SearchBrowseAboutContactDonate
Page Preview
Page 828
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમહાર-સારસંગ્રહ ८०३ અંતર્મુહૂર્તમાં કાળ કરી સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય, ત્યાં ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરતાં ત્રણ કરણો કરે ત્યારે અનિવૃત્તિકરણમાં જ્યારે મિથ્યાત્વ મોહનીયને સર્વ સંક્રમ દ્વારા મિશ્રમાં સંક્રમાવે ત્યારે મિશ્ર મોહનીયની અને મિશ્ર મોહનીયને સર્વસંક્રમ દ્વારા સમ્યક્ત્વ મોહનીયમાં સંક્રમાવે ત્યારે સમ્યક્ત્વ મોહનીયની યથાસંભવ ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધીના જીવો ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામી છે. સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યો જ દર્શનમોહનીયના ક્ષયનો પ્રારંભ કરી શકે છે. વળી સાતમી નરકનો જીવ મૃત્યુ પામી મનુષ્ય થઈ શકતો નથી. માટે ‘સાતમી નરકમાંથી નીકળી અંતર્મુહૂર્ત આયુષ્યવાળા તિર્યંચમાં જઈ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યમાં ઉત્પન્ન થવાનું' કહેલ છે. સાતમી નરકમાંથી નીકળેલ ગુણિતકર્માંશ આત્મા પંચેન્દ્રિય તિર્યંચમાં આવી ત્યાંથી કાળ કરી ઈશાન દેવલોકમાં ઉત્પન્ન થાય. ત્યાં અતિસંક્લિષ્ટ પરિણામે એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરતાં વારંવાર નપુંસકવેદ, એકેન્દ્રિયજાતિ, સ્થાવર, આતપ તથા ઉદ્યોત નામકર્મ. એ પાંચનો બંધ કરી, બંધ તથા સંક્રમ દ્વારા ઘણા પ્રદેશો વધારી મરણાન્ત સમયે વર્તમાન તે ઈશાનદેવ નપુંસકવેદ આદિ આ પાંચે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી છે. નપુંસકવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળો ઈશાનદેવ કાળ કરી સંખ્યાત વર્ષના આયુષ્યવાળામાં ઉત્પન્ન થઈ ત્યાંથી મૃત્યુ પામી યુગલિકમાં ઉત્પન્ન થાય ત્યાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ સુધી અતિસંક્લિષ્ટ પરિણામ વડે સ્રીવેદનો બંધ કરી બંધ તથા સંક્રમ દ્વારા તેના ઘણા પ્રદેશો એકત્ર કરી પલ્યોપમના અસંખ્યાતમા ભાગના ચરમસમયે વર્તમાન તે યુગલિક સ્રીવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી છે. દેવ મૃત્યુ પામી યુગલિકમાં ઉત્પન્ન થતો ન હોવાથી ‘સંખ્યાત વર્ષના આયુષ્યવાળામાં ઉત્પન્ન થવાનું' કહેલ છે. ગુણિતકર્માંશ ક્ષપક જે સમયે સ્રીવેદને સર્વસંક્રમ વડે પુરુષવેદમાં સંક્રમાવે તે સમયે પુરુષર્વેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. જે સમયે પુરુષવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળો આત્મા પુરુષવેદને સર્વસંક્રમ વડે સંજવલન ક્રોધમાં સંક્રમાવે તે સમયે સંજ્વલન ક્રોધની, સંજ્વલન ક્રોધની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળો આત્મા જે સમયે સંજ્વલન ક્રોધને સર્વસંક્રમ દ્વારા સંજ્વલન માનમાં સંક્રમાવે તે સમયે સંજ્વલન માનની, સંજ્વલન માનની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળો આના જે સમયે સંજ્વલન માનને સર્વસંક્રમ વડે સંજ્વલન માયામાં સંક્રમાવે તે સમયે સંજ્વલન માયાની અને સંજ્વલન માયાની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળો આત્મા જે સમયે સંજ્વલન માયાને સર્વસંક્રમ વડે સંજ્વલન લોભમાં સંક્રમાવે તે સમયે સંજવલન લોભની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. જે ગુણિતકર્માંશ આત્મા ચાર વાર મોહનીયનો ઉપશમ કરી શીઘ્ર ક્ષપકશ્રેણિનો આરંભ કરે છે તે આત્મા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના ચરમસમયે સાતાવેદનીય, યશઃકીર્ત્તિ અને ઉચ્ચગોત્રની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. કારણ કે આવા આત્માને ગુણસંક્રમ દ્વારા
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy