SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમદ્વાર ઉત્કૃષ્ટ સ્થિતિની વચ્ચે અંતર તેટલું જ છે અને પાછળનાં એકેન્દ્રિયનાં સ્થિતિસ્થાનો પલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ છે. પલ્યોપમનો સંખ્યાતમો ભાગ અસંખ્યાતમા ભાગથી અસંખ્યાતગુણ મોટો હોવાથી અપર્યાપ્ત બેઇન્દ્રિયનાં સ્થિતિસ્થાનો એકેન્દ્રિયનાં સ્થિતિસ્થાનોથી અસંખ્યાતગુણા ઘટે છે. ૫૭૧ તેનાથી પર્યાપ્ત બેઇન્દ્રિયનાં સ્થિતિસ્થાનો સંખ્યાતગુણા છે. તેનાથી અપર્યાપ્ત તેઇન્દ્રિયનાં સંખ્યાતગુણા છે, તેનાથી પર્યાપ્ત તેઇન્દ્રિયનાં સંખ્યાતગુણા છે, તેનાથી અપર્યાપ્ત ચઉરિન્દ્રિયનાં અસંખ્યાતગુણા છે. તેનાથી પર્યાપ્ત ચઉરિન્દ્રિયના સંખ્યાતગુણા છે, તેનાથી અપર્યાપ્ત અસંશી પંચેન્દ્રિયનાં સંખ્યાતગુણા છે, તેનાથી પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિયના સંખ્યાતગુણા છે, તેનાથી અપર્યાપ્ત સંશી પંચેન્દ્રિયના સંખ્યાતગુણા છે, તેનાથી પર્યાપ્ત સંશી પંચેન્દ્રિયના સંખ્યાતગુણા છે. અહીં અસંશી પંચેન્દ્રિય પર્યાપ્ત સુધીના દરેક ભેદમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિની વચ્ચે પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું અંતર છે એટલે તેટલાં સ્થિતિસ્થાનો કહ્યાં છે અને પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ક્રમશઃ મોટો મોટો લેવાથી ઉપરોક્ત અલ્પ બહુત્વ ઘટે છે. અપર્યાપ્ત સંજ્ઞીનો જઘન્ય સ્થિતિબંધ અંતઃકોડાકોડી અને ઉત્કૃષ્ટ પણ અંતઃકોડાકોડી સાગરોપમ છે પરંતુ જઘન્યથી ઉત્કૃષ્ટ સંખ્યાતગુણ મોટો છે એટલે સંખ્યાતગુણા ઘટે છે અને પર્યાપ્ત સંજ્ઞીને મિથ્યાત્વ ગુણઠાણે જધન્ય સ્થિતિબંધ અંતઃકોડાકોડી સાગરોપમ અને ઉત્કૃષ્ટ દરેક પ્રકૃતિનો જેટલો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહ્યો તેટલો થાય છે માટે તેને પણ સંખ્યાતગુણ ઘટે છે. અહીં આ અલ્પબહુત્વમાં અપર્યાપ્ત બેઇન્દ્રિયનાં સ્થિતિસ્થાનો અસંખ્યાતગુણ કહેવાં અને શેષ સઘળાં સંખ્યાતગુણ કહેવાં. આ પ્રમાણે સ્થિતિસ્થાન સંબંધે વિચાર કર્યો. હવે સંક્લેશસ્થાન અને વિશોધિસ્થાનોનો વિચાર કરવો જોઈએ, તેમાં ઉત્તરોત્તર દરેક જીવભેદમાં તે બંને પ્રકારનાં સ્થાનો અસંખ્યાત અસંખ્યાતગુણા છે. તે આ પ્રમાણે— સૂક્ષ્મ અપર્યાપ્તનાં સંક્લેશસ્થાનો સર્વથા અલ્પ છે, તેનાથી અપર્યાપ્ત બાદરનાં અસંખ્યાતગુણા છે, તેનાથી પર્યાપ્તસૂક્ષ્મના અસંખ્યાતગુણા છે, તેનાથી પર્યાપ્ત બાદનાં અસંખ્યાતગુણા છે, તેનાથી અપર્યાપ્ત બેઇન્દ્રિયનાં અસંખ્યાતગુણા છે, એ પ્રમાણે પર્યાપ્ત બેઇન્દ્રિય, અપર્યાપ્ત પર્યાપ્ત તેઇન્દ્રિય, ચરિન્દ્રિય, અસંશીપંચેન્દ્રિય અને સંશી પંચેન્દ્રિયનાં ઉત્તરોત્તર અસંખ્યાત અસંખ્યાતગુણા કહેવા. અપર્યાપ્તસૂક્ષ્મ એકેન્દ્રિયાદિ સઘળા જીવભેદમાં ઉત્તરોત્તર સંક્લેશનાં સ્થાનકો અસંખ્યાતગુણા છે એમ કઈ યુક્તિથી જાણી શકાય ? ઉત્કૃષ્ટ સ્થિતિબંધની વચ્ચે પલ્યોપમના સંખ્યાતમા ભાગનું અંતર સંભવતું હોય તેમ લાગે છે. તેથી ઉપર બેઇન્દ્રિયના પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનકો કહ્યાં જણાય છે, પરંતુ આ ગ્રંથકારના મત `પ્રમાણે પર્યાપ્ત બાદર એકેન્દ્રિયનાં સ્થિતિસ્થાનોની અપેક્ષાએ અપર્યાપ્ત બેઇન્દ્રિયનાં સ્થિતિસ્થાનો પૂરાં પચીસગુણાં પણ નથી તો તે અસંખ્યાતગુણ કેમ થઈ શકે ? તે વિચારણીય છે.
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy