SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ પંચસંગ્રહ-૨ અપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ અને કરણ પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયનો જઘન્ય, યોગ અનુક્રમે એક એકથી અસંખ્યાતગુણ કહી પછી પ્રસ્તુત ગ્રન્થમાં બતાવ્યા પ્રમાણે કરણ પર્યાપ્ત બેઇન્દ્રિયાદિકનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણ-અસંખ્યાતગુણ સમજવો. એ પ્રમાણે કરણ અપર્યાપ્ત જીવોના યોગનું અલ્પ-બહુત્વ કર્મપ્રકૃતિ ચૂર્ણિના ટિપ્પનકમાં પૂજય મુનિચંદ્રસૂરિજી મહારાજ સાહેબે બતાવેલ છે અને તે તે લબ્ધિ અપર્યાપ્તાના જઘન્ય અને ઉત્કૃષ્ટ યોગસ્થાનમાંનું યથાસંભવ મધ્યવર્તી યોગસ્થાન તે તે કરણ અપર્યાપ્તાનું જઘન્ય યોગસ્થાન ઘટે એમ લાગે છે. પ્રશ્ન–૯. ઉત્કૃષ્ટથી તે ઇન્દ્રિયોનું શરીર ત્રણ ગાઉ પ્રમાણે અને બેઇન્દ્રિયનું બાર યોજના હોવાથી તે ઇન્દ્રિય કરતાં બેઇન્દ્રિયનો યોગ અધિક હોવો જોઈએ છતાં અલ્પ-બહુત્વમાં અસંખ્યાત ગુણ હીન કેમ કહેલ છે ? ઉત્તર–યોગનો આધાર એકાંતે શરીરની અવગાહના ઉપર નથી. દા.ત. મોટાં શરીરવાળાં ગાય, બળદ તથા ઊંટ વગેરે કરતાં વાઘ વગેરેનું શરીર નાનું હોવા છતાં તેમાં બળ અર્થાત્ યોગ વધારે હોય છે તેમ બેઇન્દ્રિયનો યોગ તે ઇન્દ્રિય કરતાં અસંખ્યાત ગુણ હીન હોવામાં કોઈ વાંધો નથી. પ્રશ્ન–૧૦. અહીં જીવોમાં અસંખ્ય ગુણ યોગ બતાવેલ છે ત્યાં ગુણાકાર કયો સમજવો ? તથા અહીં બંધનકરણમાં યોગનું સ્વરૂપ શા માટે બતાવેલ છે ? ઉત્તર-યોગના અલ્પ-બહુતમાં સર્વત્ર સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશ પ્રદેશ રાશિ પ્રમાણ ગુણાકાર સમજવો તથા યોગના આધારે પ્રદેશોનો સમૂહ ગ્રહણ થતો હોવાથી બંધન કરણમાં યોગનું સ્વરૂપ બતાવેલ છે. જીવભેદોમાં જેમ યોગ અસંખ્યગુણ છે તેમ પ્રદેશબંધ પણ અસંખ્યાતગુણ હોય છે. પ્રશ્ન–૧૧. જીવ યોગને અનુસાર ભાષા, શ્વાસોશ્તાસ તથા મનોયોગ્ય પુદ્ગલ સ્કંધો ગ્રહણ કરી ભાષાદિ રૂપે પરિણાવી અવલંબે છે એમ કહ્યું, જ્યારે ઔદારિકાદિ પાંચ શરીર યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરી તે તે શરીર રૂપે પરિણાવે છે એટલું જ કહ્યું, તો અવલંબે છે એમ શા માટે ન કહ્યું? ઉત્તર–ભાષા વગેરેનાં પુદ્ગલોને તે તે રૂપે પરિણમાવ્યા પછી તરત જ છોડવાનાં હોય છે તેથી છોડવાની શક્તિને પ્રાપ્ત કરવા માટે ભાષા વગેરેનાં પુદ્ગલોને અવલંબે છે એમ કહ્યું, પરંતુ ઔદારિકાદિ શરીર યોગ્ય પુદ્ગલોને તરત છોડવાનાં ન હોવાથી અવલંબનની જરૂર નથી માટે ગ્રહણ કરી પરિણાવે છે એટલું જ કહ્યું, પણ અવલંબન કરવાનું કહ્યું નથી. પ્રશ્ન–૧૨. સ્નેહપ્રત્યય, નામપ્રત્યય અને પ્રયોગપ્રત્યય આ ત્રણેય સ્પર્તકમાં સ્નેહનો વિચાર હોવા છતાં પરસ્પર શું વિશેષતા છે ? ઉત્તર–જગદ્વર્તી પુદ્ગલોના સ્કંધો બનવામાં હેતુભૂત સ્વાભાવિક સ્નેહનો વિચાર સ્નેહપ્રત્યય પદ્ધકમાં, બંધન નામકર્મના ઉદયથી પૂર્વે ગ્રહણ કરેલ અને નવા ગ્રહણ કરાતા દારિકાદિ પુદ્ગલોનો પરસ્પર સંબંધ થવામાં હેતુભૂત સ્નેહનો વિચાર નામપ્રત્યય સ્પર્તકમાં
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy