SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ ૨૩૩ હોય છે, તેનાં તેટલાં પતઘ્રહસ્થાનકો પણ હોય છે. માત્ર મોહનીયકર્મમાં સંક્રમ અને પતધ્રહ એ બંને સ્થાનકો સત્તાસ્થાનકો અને બંધસ્થાનકોથી આઠ આઠ અધિક જાણવાં. તે આ પ્રમાણે મોહનીયકર્મનાં સત્તાસ્થાનકો પંદર છે તેમાં આઠ અધિક કરતાં સંક્રમસ્થાનકો ત્રેવીસ થાય છે. બંધસ્થાનકો દશ છે, તેમાં આઠ અધિક કરતાં પતગ્રહસ્થાનકો અઢાર થાય છે. હવે પ્રત્યેક કર્મનાં કેટલાં સંક્રમસ્થાનકો અને પતદ્મહસ્થાનકો હોય છે તેની સંખ્યા કહે છે–જ્ઞાનાવરણીય અને અંતરાય એ દરેક કર્મનું પાંચે પાંચ પ્રકૃતિરૂપ એક જ સત્તાસ્થાનક અને એક જ સંક્રમસ્થાનક છે તથા પાંચ પાંચ પ્રકૃતિરૂપ એક જ બંધસ્થાનક અને એક જ પતગ્રહસ્થાનક છે. કારણ કે બંધ અને સત્તામાંથી પાંચ પ્રકૃતિઓ એકસાથે જ જાય છે. બંધમાંથી સાથે જતી હોવાથી પાંચ પ્રકૃતિઓ એકસાથે પતäહપણે ઘટી શકે છે અને સત્તામાંથી પાંચ સાથે જતી હોવાથી સંક્રમનાર પણ પાંચે ઘટી શકે છે. તે આ પ્રમાણે જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિઓનો પરસ્પર સંક્રમ થાય છે. મતિજ્ઞાનાવરણીયકર્મ શ્રુતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય, મન:પર્યવજ્ઞાનાવરણીય, અને કેવળજ્ઞાનાવરણીયમાં સંક્રમે છે. એ પ્રમાણે શ્રુતજ્ઞાનાવરણીય પણ મતિજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય, મન:પર્યવજ્ઞાનાવરણીય અને કેવળજ્ઞાનાવરણીયમાં સંક્રમે છે. આ જ રીતે અવધિજ્ઞાનાવરણીયાદિ માટે અને અંતરાય માટે પણ વિચાર કરી લેવો. કારણ કે દશમા ગુણસ્થાનકના ચરમ સમય પર્યત એ સઘળી પ્રવૃતિઓ નિરંતર બંધાય છે, અને બારમા ગુણસ્થાનકના ચરમ સમય પર્યત નિરંતર સત્તામાં છે. ધ્રુવબંધિ હોવાથી એ દરેક પ્રકૃતિઓ એકસાથે પતધ્રહપણે ઘટે છે. અને ધ્રુવસત્તા હોવાથી પતટ્ઠહ હોય ત્યાં સુધી એકસાથે સંક્રમનારી પણ હોય છે. એટલે એ બંને કર્મનું પાંચ પાંચ પ્રકૃતિરૂપ એક જ પતદ્મહસ્થાન અને પાંચ પાંચ પ્રકૃતિરૂપ એક જ સંક્રમસ્થાનક છે. હવે સાદ્યાદિ ભંગની ઘટના કરે છે–જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મમાં સંક્રમ અને પતઘ્રહ સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે ઉપશાંતમોહ ગુણસ્થાનકે તે બંને કર્મનો બંધ થતો નહિ હોવાથી પતઘ્રહપણે નથી અને પતગ્રહ નહિ હોવાથી સંક્રમ પણ થતો નથી. ત્યાંથી પડે ત્યારે બંને પ્રવર્તે છે માટે સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ, અભવ્યને અનંત, અને ભવ્યને સંક્રમ અને પતટ્ઠહ એ બંને સાંત છે. દર્શનાવરણીયકર્મનાં ત્રણ સત્તાસ્થાનકો છે. તે આ પ્રમાણે–૧. ચક્ષુદર્શનાવરણાદિ ચાર પ્રકૃતિનું, ૨. નિદ્રાદ્ધિક સાથે છે પ્રકૃતિનું, તેમજ, ૩. થીણદ્વિત્રિક સાથે નવ પ્રકૃતિનું, બંધસ્થાનકો અને પતદૂગ્રહસ્થાનકો એ પ્રમાણે જ ત્રણ છે. સંક્રમસ્થાનક છ પ્રકૃતિઓનું અને નવ પ્રકૃતિનું એમ બે છે. ચાર પ્રકૃતિનું સંક્રમસ્થાનક નથી. કારણ પહેલાં કહેવાયું છે. - હવે સાદ્યાદિ ભંગની ઘટના કરે છે. દર્શનાવરણીયકર્મની નવે પ્રકૃતિના બંધક મિથ્યાદૃષ્ટિ અને સાસ્વાદન ગુણસ્થાનકવર્તી જીવો નવના પતઘ્રહમાં એ નવે પ્રકૃતિઓ સંક્રમાવે છે. આ નવનો પતઘ્રહ સાદિ, અનાદિ, ધ્રુવ અને અધુવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રકારે–મિશ્રદષ્ટિ પંચ૦૨-૩૦
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy