SearchBrowseAboutContactDonate
Page Preview
Page 819
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯૪ પંચસંગ્રહ-૧ તથા અનુત્કૃષ્ટ સ્થિતિસત્તા સાદિ અને અપ્રુવ એમ બે બે પ્રકારે હોવાથી એક એક કર્મના નવ નવ ભંગ થતા હોવાથી સ્થિતિસત્તા આશ્રયી આઠે કર્મના કુલ બોત્તેર (૭૨) ભાંગા થાય છે. તે આ પ્રમાણે— કોઈપણ મૂળકર્મની પોતપોતાના ક્ષયના અંતે જ્યારે એક સમયની સત્તા રહે ત્યારે તે જઘન્ય સ્થિતિસત્તા કહેવાય. તે એક જ સમય હોવાથી સાદિ-અધુવ એમ બે પ્રકારે છે. જઘન્ય સત્તાના ઉપાસ્ય સમય સુધીની જે સત્તા તે સઘળી અજઘન્ય સ્થિતિસત્તા છે. તેની આદિ ન હોવાથી અનાદિ, ભવ્યોને ભવિષ્યમાં ક્ષય થવાનો હોવાથી અધ્રુવ અને અભવ્યોને કોઈપણ કાળે ક્ષય થવાનો જ ન હોવાથી ધ્રુવ એમ ત્રણ પ્રકારે છે. સંસારમાં પરિભ્રમણ કરતાં જીવને ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ સ્થિતિસરા વારંવાર અનેક વાર થતી હોવાથી તે બન્ને સાદિ-અધ્રુવ એમ બે-બે પ્રકારે છે. અનંતાનુબંધિ કષાયની અજઘન્ય સ્થિતિસત્તા સાદ્યાદિ ચાર પ્રકારે અને શેષ જઘન્યાદિ ત્રણ પ્રકારની સત્તા સાદિ-અધ્રુવ એમ બે-બે પ્રકારે હોવાથી એક-એક પ્રકૃતિના દશ-દશ ભાંગા છે. શેષ ધ્રુવસત્તાક એકસો છવ્વીસ પ્રકૃતિઓની અજઘન્ય સ્થિતિસત્તા સાદિ વિના ત્રણ પ્રકારે અને જઘન્યાદિ ત્રણ પ્રકારની સત્તા સાદિ-અદ્ભવ એમ બે-બે પ્રકારે હોવાથી એક-એક પ્રકૃતિના નવ નવ ભાંગા થાય છે. અધુવસત્તાવાળી અઠ્ઠાવીસ પ્રકૃતિઓની ચારે પ્રકારની સ્થિતિસત્તા સાદિ-અધુવ એમ બેબે પ્રકારે હોવાથી એક એક પ્રકૃતિના આઠ આઠ ભાંગા થાય છે. ત્યાં અનંતાનુબંધિની પોતાના ક્ષયના ઉપન્ય સમયે જ્યારે સ્વરૂપ સત્તાની અપેક્ષાએ એક સમય અને કર્મપણાની અપેક્ષાએ બે સમય સ્થિતિસત્તા હોય છે ત્યારે તે જઘન્ય સ્થિતિસત્તા કહેવાય છે. તેનો કાળ એક જ સમય હોવાથી તે સાદિ-અધ્રુવ છે. તે સિવાયની સઘળી સ્થિતિ તે અજઘન્ય સ્થિતિસત્તા છે. તે અનંતાનુબંધિનો ક્ષય કરી પહેલા ગુણસ્થાને આવી બંધ દ્વારા ફરીથી સત્તામાં પ્રાપ્ત થાય ત્યારે તેની સાદિ, જઘન્ય સ્થિતિસત્તાના સ્થાનને નહિ પામેલાઓને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને ભવિષ્યમાં અંત થવાનો હોવાથી અધ્રુવ છે. શેષ એકસો છવ્વીસ ધ્રુવસત્તા પ્રકૃતિઓમાંથી પોતપોતાના ક્ષયના અંતે જે ઉદયવતી પ્રકૃતિઓ હોય તેની એક સમય પ્રમાણ અને અનુદયવતી પ્રવૃતિઓ હોય તેની સ્વરૂપની અપેક્ષાએ એક સમય અને કર્મપણાની અપેક્ષાએ બે સમય પ્રમાણ સત્તા હોય છે તે જઘન્ય સ્થિતિસત્તા છે. તે સમયમાત્ર હોવાથી સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે. તે સિવાયની સઘળી સત્તા તે અજઘન્ય સ્થિતિસત્તા છે. તેની આદિ ન હોવાથી અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને નાશ થવાનો હોવાથી અદ્ભવ છે. આ ધ્રુવસત્તાક એકસો ત્રીસ પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ સ્થિતિસત્તા વારાફરતી અનેક વાર થતી હોવાથી બન્ને સાદિ-અધ્રુવ છે. મનુષ્યગતિ આદિ અઠ્ઠાવીસ પ્રકૃતિઓ તો સ્વરૂપથી જ અધુવ સત્તાવાળી હોવાથી તેઓની ચારે પ્રકારની સ્થિતિસત્તા સાદિ-અદ્ભવ એમ બે જ પ્રકારે છે.
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy