SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ પંચસંગ્રહ-૨ તિર્યંચોને ૧૦૨, ૯૫, ૯૩ અને ૮૪ એમ ચાર સંક્રમસ્થાનો હોય છે. જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય પતગ્રહમાં ૧૦૩ની સત્તાવાળાને જિનનામ કર્મની બંધ આવલિકા વ્યતીત થયા બાદ ૧૦૩, બંધ આવલિકામાં ૧૦૨, તેમજ આહારક સપ્તક વિના ૯૬ની સત્તાવાળાને જિનનામની બંધ આવલિકા વ્યતીત થયા પછી ૯૬, અને જિનનામની પ્રથમ બંધ આવલિકામાં ૯૫, એમ કુલ ચાર સંક્રમસ્થાનો હોય છે. ઉપર પ્રમાણે તિર્યંચ, મનુષ્ય અને દેવ પ્રાયોગ્ય ૩૦ના પતદ્ગોમાં સામાન્યથી ૧૦૩ વગેરે સાત સંક્રમસ્થાનો છે. ત્યાં ઉદ્યોત સહિત તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ના પતઘ્રહમાં દેવતા તથા નારકોને ૧૦૨ અને ૯૫ એ બે, મનુષ્યોને આ બે અને ૯૩ તથા ૮૪ એમ ચાર અને તિર્યંચોને ૮૨ સહિત પાંચ સંક્રમસ્થાનો છે. જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય પતધ્રહમાં ૧૦૩ અને ૯૬ની સત્તાવાળા દેવોને ક્રમશઃ ૧૦૩ તથા ૯૬ એ બે, અને નારકોને ૧૦૩ની સત્તા ન હોવાથી ૯૬ નું એક સંક્રમસ્થાન હોય છે. આહારકદ્ધિક સહિત દેવ પ્રાયોગ્ય ૩૦ના પતંગ્રહમાં ૧૦૨ની સત્તાવાળા યતિને આહારકની અભ્યર આવલિકામાં ૯૫ અને બંધ આવલિકા વ્યતીત થયા પછી ૧૦૦ એમ બે સંક્રમસ્થાનો હોય છે. આહારકદ્ધિક અને જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય ૩૧ના પતંગ્રહમાં ૧૦૩ની સત્તા હોય છે, પરંતુ આહારકદ્ધિક અને જિનનામ એ ત્રણેની બંધ આવલિકા વ્યતીત થયા બાદ ૧૦૩, જિનનામની પ્રથમ બંધ આવલિકામાં જિનનામ વિના ૧૦૨, આહારકદ્વિકની પ્રથમ બંધ આવલિકામાં આહારક સપ્તક વિના ૯૬ અને જિનનામ તથા આહારકદ્ધિક એ ત્રણેની પ્રથમ બંધ આવલિકામાં ૯૫ એમ ચાર સંક્રમસ્થાનો હોય છે. કેટલાં અને કયાં સંક્રમસ્થાનો કયા કયા પતગ્રહોમાં સંક્રમે તે કહે છે. ૧૦૩નો સંક્રમ દેવ પ્રાયોગ્ય ૩૧, ૨૯ અને જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ એમ ત્રણ પતઘ્રહોમાં, ૧૦૨ તથા ૯૫નો સંક્રમ ૨૩ આદિ આઠે પતઘ્રહોમાં, ૧૦૧નો ૧માં, ૯૬નો સંક્રમ ૨૮, ૨૯, ૩૦ અને ૩૧ એમ ચારમાં, ૯૩ અને ૮૪ એ બે સંક્રમસ્થાનો ૨૩, ૨૫, ૨૬, ૨૮, ૨૯ અને ૩૦ એ છમાં, ૯૪, ૮૯, ૮૮ અને ૮૧ આ ચાર સંક્રમસ્થાનો ૧માં, ૮૨નો સંક્રમ ૨૩, ૨૫, ૨૬, ૨૯, ૩૦ અને ૧ એમ છ પતહોમાં થાય છે. આ પ્રમાણે પ્રકૃતિસંક્રમ કહ્યો. પ્રશ્ન–પ્રકૃતિ એટલે કર્મ પરમાણુઓમાં અમુક સુખાદિ આપવાનો સ્વભાવ, અને સ્થિતિ એટલે સુખાદિ આપનાર કર્મ પરમાણુઓ આત્મા સાથે અમુક નિયત ટાઇમ સુધી રહી ફળ આપે તે, રસ એટલે અમુક પ્રમાણમાં સુખાદિ આપવાનો કર્મ પરમાણુઓમાં રહેલ જે પાવર અર્થાત્ શક્તિ તે....તો આ પ્રકૃતિ વગેરે ત્રણે અમૂર્ત હોવાથી અને તે કર્મ પરમાણુઓની અંદર જ રહેતા હોવાથી તેમાંથી બહાર કાઢી અન્ય પતઘ્રહ પ્રકૃતિ-સ્થિતિ અને રસાદિક રૂપે કેમ બની શકે ? કદાચ તમે એમ કહો કે સંક્રમ્સમાણ પ્રકૃતિઓના કર્મ પરમાણુઓ પતધ્રહ પ્રકૃતિ રૂપે પરિણમે અર્થાત્ પતઘ્રહ પ્રકૃતિરૂપે થાય ત્યારે સ્વભાવ વગેરે પદ્મ પ્રકૃતિરૂપે થઈ જાય છે, માટે પ્રકૃતિ સંક્રમ વગેરે કહી શકાય તો તે પણ બરાબર નથી. કારણ કે અન્ય કર્મના
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy