SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ પંચસંગ્રહ-૨ ટીકાનુ છà ગુણસ્થાનકે અસતાવેદનીયની જે અંતઃકોડાકોડી પ્રમાણ જઘન્ય સ્થિતિ બંધાય છે ત્યાંથી આરંભી પંદર કોડાકોડી પર્યત સાતા-અસાતાની સઘળી સ્થિતિઓ પરસ્પર આક્રાન્ત છે. તેટલાં સ્થિતિસ્થાનકોમાં અનુકૃષ્ટિનો નીચે કહેશે–તે ક્રમ છે. અને જે શુદ્ધ=વિરોધીની પ્રકૃતિઓથી અનાક્રાન્ત સ્થિતિઓ છે, તેની અંદર પરાઘાત તથા ઉપઘાતાદિમાં જે કહ્યો તે ક્રમ છે. અતિ સંક્ષેપમાં કહેલી આ હકીકતને વિસ્તારથી વિચારે છે–સાતા વેદનીયની ઉત્કૃષ્ટસ્થિતિ બાંધતા જે રસબંધના અધ્યવસાયો હોય તે સઘળા સમયગૂન ઉત્કૃષ્ટસ્થિતિનો બંધ કરતાં હોય છે અને બીજા નવા પણ હોય છે. બીજા નવા હોવાનું કારણ પ્રતિસ્થિતિસ્થાનકમાં રસબંધાધ્યવસાયો વધતા જાય છે, તે છે. સમયજૂન ઉત્કૃષ્ટસ્થિતિ બાંધતા જે રસબંધાધ્યવસાયો છે તે સઘળા બે સમયજૂન ઉત્કૃષ્ટસ્થિતિ બાંધતા હોય છે અને બીજા નવા પણ હોય છે. આ પ્રમાણે પૂર્વ પૂર્વ સ્થાનકમાં જે જે અધ્યવસાયો હોય તે તે સઘળા ઉત્તરોત્તર સ્થાનમાં ત્યાં સુધી અનુસરે કે છકે ગુણઠાણે અસાતાની જેટલી જઘન્યસ્થિતિ બંધાય છે તે સ્થિતિસ્થાન આવે, કારણ કે સ્થાપનામાં ત્યાં સુધીની સ્થિતિઓ પરસ્પર આક્રાંત કહી છે–પરાવર્તમાન પરિણામે બંધાય છે એમ કહ્યું છે. તાત્પર્ય એ છે કે, જઘન્ય રસબંધને યોગ્ય જેટલી અસાતાની સ્થિતિઓ સાતા સાથે પરાવર્તન પામી પામીને બંધાય છે તેટલી આક્રાંત સ્થિતિઓમાં તે અને અન્ય એટલે પૂર્વ સ્થિતિસ્થાનમાં જે રસબંધાધ્યવસાયો છે તે અને બીજા નવા એ ક્રમ પ્રવર્તે છે. તે પછીનાં શુદ્ધ સ્થાનકોમાં પૂર્વોક્ત ક્રમ પ્રવર્તે છે તે કહે છે–અસાતાની અભવ્યપ્રાયોગ્ય જઘન્યસ્થિતિબંધ સરખી સાતાની સ્થિતિ બાંધતા જે રસબંધાવ્યવસાયો હોય છે તેનો અસંખ્યાતમો ભાગ મૂકીને શેષ સઘળા અસાતાના જઘન્ય બંધસ્થાનની નીચેના કે જ્યાં કેવળ સાતા જ બંધાય છે તે સ્થિતિસ્થાનમાં હોય છે અને બીજા નવા હોય છે. તે સ્થાનકમાં જે રસબંધાવ્યવસાયો છે. તેનો અસંખ્યાતમો ભાગ મૂકી શેષ સઘળા તેની નીચેના સ્થાનકમાં હોય છે અને બીજા નવા હોય છે. આ પ્રમાણે પૂર્વ પૂર્વ સ્થાનકમાં જે જે રસબંધાધ્યવસાયો હોય તેનો અસંખ્યાતમોઅસંખ્યાતમો ભાગ પ્રતિસ્થિતિસ્થાનકે ઓછો ઓછો થતાં ત્યાં સુધી જવું કે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિઓ જાય. પલ્યોપમના અસંખ્યાતમા ભાગના છેલ્લા સમયમાં અસાતાના જઘન્યસ્થિતિબંધ જેટલા સાતાના જઘન્યસ્થિતિબંધમાંના રસબંધાધ્યવસાયની અનુકૃષ્ટિ સમાપ્ત થાય છે. તેની નીચેના સ્થાનકમાં અસાતાના જઘન્ય સ્થિતિબંધ તુલ્ય સ્થિતિસ્થાનકથી નીચેના સ્થાનક રસબંધાધ્યવસાયની એટલે કે જે સ્થિતિસ્થાનકમાં શુદ્ધ સાતા જ બંધાય છે તે સ્થાનકના રસબંધાવ્યવસાયની અનુકૃષ્ટિ સમાપ્ત થાય છે. આ પ્રમાણે અનુકૃષ્ટિ અને સમાપ્તિ ત્યાં સુધી કહેવી કે સાતાની જઘન્ય સ્થિતિ આવે. આ જ ક્રમે સ્થિરનામકર્મ આદિ પરાવર્તમાન શુભ પ્રકૃતિની અનુકૃષ્ટિ જાણવી. હવે અસાતા વેદનીયની અનુકૃષ્ટિ કહે છે–સાતાની સાથે પરાવર્તમાન પરિણામે છ ગુણઠાણે અસાતાની જે જઘન્યસ્થિતિ બંધાય છે, તે બાંધતા જે રસબંધાધ્યવસાયો હોય તે સઘળા સમયાધિક સ્થિતિ બાંધતા હોય છે અને અન્ય નવા પણ હોય છે. સમયાધિક સ્થિતિ બાંધતા જે અધ્યવસાયો હોય છે તે સઘળા બે સમયાધિક સ્થિતિ બાંધતા હોય છે અને બીજા નવા પણ હોય છે. આ પ્રમાણે પૂર્વ પૂર્વ સ્થાનમાં જે જે સ્વરૂપવાળા રસબંધાધ્યવસાયો હોય છે તે જ ઉત્તરોત્તર
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy