SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ ૨૮૭ કષાયોની ચાળીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ, અને નરકદ્ધિકાદિ-પ્રકૃતિઓની વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ બે આવલિકા ન્યૂન સંક્રમે છે. ઇતર–સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની બંધાવલિકા, સંક્રમાવલિકા અને ઉદયાવલિકા એમ ત્રણ આવલિકારૂપ સ્થિતિ છોડીને બાકીની સઘળી સ્થિતિ સંક્રમે છે. તે આ પ્રમાણે–બંધોત્કૃષ્ટ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરની સઘળી સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિમાં સંક્રમે છે અને તે પણ તેની ઉદયાવલિકા ઉપર સંક્રમે છે. ઉદયાવલિકા ઉપર સંક્રમે છે માટે તે ઉદયાવલિકા મેળવતા કુલ સ્થિતિની સત્તા એક આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણ થાય છે. જે સમયે સંક્રમ થાય છે તે સમયથી આરંભી એક આવલિકા પર્યત સંક્રમેલા દલિકમાં પણ કોઈ કરણ લાગતું નથી માટે જે સમયે સંક્રમી તે સમયથી આરંભી સંક્રમાવલિકા ગયા બાદ, તેની ઉદયાવલિકા ઉપરની સઘળી સ્થિતિ અન્યત્ર સંક્રમે છે. માટે જ કહ્યું છે કે, સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની સ્થિતિ કુલ સ્થિતિમાંથી ત્રણ આવલિકા ન્યૂન અન્યત્ર સંક્રમે છે. દૃષ્ટાંત આપી તે જ વાતને સમજાવે છે–નરકદ્ધિકની વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને તેની બંધાવલિકા વીત્યા બાદ ઉદયાવલિકા ઉપરની સઘળી સ્થિતિને મનુષ્યદ્રિક બાંધતો તે મનુષ્યદ્ધિકમાં તેની ઉદયાવલિકા ઉપર સંક્રમાવે છે, જે સમયે નરકર્દિકની સ્થિતિ મનુષ્યદ્રિકમાં સંક્રમાવી તે સમયથી આરંભી સંક્રમાવલિકા ગયા બાદ તેની ઉદયાવલિકા ઉપરની સઘળી સ્થિતિને દેવદિક બાંધતો તેમાં સંક્રમાવે છે. અહીં બંધાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરની નરકદ્વિકની સ્થિતિ મનુષ્યદ્ધિકમાં સંક્રમી અને સંક્રમાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરની મનુષ્યદ્વિકની સ્થિતિ દેવદ્રિકમાં સંક્રમી એટલે સંક્રમોત્કૃષ્ટ મનુષ્યદ્વિકની ત્રણ આવલિકાલીન સ્થિતિનું જે દેવદ્ધિકમાં સંક્રમણ થયું તેથી જ ઉપર કહ્યું છે કે સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની ત્રણ આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિનું જ અન્યત્ર સંક્રમણ થાય છે. અહીં જો કે નરકદ્વિકની બંધાવલિકા અને ઉદયાવલિકા તથા મનુષ્યદ્ધિકની સંક્રમાવલિકા . અને ઉદયાવલિકા કુલ ચાર આવલિકા જણાય છે પરંતુ નરકદ્ધિકની ઉદયાવલિકા અને મનુષ્યદ્વિકની સંક્રમાવલિકાનો કાળ એક જ હોવાથી સરવાળે ત્રણ આવલિકા સ્થિતિ જ ઓછી થાય છે, વધારે નહિ. એ જ પ્રમાણે સંક્રમોત્કૃષ્ટ અન્ય પ્રકૃતિઓ માટે પણ સમજવું. ૩૭ અહીં તીર્થંકર નામકર્મ અને આહારક સપ્તકને અનુક્રમે સમ્યગ્દષ્ટિ આદિ આત્માઓ અને સંયતો બાંધે છે, તેઓને તેનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ જ થાય છે. તેમજ સઘળી કર્મપ્રકૃતિઓની સત્તા પણ તેઓને અંતઃકોડાકોડીથી વધારે હોતી નથી, તેથી સંક્રમ વડે પણ તે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તા અંતઃકોડાકોડીથી વધારે થાય નહિ. અહીં શંકા થાય કે શું તે પ્રકૃતિઓ બંધોત્કૃષ્ટ છે? કે સંક્રમોત્કૃષ્ટ? એ શંકાને દૂર કરવા માટે કહે છે तित्थयराहाराणं संकमणे बंधसंतएसु पि । अंतोकोडाकोडी तहावि ता संकमुक्कोसा ॥३८॥
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy