SearchBrowseAboutContactDonate
Page Preview
Page 764
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમદ્વાર-સારસંગ્રહ ૭૩૯ અથવા ચુંમાળીસના ઉદયવાળા અવિરત ક્ષાયિક સમ્યગ્દષ્ટિ મનુષ્ય-તિર્યંચોને ઉત્પત્તિસ્થાને આનુપૂર્વી બાદ કરી તેમાં ઔદારિકદ્ધિક, ઉપઘાત, પ્રત્યેક, પ્રથમ સંઘયણ અને એક સંસ્થાન એ છ ઉમેરતાં ઓગણપચાસનો ઉદય થાય. વળી શરીરપર્યાપ્તિએ પર્યાપ્ત એવા તેઓને જ તે ઓગણપચાસમાં એક વિહાયોગતિ અને પરાઘાત ઉમેરતાં એકાવન, ઉચ્છવાસ ઉમેરતાં બિાવન, સ્વર ઉમેરતાં ત્રેપન, સમ્યક્ત મોહનીય, ભય, જુગુપ્સા, અને એક નિદ્રા આ ચારમાંથી કોઈપણ એક ઉમેરતાં ચોપ્પન, બે ઉમેરતાં પંચાવન, ત્રણ ઉમેરતાં છપ્પન અને ચારે ઉમેરતાં સત્તાવનનો ઉદય થાય, તેમાં ઉદ્યોત ઉમેરતાં તિર્યંચોને અઠ્ઠાવનનો ઉદય થાય. પૂર્વે દેવ તથા નરક આશ્રયી ઉત્પત્તિસ્થાને અડતાળીસનું ઉદયસ્થાન બતાવ્યું હતું તેમાં પણ મનુષ્ય-તિર્યંચોની જેમ પરાઘાત, વિહાયોગતિ, ઉચ્છવાસ, સ્વર, ભય, જુગુપ્સા, સમ્યક્ત મોહનીય અને નિદ્રા ઉમેરવાથી યથાસંભવ અનેક રીતે સત્તાવન સુધીમાં ઉદયસ્થાનકો થઈ શકે છે. મિથ્યાદષ્ટિને છેતાળીસથી ઓગણસાઠ સુધીનાં ઉદયસ્થાનો સંભવે છે. ત્યાં જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય પાંચ, વેદનીય એક, મોહનીય દશ, આયુ એક, નામકર્મ એકત્રીસ, ગોત્ર એક અને અંતરાય પાંચ એમ ઓગણસાઠ પ્રકૃતિઓનો ઉદય તિર્યંચોને જ સંભવે છે. શેષ ઉદયસ્થાનો સ્વયં વિચારી લેવાં. સર્વોત્તર પ્રવૃતિઓનો ઉદયવિચ્છેદ થયા પછી ફરીથી ઉદયનો સંભવ ન હોવાથી અવક્તવ્યોદય એક પણ નથી. અવસ્થિતોદય છવ્વીસ હોય છે. - ભૂયસ્કારોદય અગિયાર, બાર, ત્રેવીસ, ચોવીસ અને ચુંમાળીસ વિના શેષ એકવીસ હોય છે. ત્યાં તીર્થકર તથા સામાન્ય કેવલીને અયોગી ગુણસ્થાને બાર તથા અગિયારનો અને સયોગી ગુણસ્થાને કેવલી-સમુદ્દઘાતમાં કાર્પણ કાયયોગે વર્તતાં અનુક્રમે ચોવીસ તથા ત્રેવીસનો ઉદય હોય છે. તેમજ ચુંમાળીસનું ઉદયસ્થાન અવિરતિ ક્ષાયિક સમ્યગ્દષ્ટિને વિગ્રહગતિમાં જ ઘટે છે. આ પાંચે ઉદયસ્થાનો પ્રકૃતિઓની હાનિથી જ પ્રાપ્ત થાય છે. પણ પ્રકૃતિઓની વૃદ્ધિથી પ્રાપ્ત થતા નથી. માટે આ પાંચ ઉદયસ્થાનો ભૂયસ્કારરૂપે સંભવતાં નથી. કેવલી-સમુદ્ધાતમાં કાર્પણ કાયયોગે વર્તતા સામાન્ય કેવલી તથા તીર્થકર કેવલીને અનુક્રમે ત્રેવીસ તથા ચોવીસનો ઉદય હોય છે. તેમને છઠ્ઠા સમયે ઔદારિક મિશ્ર કાયયોગે વર્તતાં ઔદારિકદ્ધિક, ઉપઘાત, પ્રત્યેક, પ્રથમ સંઘયણ અને એક સંસ્થાન એ છ પ્રકૃતિ વધે ત્યારે અનુક્રમે ઓગણત્રીસ તથા ત્રીસના ઉદયરૂપ છે અને તેમને જ આઠમા સમયે ઔદારિક કાયયોગે વર્તતાં પરાઘાત, વિહાયોગતિ, ઉચ્છવાસ અને સ્વર આ ચાર પ્રકૃતિઓ વધે ત્યારે અનુક્રમે તેત્રીસ અને ચોત્રીસ પ્રકૃતિના ઉદયરૂપ બે–એમ કેવલીના દશ ઉદયસ્થાનોમાં માત્ર ચાર ભૂયસ્કાર ઘટે છે. ટીકામાં એકત્રીસ અને બત્રીસ પ્રકૃતિના ઉદય સ્વરૂપ બે ભૂયસ્કારો સહિત કુલ છ ગણાવ્યા છે. પરંતુ તે ભૂયસ્કારો શી રીતે ઘટી શકે તે અમે જાણતા નથી. પિસ્તાળીસથી ઓગણસાઠના ઉદયસ્થાન સુધીના કુલ પંદર ભૂયસ્કારો યથાસંભવ અનેક
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy