આવલિકાનો અસંખ્યાતમો ભાગ રહેવો જોઈએ. આ હિસાબે વિચારતાં લાખમા સ્થાનકની ઉદ્ધત્તના નહિ થાય. કેમ કે તેની ઉપર એક અતીસ્થાપનાની આવલિકાની અને આવલિકાનો અસંખ્યાતમો ભાગ રહેવા જોઈએ તે નથી. તેની નીચેના સ્થાનકની પણ નહિ થાય યાવત્ લાખમા સ્થાનકથી નીચે ઊતરતાં નવ્વાણું હજા૨ નવસો નેવ્યાસીમા સ્થાનક સુધીની ઉદ્ધૃત્તના નહિ થાય. (અહીં આવલિકાના નવ અને અસંખ્યાતમા ભાગના ત્રણ સમય કલ્પ્યા છે. એટલે બાર સ્થાનકની નહિ થાય.) નવ્વાણું હજાર નવસો ઇઠ્યાસીમા સ્થિતિસ્થાનની જ ઉદ્ધત્તના થાય અને તેનાં લિકોને નેવ્યાસીથી સત્તાણું સુધીનાં સ્થાનકો ઓળંગી છેલ્લા અઠ્ઠાણુથી એક લાખમાં છેલ્લા સ્થાનક સુધીમાં નાખે. સિત્યાશીમા સ્થાનકની ઉદ્ધત્તના કરે તો તેના દલિકને ઇઠ્યાશીમા સ્થાનકથી છનું સ્થાનક સુધીનાં સ્થિતિસ્થાનકો ઓળંગી સત્તાણુંથી છેલ્લા સ્થાનક સુધીમાં નાખે. અહીં નિક્ષેપમાં એક સમય વધ્યો. એ પ્રમાણે નીચે ઊતરતા અબાધા ઉપરના એકસો એકમી સ્થિતિની ઉદ્ધત્તના કરે તો તેના દલિકને એકસો બેથી એકસો દશમા સુધીનાં સ્થાનકો ઓળંગી એકસો અગિયારથી લાખમા છેલ્લા સ્થાન સુધીમાં નાખે. સમાન સ્થિતિનો બંધ થાય ત્યારે આ પ્રમાણે ઉર્જાના થાય છે. આ પ્રમાણે સત્તાગત સ્થિતિ આવલિકાના બે અસંખ્યાતમા ભાગ પ્રમાણ અધિક એટલે કે અસત્કલ્પનાએ છ અધિક (એક લાખ ઉપર છ) સ્થિતિસ્થાનનો બંધ ન થાય ત્યાં સુધી પણ ઉર્જાના ઉપર કહ્યા પ્રમાણે જ થાય છે. એટલે જ્યાં સુધી એક લાખ અને ઉપર પાંચ અધિક સ્થિતિસ્થાનો બાંધે ત્યાં સુધી છેલ્લાં આદિ સ્થાનોની ઉદ્ધર્જાના ન થાય પરંતુ નવ્વાણું હજા૨ નવસો ઇઠ્યાસીમા સ્થાનની જ ઉર્જાના થાય, અને તેના દલિકને અતીસ્થાપનાવલિકા-નવ સમય પ્રમાણ ઓળંગી નવ્વાણું હજાર નવસો અઠ્ઠાણું આદિ ઉપરનાં તમામ સ્થાનોમાં નાખે. જ્યારે સત્તાગત લાખ સ્થાનક પ્રમાણ સ્થિતિસ્થાનથી આવલિકાના બે અસંખ્યાતમા ભાગ અધિક એટલે કે એક લાખ અને ઉપર છ સ્થાનક પ્રમાણ સ્થિતિબંધ કરે ત્યારે લાખમા સ્થિતિસ્થાનની ઉદ્ધત્તના થાય. અને તેના દલિકને આવલિકાનો અસંખ્યાતમો ભાગ ઓળંગી એટલે કે લાખ ઉપરના પહેલા, બીજા અને ત્રીજા સ્થિતિસ્થાનને ઓળંગી ઉપરના આવલિકાના અસંખ્યાતમા ભાગમાં એટલે કે લાખ ઉપરના ચોથા, પાંચમા અને છઠ્ઠા સ્થિતિસ્થાનમાં નાખે. એક અધિક સ્થિતિ બાંધે એટલે કે લાખ ઉપર સાત સ્થાનકનો બંધ કરે તો એકથી ચાર ઓળંગી પાંચથી સાતમા સુધીમાં નાખે. અહીં અતીત્થાપનામાં સમય વધ્યો, નિક્ષેપનાં સ્થાનકો તો તેટલાં જ રહ્યાં. એ પ્રમાણે અતીત્થાપનાની આવલિકા પૂર્ણ ન થાય ત્યાં સુધી અતીસ્થાપના વધે અને આવલિકા પૂર્ણ થયા પછી નિક્ષેપ વધે. અહીં આવલિકાના બે અસંખ્યાતમા ભાગ કે તેથી અધિક બંધ થાય ત્યારે લાખમા સ્થાનકની અપેક્ષાએ નિક્ષેપ ક્યાં થાય એ કહ્યું. પરંતુ આવલિકાના બે અસંખ્યાતમા ભાગ અધિક બંધ થાય ત્યારે નવ્વાણું હજા૨ નવસો નવ્વાણુંમા સ્થિતિસ્થાનની ઉત્તના થાય કે નહિ અને થાય તો તેના દલિકને ક્યાં નાખે તે કહ્યું નથી પરંતુ તેની પણ ઉર્જાના થાય અને ઉપરના હિસાબે જ પ્રક્ષેપ કરે. એટલે કે નવ્વાણું હજાર નવસો નવ્વાણુંમા સ્થાનકની ઉર્જાના કરે અને તેના દલિકને લાખમા, પહેલા, બીજા અને ત્રીજા સ્થાનકને ઓળંગી ચોથા, પાંચમા અને છઠ્ઠા સ્થાનમાં નાખે. અઠ્ઠાણુમા સ્થાનકની પણ ઉર્જાના કરે અને તેના દલિકને પણ ચોથા, પાંચમા અને છઠ્ઠા સ્થિતિસ્થાનમાં નાખે. આ પ્રમાણે અતીત્થાપનાની આવલિકા પૂર્ણ ન થાય ત્યાં સુધી નિક્ષેપનાં સ્થાનકો તેટલાં જ રહે, ત્યારબાદ નિક્ષેપ વધે. અબાધાનાં સ્થાનોની ઉર્જાના અબાધાનાં સ્થાનોમાં જ થાય છે. એટલે ઉદયાવલિકા સકલ કરણને અયોગ્ય હોવાથી નવ સ્થાનકો ઓળંગી દશમા સ્થાનકની ઉર્જાના થાય અને તેના દલિકને વીસમા સ્થાનકથી સો સુધીના સ્થાનકમાં નાખે. આ પ્રમાણે અબાધાનાં સ્થાનોની પણ ઉર્જાના થાય છે.
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy