SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ ૭૫ • અર્થ–પરિણામના તારતમ્યથી રસની વૃદ્ધિ અને હાનિ છ પ્રકારે થાય છે. શરૂઆતની પાંચ વૃદ્ધિ અને હાનિ જીવો ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગના સમયપર્યત કરે છે અને છેલ્લી વૃદ્ધિ તથા હાનિ અંતર્મુહૂર્તપર્યત કરે છે અને જઘન્યથી દરેક હાનિ-વૃદ્ધિનો કાળ એક સમય છે. યવમધ્ય કરવાથી ઓછીવત્તી સ્થિતિવાળાં સ્થાનોના વિકલ્પો સમજાય છે. ટીકાનજીવના પરિણામના વશથી અનંતરોક્ત-હમણાં જ કહી ગયા તે સ્નેહની = રસની છએ પ્રકારની હાનિ અથવા વૃદ્ધિ થાય છે. કોઈ વખતે અનંતભાગાધિક સ્પર્ધ્વકવાળા રસસ્થાનકે જાય છે, કોઈ વખતે અસંખ્યભાગાધિક સ્પર્ધ્વકવાળા રસસ્થાનકે, એ પ્રમાણે કોઈ સમયે સંખ્યામાં ભાગ અધિક સ્પર્ધ્વકવાળા તેમજ કોઈ સમયે સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ કે અનંતગુણાધિક સ્પર્ધ્વકવાળા રસસ્થાનકે આત્મા જાય છે. એ જ પ્રમાણે છ હાનિવાળાં સ્થાનકોમાં પણ જાય છે. આ રીતે આત્મા પરિણામના વશથી હાનિ-વૃદ્ધિ કર્યા કરે છે, હવે કઈ હાનિ અથવા કઈ વૃદ્ધિ નિરંતર કેટલા કાળપર્યંત જીવો કરે છે તે કહે છેઅનંતગુણવૃદ્ધિ અને અનંતગુણહાનિ એ બે વર્જીને શેષ પાંચે વૃદ્ધિ અથવા પાંચે હાનિ વધારેમાં વધારે આવલિકાના અસંખ્યાતમા ભાગના સમયપર્યત નિરંતર જીવો કરે છે. અને છેલ્લી અનંતગુણવૃદ્ધિ અને અનંતગુણહાનિ એ બે અંતર્મુહૂર્ત કાલપર્યત નિરંતર કરે છે. એટલે વિવક્ષિત સમયે જે રસસ્થાન પર આત્મા વિદ્યમાન છે તે કરતાં અનન્તભાગઅધિક સ્પર્ધ્વકવાળા રસસ્થાનકે ઉત્તરોત્તર સમયે નિરંતર વધ્યા કરે તો આવલિકાના અસંખ્યાતમા ભાગના સમયપર્યત નિરંતર વધ્યા કરે છે. એ રીતે દરેક વૃદ્ધિમાં સમજવું. ન તેમજ વિવક્ષિત સમયે જે રસસ્થાન પર આત્મા છે તે કરતાં અનંતભાગહીન 'સ્પદ્ધકવાળા રસસ્થાનકે ઉત્તરોત્તર સમયે આત્મા જાય તો આવલિકાના અસંખ્યાતમા ભાગના સમયપર્યત નિરંતર હાનિ પામે છે, એ રીતે દરેક હાનિમાં સમજવું. માત્ર છેલ્લી વૃદ્ધિ અને હાનિનો કાળ અંતર્મુહૂર્ત છે તે ઉપર કહ્યું છે. આ પ્રમાણે વૃદ્ધિના કાળની પ્રરૂપણા કહી. હવે કયા રસબંધનાં સ્થાનકો કેટલો કાળ નિરંતર બાંધે છે તે કહે છે–પહેલા રસબંધના સ્થાનકથી અસંખ્યલોકાકાશપ્રદેશપ્રમાણ રસબંધના સ્થાનમાંના કોઈ પણ સ્થાનને વધારેમાં વધારે ચાર સમયપર્યત નિરંતર બાંધે છે. ત્યારપછીના અસંખ્ય લોકાકાશપ્રદેશપ્રમાણ રસબંધના સ્થાનમાંના કોઈ પણ સ્થાનને પાંચ સમયપર્યત નિરંતર બાંધે છે. ત્યારપછીના અસંખ્યલોકાકાશપ્રદેશપ્રમાણ સ્થાનોને છ સમયપર્યત બાંધે છે. ત્યારપછીના અસંખ્યલોકાકાશપ્રદેશપ્રમાણ સ્થાનોને નિરંતર સાત સમય બાંધે છે. ત્યારપછીના અસંખ્યલોકાકાશપ્રદેશપ્રમાણ સ્થાનોમાંના કોઈ પણ સ્થાનને નિરંતર ઉત્કૃષ્ટથી આઠ સમયપર્યત બાંધે છે. ત્યારપછીના અસંખ્યલોકાકાશપ્રદેશપ્રમાણ રસસ્થાનકોને સાત સમયપર્યત, ત્યારપછીનાં અસંખ્યલોકાકાશપ્રદેશપ્રમાણ સ્થાનોને છે સમયપપર્વત, ત્યારપછીનાં અસંખ્યલોકાકાશપ્રદેશપ્રમાણ સ્થાનોને પાંચ સમયપત, ત્યારપછીના અસંખ્યલોકાકાશપ્રદેશપ્રમાણ સ્થાનોને ચાર સમયપર્યત, ત્યારપછીના અસંખ્યલોકાકાશપ્રદેશપ્રમાણ સ્થાનોને ત્રણ સમયપર્યત અને ત્યારપછીના અસંખ્યલોકાકાશપ્રદેશપ્રમાણ ઉત્કૃષ્ટરસસ્થાન સુધીનાં રસસ્થાનકોમાંના કોઈ પણ રસસ્થાનને ઉત્કૃષ્ટથી નિરંતર બે સમયપર્યત બાંધે છે. જઘન્યથી કોઈપણ રસસ્થાનકને એક સમયપર્યત જ બાંધે છે. આ પ્રમાણે કાળ પ્રરૂપણા કહી.
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy