SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ ૯૩ રસબંધના હેતુભૂત જે અધ્યવસાયો છે તેનાથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમયપ્રમાણે સ્થિતિસ્થાનો ઓળંગીને પછી જે સ્થિતિસ્થાન આવે તેમાં બમણા અધ્યવસાયો થાય છે. ત્યાંથી વળી તેટલાં જ સ્થિતિસ્થાનો ઓળંગી પછી જે સ્થિતિસ્થાન આવે તેમાં બમણાં અધ્યવસાયસ્થાનો થાય છે. એ પ્રમાણે પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઓળંગી ઓળંગીને બમણા-બમણા રસબંધાધ્યવસાય સ્થાનકો ત્યાં સુધી કહેવા યાવતું ઉત્કૃષ્ટ સ્થિતિ આવે. આ પ્રમાણે પાપપ્રકૃતિઓમાં જઘન્યસ્થિતિસ્થાનથી ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન પર્યત લેવાનું છે. પુન્યપ્રકૃતિઓમાં ઉત્કૃષ્ટ સ્થિતસ્થાનથી જઘન્ય સ્થિતિસ્થાન પર્યત લેવાનું છે. તે આ પ્રમાણે–આયુવર્જિત પૂર્વોક્ત પુન્યપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતાં રસબંધના હેતુભૂત જે અધ્યવસાયો હોય છે તેનાથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગપ્રમાણ અધોભાગે સ્થિતિસ્થાનો ઓળંગીને નીચે જે સ્થિતિસ્થાન આવે તેની અંદર બમણા અધ્યવસાયો હોય છે. ત્યાંથી વળી તેટલાં જ સ્થિતિસ્થાનો ઓળંગીને નીચે જે સ્થિતિસ્થાન આવે તેની અંદર બમણા રસબંધાધ્યવસાયો હોય છે. એ પ્રમાણે પલ્યોપમના અસંખ્યાતમો ભાગ નીચે નીચે ઓળંગી ઓળંગીને બમણા બમણા રસબંધના નિમિત્તભૂત અધ્યવસાયો ત્યાં સુધી કહેવાયાવતું જઘન્ય સ્થિતિ આવે. અહીં શુભ અને અશુભ પ્રકૃતિઓનાં દ્વિગુણવૃદ્ધિસ્થાનો આવલિકા અસંખ્યાતમા ભાગમાં જેટલા સમયો હોય તેટલા છે, અને તે સઘળાં દ્વિગુણવૃદ્ધિ સ્થાનોથી દ્વિગુણવૃદ્ધિની આંતરે રહેલાં સ્થાનો અસંખ્યાતગુણા છે. તે આ પ્રમાણે–શુભ અને અશુભ પ્રકૃતિના દ્વિગુણવૃદ્ધિસ્થાનો થોડા છે, આવલિકાનો અસંખ્યાતમો ભાગમાત્ર છે માટે, તેથી દ્વિગુણવૃદ્ધિની વચમાં રહેલાં સ્થિતિસ્થાનો અસંખ્યાતગુણા છે, પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે માટે. પૂર્વની બે ગાથામાં કષાયોદયસ્થાનમાં રસબંધના હેતુભૂત અધ્યવસાયોની સંખ્યાનો વિચાર કર્યો છે. આ ગાથામાં સ્થિતિસ્થાનમાં રસબંધાધ્યવસાય સ્થાનનો વિચાર કર્યો છે. ત્યાં અસંખ્યલોકાકાશપ્રદેશપ્રમાણ કષાયોદયસ્થાન ઓળંગી પછી જે કષાયોદય સ્થાન આવે તેમાં બમણા રસબંધાવ્યવસાયો હોય એમ કહ્યું. અહીં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલાં સ્થિતિસ્થાનો ઓળંગી પછી જે સ્થિતિસ્થાન આવે તેમાં બમણા રસબંધાવ્યવસાયો હોય એમ કહ્યું છે. એ બંનેનો સમન્વય આ પ્રમાણે કરવો–અસંખ્યલોકાકાશપ્રદેશપ્રમાણ કષાયોદય સ્થાન ઓળંગી પછી જે કષાયોદયસ્થાન આવે કે જેની અંદર બમણા રસબંધાધ્યવસાયો થાય છે તે કષાયોદયસ્થાન તે સ્થિતિસ્થાનના બંધહેતુ તરીકે આવે કે પલ્યોપમના અસંખ્યાતમા ભાગપ્રમાણ સ્થિતિસ્થાનો ઓળંગી જે સ્થિતિસ્થાનમાં બમણા રસબંધાધ્યવસાયસ્થાનો થાય છે. ૭૬ હવે ચારેય આયુનાં સ્થિતિસ્થાનોમાં રસબંધાવ્યવસાયનો વિચાર કરે છે– सव्वजहन्नठिईए सव्वाणवि आउगाण थोवाणि । ठाणाणि उत्तरासु असंखगुणणाए सेढीए ॥७७॥ सर्वजघन्यस्थितौ सर्वेषामप्यायुषां स्तोकानि । स्थानानि उत्तरासु असंख्येयगुणनया श्रेण्या ॥७७॥
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy