SearchBrowseAboutContactDonate
Page Preview
Page 802
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમહાર-સારસંગ્રહ ૭૭૭ આ પ્રમાણે એકતાળીસ પ્રકૃતિઓ સિવાય શેષ સર્વ પ્રકૃતિઓની ઉદય-ઉદીરણા સાથે જ હોય છે. સાધાદિ પ્રરૂપણા અગિયારમા ગુણસ્થાને મોહનીયનો ઉદય હોતો નથી. ત્યાંથી પડે ત્યારે પુનઃ ઉદય થાય છે. માટે તેની સાદિ, દશમા ગુણસ્થાનકથી આગળ નહિ ગયેલાઓને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ. એમ મોહનીયનો ઉદય ચાર પ્રકારે છે. શેષ સાતે કર્મનો ઉદય અભવ્યોને અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેવાનો છે માટે અનાદિ તથા ધ્રુવ, ભવ્યોને ભવિષ્યમાં વિચ્છેદ થશે માટે અવ. એમ સાત કર્મનો ઉદય ત્રણ પ્રકારે છે. પૂર્વે જણાવેલ મિથ્યાત્વવર્જિત સુડતાળીસ ધ્રુવોદયી પ્રકૃતિઓનો અભવ્યોને અનાદિ તથા ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ એમ ત્રણ પ્રકારે ઉદય છે. મિથ્યાત્વનો ઉદય સાદિ, અનાદિ, ધ્રુવ તથા અવ—એમ ચાર પ્રકારે છે. શેષ એકસો દશ પ્રકૃતિઓ અવોદયી હોવાથી તેઓનો ઉદય સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે છે. સ્થિતિઉદય સ્થિતિઉદય એટલે કોઈપણ સ્થિતિસ્થાનમાં રહેલ દલિકોનો ઉદય. સ્થિતિઉદય સ્વાભાવિક અને ઉદીરણામૃત એમ બે પ્રકારે છે. ત્યાં જે સમયે જે કર્મ બંધાય છે તેનો પૂર્વે બતાવ્યા પ્રમાણે અમુક સમય પ્રમાણ અબાધાકાળ હોય છે, તે અબાધારૂપ સ્થિતિનો ક્ષય થવાથી દરેક કર્મનો પ્રદેશોદય તો શરૂ થઈ જ જાય છે, પરંતુ અહીં વિપાકોદયને જ ઉદય કહેવામાં આવે છે. તે વિપાકોદય જ્યારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવરૂપ હેતુઓને પ્રાપ્ત કરી પ્રવર્તે છે ત્યારે તે સ્વાભાવિકોદય અથવા શુદ્ધોદય કે સંપ્રાપ્તોદય પણ કહેવાય છે. તે સ્વાભાવિકોદય પ્રવર્તતે છતે વીર્યવિશેષરૂપ ઉદીરણા કરણ વડે ઉદયાવલિકાથી બહારનાં સ્થિતિસ્થાનકોમાં રહેલાં દલિકોને ખેંચીને ઉદયાવલિકામાં ગોઠવાયેલ દલિકનાં નિષેકસ્થાનોમાં નાંખીને ઉદયાવલિકાની અંદરના સ્થિતિસ્થાનમાં રહેલ દલિકોની સાથે રસોદયથી ભોગવવાં તે ઉદીરણાકૃત ઉદય અથવા અસંપ્રાપ્તોદય પણ કહેવાય છે. ત્યાં સાદ્યાદિ પ્રરૂપણા અને સ્વામિત્વ પ્રરૂપણા જેમ સ્થિતિઉદીરણામાં કહી છે તેમ અહીં પણ સમજવી, માત્ર ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા કરતાં ઉત્કૃષ્ટ સ્થિતિઉદય એક સમયપ્રમાણ એક સ્થિતિ જેટલો અધિક હોય છે. તે આ પ્રમાણે— જે સમયે જે કર્મ બંધાય છે તે વિવક્ષિત સમયે બંધાયેલ કર્મલતાના અબાધાકાળમાં પણ તે પૂર્વે બંધાયેલ અને જેનો અબાધાકાળ પૂર્ણ થઈ ગયો છે તેવી તે જ પ્રકૃતિની કર્મલતાનાં દલિકો ગોઠવાયેલાં જ હોય છે. તેથી મતિજ્ઞાનાવરણીયાદિ ચાશી ઉદયબંધોત્કૃષ્ટ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા બે આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલી થાય છે. પંચ૰૧-૯૮
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy