SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ પંચસંગ્રહ-૧ ઉદ્યોતનામ, સૂક્ષ્મનામ, અને સાધારણનામ, એ સોળે પ્રકૃતિઓને પણ ઉદ્વલના સંક્રમ વડે ખપાવતાં ખપાવતાં પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિ થાય. ત્યારપછી તેઓને સમયે સમયે ગુણસંક્રમ વડે બધ્યમાન પ્રકૃતિમાં સંક્રમાવતાં સંક્રમાવતાં સંપૂર્ણપણે ક્ષય થાય. જો કે અપ્રત્યાખ્યાનાવરણ પ્રત્યાખ્યાનાવરણ કષાયાષ્ટકને ક્ષય કરવાની શરૂઆત પહેલાં જ કરી હતી, પરંતુ તેનો હજી સુધી ક્ષય થયો નથી. વચમાં જ પૂર્વોક્ત સોળ પ્રકૃતિઓને ખપાવી નાખે છે. ત્યારપછી અંતર્મુહૂર્તકાળે કષાયાષ્ટકને પણ (સંપૂર્ણપણે) ખપાવે છે. આ સૂત્રાદેશ એટલે ગ્રંથકારનો અભિપ્રાય છે. અન્ય આચાર્યો આ પ્રમાણે કહે છે : પૂર્વોક્ત સોળ પ્રકૃતિઓને જ અપૂર્વકરણે સ્થિતિઘાતાદિ વડે ઘાત કરતાં કરતાં, એવી રીતે વાત કરે કે અનિવૃત્તિકરણના પહેલા સમયે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ રહે. આઠ કષાયોને ઉદ્વલના સંક્રમ વડે ખપાવતાં ખપાવતાં, અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગ જાય ત્યારે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ થાય. ત્યારપછી તેઓને સમયે સમયે ગુણસંક્રમ વડે બધ્યમાન પ્રકૃતિમાં સંક્રમાવતાં સંક્રમાવતાં સંપૂર્ણપણે ક્ષય થાય, ત્યારપછી અંતર્મુહૂર્વકાળે સોળ પ્રકૃતિઓનો ક્ષય થાય છે. આઠ કષાય અને સોળ પ્રકૃતિઓનો ક્ષય કર્યા પછી અંતર્મુહૂર્તકાળે નવ નોકષાય અને સંજવલન ચતુષ્ક એ તેર પ્રકૃતિઓનું અંતરકરણ કરે છે. અંતરકરણનો વિધિ આગળ કહેશે. અંતરકરણ કરી દ્વિતીય સ્થિતિમાં રહેલા નપુંસકવેદના દલિકને ઉશ્કલના સંક્રમ વડે એવી રીતે ઉલે કે અંતર્મુહૂર્વકાળે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ શેષ રહે, ત્યારપછી તેને ગુણસંક્રમ વડે બધ્યમાન પ્રકૃતિમાં સંક્રમાવતાં સંક્રમાવતાં' અંતર્મુહૂર્વકાળે સંપૂર્ણપણે ક્ષય થાય. પ્રથમ સ્થિતિમાં રહેલા દલિકને જો નપુંસકવેદે શ્રેણિ માંડી હોય તો ભોગવતાં ભોગવતાં ક્ષય કરે છે, અને જો નપુંસકવેદ ન માંડી હોય તો આવલિકામાત્ર પ્રથમ સ્થિતિને વેદ્યમાન પ્રકૃતિમાં સ્તિબુકસંક્રમ વડે સંક્રમાવી દૂર કરે છે. આ પ્રમાણે નપુંસકવેદનો સત્તામાંથી નાશ કરે છે. ત્યારપછી આજ ક્રમે સ્ત્રીવેદને અંતર્મુહૂર્તકાળે ખપાવે છે ત્યારપછી છ નોકષાયને એકસાથે ખપાવવાનો આરંભ કરે છે. જે સમયે છ નોકષાયને નિર્મૂળ કરવાનો આરંભ કરે છે. તે સમયથી ૧. અહીં નપુંસકવેદના દલિકને ઉદ્ધલના સંક્રમ વડે એવી રીતે ઉવેલે, કે અંતર્મુહૂર્તકાળે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ શેષ રહે. ત્યારપછી તેને ગુણસંક્રમ વડે બધ્યમાન પ્રકૃતિમાં સંક્રમાવતાં અંતર્મુહૂર્તકાળે ક્ષય થાય, એમ ઉપર લખ્યું છે. તેમાં ઉકલનાકાળે ગુણસંક્રમ પ્રવર્તતો નથી. છેલ્લા પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં જ પ્રવર્તે છે એમ સમજવાનું નથી. કારણ કે અબધ્યમાન દરેક અશુભ પ્રવૃતિઓનો ગુણસંક્રમ તો અપૂર્વકરણના પ્રથમ સમયથી જ શરૂ થાય છે. એટલે ઉઠ્ઠલનાકાળે પણ ગુણસંક્રમ પ્રવર્તે છે. પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ તો છેલ્લો ખંડ છે, એટલે તે છેલ્લા ખંડનું દલિક ગુણસંક્રમ વડે જ પરમાં સંક્રમાવે છે. એક સ્થિતિઘાતનો કાળ અંતર્મુહૂર્તનો છે માટે અંતર્મુહૂર્વકાળે સંક્રમાવે છે એમ કહ્યું છે. ૨. અંતરકરણ કર્યા પછી જ ક્ષય કરવાનો આરંભ કરે છે, પરંતુ પહેલા કરતો નથી, એમ અહીં સમજવાનું નથી, અપૂર્વકરણના પ્રથમ સમયથી આરંભી સ્થિતિઘાતાદિ પ્રવર્તે છે. અને સ્થિતિ અને દલિક ઓછાં થતાં જ જાય છે. ગુણસંક્રમ વડે અબધ્યમાન તમામ પ્રકૃતિઓના દલિક બધ્યમાન પ્રકૃતિમાં સંક્રયે જાય છે. વધારામાં નવમે ગુણસ્થાને જેટલી પ્રકૃતિઓનો સર્વથા ક્ષય થાય છે, તેઓનો ઉદ્ધલના સંક્રમ પણ થાય છે. તાત્પર્ય એ કે બધાનો ક્ષય તો થતો જ જાય છે. અંતરકરણ કર્યા પછી આરંભ કરે છે એ લખવાનું તાત્પર્ય એટલું જ કે અત્યાર સુધી સામાન્ય ક્રિયા થતી હતી, તે જે જે પ્રકૃતિઓ પહેલાં પહેલાં નિર્મૂળ થવાની હોય તેની તેની અંદર વિશેષ-મુખ્ય ક્રિયા થાય છે. ઉદ્વલના સંક્રમનું સ્વરૂપ સંક્રમકરણમાંથી જોઈ લેવું.
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy