SearchBrowseAboutContactDonate
Page Preview
Page 699
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૪ પંચસંગ્રહ-૧ ટીકાનુ–કોઈ આત્મા ચાર વાર મોહનીયને ઉપશમાવી પછીથી અંતર્મુહૂર્ત ગયા બાદ મિથ્યાત્વ પ્રાપ્ત કરે. ત્યાં મિથ્યાત્વ નિમિત્તે અંતર્મુહૂર્ત પર્યત અનંતાનુબંધી કષાય બાંધે. ત્યારપછી સમ્યક્ત પ્રાપ્ત કરે. તે સમ્યત્ત્વનું એકસો બત્રીસ સાગરોપમ પર્વત પાલન કરીને અને તે સમ્યક્તના પ્રભાવ વડે અનંતાનુબંધી કષાયનાં ઘણાં પુદ્ગલો પ્રદેશસંક્રમ વડે ખપાવી ફરી મિથ્યાત્વે જાય. ત્યાં મિથ્યાત્વ નિમિત્તે અનંતાનુબંધી બાંધે. તે બંધાવલિકાના ચરમસમયે પૂર્વે બંધાયેલા અનંતાનુબંધી કષાયનો જઘન્ય પ્રદેશોદય કરે છે. બંધાવલિકા પૂર્ણ થયા પછીના સમયે પહેલા સમયના બંધાયેલાં દલિકોનો પણ ઉદીરણા વડે ઉદય થાય છે. માટે જઘન્ય પ્રદેશોદય ઘટતો નથી. તેથી બંધાવલિકાનો ચરમસમય ગ્રહણ કર્યો છે. તથા સંસારમાં એક જીવને ચાર વાર જ મોહનીય કર્મનો સર્વોપશમ થાય છે, વધારે વાર થતો નથી. માટે ચાર વાર મોહનીયનો ઉપશમ કરે એમ કહ્યું છે. અહીં એમ શંકા થાય કે–મોહનીયના ઉપશમનું જ અહીં શું પ્રયોજન છે? તો કહે છે કે–મોહને ઉપશમાવતો આત્મા પ્રત્યાખ્યાનાદિ કષાયોનાં ઘણાં દલિકોને અન્ય પ્રવૃતિઓમાં ગુણસંક્રમ વડે સંક્રમાવે છે. તેથી ક્ષીણપ્રાય થયેલાં તેઓનાં દલિક ચાર વાર મોહનીયને ઉપશમાવી મિથ્યાત્વે આવ્યા બાદ મિથ્યાત્વ નિમિત્તે અંતર્મુહૂર્ત પર્યત જે અનંતાનુબંધી બાંધે છે તેમાં ઘણા જ થોડા સંક્રમ માટે ચાર વાર મોહના ઉપશમનું ગ્રહણ કર્યું છે. અંતર્મુહૂર્ત પર્યત બાંધી એકસો બત્રીસ સાગરોપમ પર્યત સમ્યક્તના કાળમાં તેનાં ઘણાં દલિકો દૂર છે તેથી મિથ્યાત્વે આવ્યા બાદ બંધાવલિકાના ચરમસમયે જઘન્ય પ્રદેશોદય સંભવે છે. ૧૨૬ इत्थीए संजमभवे सव्वनिरुद्धंमि गंतु मिच्छं तो । देवी लहु जिठिई उव्वट्टिय आवलीअंते ॥१२७॥ स्त्रियः संयमभवे सर्वनिरुद्धे गत्वा मिथ्यात्वं ततः ॥ देवी लघु ज्येष्ठस्थितिमुद्वर्त्य आवलिकान्ते ॥१२७॥ અર્થ—કોઈ સ્ત્રી સંયમના ભવમાં અંતર્મુહૂર્ત આયુ શેષ રહે ત્યારે મિથ્યાત્વે જાય, ત્યાં કાળધર્મ પામી દેવીપણે ઉત્પન્ન થાય. તે દેવીના ભાવમાં શીઘ્ર પર્યાપ્તિઓ પૂર્ણ કરી સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે અને સત્તાગત સ્થિતિની ઉદ્વર્તન કરે. તેને બંધાવલિકાના ચરમસમયે સ્ત્રીવેદનો જઘન્ય પ્રદેશોદય થાય. ટીકાનુ–સંયમ વડે ઓળખાતો જે ભવ તે સંયમભવ એટલે કે જે ભવમાં પોતે ચારિત્રનું પાલન કર્યું છે તે ભવ અંતર્મુહૂર્ત શેષ રહે ત્યારે કોઈ સ્ત્રી મિથ્યાત્વે જાય, ત્યાં કાળધર્મ પામી પછીના ભવમાં દેવીપણે ઉત્પન્ન થાય, તે દેવીપણામાં જેમ બને તેમ શીઘ્ર પર્યાપ્તિઓ પૂર્ણ કરી સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે અને સત્તામાં રહેલાં ઘણાં દલિકોની ઉદ્વર્તન કરે. જે સમયે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અને ઘણાં દલિકની ઉદ્વર્તના થઈ તે સમયથી આરંભી બંધાવલિકાના ચરમસમયે
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy