________________
પંચસંગ્રહ-૧
૭૦
જીવભેદો હોય છે. અને પંચેન્દ્રિયમાર્ગણામાં પર્યાપ્ત અપર્યાપ્તસંજ્ઞી અસંશીરૂપ ચાર જીવસ્થાનકો
હોય છે. ૨૨.
दस तसकाए चउ चउ थावरकाएसु जीवठाणाई । चत्तारि अट्ठ दोन्निय कायवईमाणसेसु कमा ॥२३॥ दश सकाये चत्वारि स्थावरकायेषु जीवस्थानानि । चत्वार्यष्ट द्वे च कायवाग्मानसेषु क्रमात् ॥२३॥
અર્થ—ત્રસકાયમાં દશ, સ્થાવરકાયમાં ચાર ચાર, તથા કાયયોગ, વચનયોગ અને મનોયોગમાં અનુક્રમે ચાર, આઠ અને બે જીવસ્થાનકો હોય છે.
ટીકાનુ—ત્રસકાયમાં અપર્યાપ્ત પર્યાપ્ત બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંશીપંચેન્દ્રિય અને સંજ્ઞીપંચેન્દ્રિયરૂપ દશ જીવસ્થાનકો હોય છે. તથા સ્થાવરકાય—પૃથ્વી, અપ્, તેઉ, વાયુ અને વનસ્પતિકાય એ દરેકમાં પર્યાપ્ત સૂક્ષ્મ બાદર એકેન્દ્રિયરૂપ ચાર ચાર જીવસ્થાનકો હોય છે. આ જ ચાર જીવસ્થાનકો વચનયોગ અને મનોયોગ વિનાના કેવળ કાયયોગિમાં હોય છે. કેવળ કાયયોગિ એકલા એકેન્દ્રિયો જ છે, અને તેના ચાર ભેદ પૂર્વે કહ્યા છે. મનોયોગ વિનાના વચનયોગિમાં પર્યાપ્ત, અપર્યાપ્ત, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય ચરિન્દ્રિય અને અસંશીપંચેન્દ્રિય એ આઠ જીવભેદો હોય છે. તથા મનોયોગિમાં સંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્ત અપર્યાપ્ત એ બે જીવસ્થાનકો હોય છે. ૨૩.
૧. સામાન્યથી મનોયોગવાળા જીવોને વચનયોગ તથા કાયયોગ અને વચનયોગવાળા જીવોને કાયયોગ હોય છે. એટલે કાયયોગમાં ચૌદ, વચનયોગમાં એકેન્દ્રિયના ચાર ભેદ વિના શેષ દશ અને મનોયોગમાં સંશીપર્યાપ્ત-અપર્યાપ્ત એમ બે જીવભેદો હોય છે, પરંતુ અહીં મનોયોગવાળાઓને વચનયોગ અને કાયયોગની તેમ જ વચનયોગવાળાને કાયયોગની ગૌણતા ગણી તેની વિવક્ષા કરી નથી, માટે આ ગાથામાં જણાવ્યા મુજબ મનોયોગમાં બે, વચનયોગમાં આઠ અને કાયયોગમાં ચાર જીવસ્થાનકો હોય છે. પ્રશ્ન—આ જ ગ્રંથમાં ગાથા છઠ્ઠીમાં પર્યાપ્ત વિકલેન્દ્રિય અને અસંશી પંચેન્દ્રિય એમ ચાર જીવસ્થાનકોમાં કાયયોગ તથા વચનયોગ, સંશી-પર્યાપ્ત એક જીવસ્થાનકમાં સર્વયોગ અને શેષ નવ જીવસ્થાનકમાં કેવળ કાયયોગ બતાવેલ છે તો પૂર્વાપર વિરોધ કેમ નહીં આવે ?
ઉત્તર—છઠ્ઠી ગાથામાં લબ્ધિ-અપર્યાપ્તની વિવક્ષા હોવાથી અને તેમને ક્રિયાનો સમાપ્તિકાલ ન હોવાથી તેની ગૌણતા માની લબ્ધિ-અપર્યાપ્ત બેઇન્દ્રિયાદિ ચાર ભેદમાં વચનયોગ અને સંશીઅપર્યાપ્તમાં મનોયોગની વિવક્ષા કરી નથી. જ્યારે અહીં લબ્ધિપર્યાપ્તની વિવક્ષા હોવાથી કરણ-અપર્યાપ્ત અવસ્થામાં તે લબ્ધિ-પર્યાપ્ત જીવોને કરણ-પર્યાપ્ત જીવોની જેમ ક્રિયાના પ્રારંભકાલ અને સમાપ્તિકાલ એક માની અપર્યાપ્ત બેઇન્દ્રિયાદિક ચારમાં પણ વચનયોગ અને સંશી-અપર્યાપ્તમાં મનોયોગ કહ્યો છે. જુઓ. સ્વો ટીકા
ગા ૨૩.
અને આ ગાથામાં દર્શાવ્યા મુજબ મનોયોગની પ્રધાનતાવાળા જીવોને વચનયોગ તથા કાયયોગ તેમ જ વચનયોગની પ્રધાનતાવાળાને કાયયોગની ગૌણતા માની છઠ્ઠી ગાથામાં જણાવ્યા મુજબ લબ્ધિ-અપર્યાપ્તની વિવક્ષા કરીએ અને ત્યાં જણાવ્યા મુજબ યોગો ઘટાવીએ તો માત્ર સંશી-પર્યાપ્ત રૂપ એક જીવભેદમાં મનોયોગ, પર્યાપ્ત અસંશી-પંચેન્દ્રિય અને પર્યાપ્ત વિકલેન્દ્રિય એ ચારમાં વચનયોગ અને શેષ નવ જીવભેદમાં કાયયોગ હોય એમ સમજવું.