SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૪ પંચસંગ્રહ-૧ સામાન્ય કેવળી ભગવાનને અયોગી અવસ્થામાં હોય છે અને એ જ અવસ્થામાં તીર્થંકર ભગવાનને તીર્થકર નામકર્મ સહિત બારનો ઉદય હોય છે. આ અતીર્થકર તીર્થકર કેવળીના બંને ઉદયસ્થાનકો અનુક્રમે અગુરુલઘુ, નિર્માણ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, તૈજસ, કાર્મણ, વર્ણાદિ ચતુષ્ક એ બાર ધ્રુવોદય પ્રકૃતિ સાથે ત્રેવીસ અને ચોવીસ થાય છે. એ બંને ઉદયસ્થાનકો અનુક્રમે સમુઘાત અવસ્થામાં કાર્પણ કાયયોગે વર્તતા સામાન્ય કેવળી અને તીર્થકરને હોય છે. આ ચાર ઉદયસ્થાનકોમાં એક પણ ભૂયસ્કાર ઘટતો નથી. કારણ કે કોઈપણ આત્મા અયોગીપણામાંથી સયોગીપણામાં જતો નથી. તેમજ સામાન્ય કેવળી તીર્થંકરના ઉદયને પ્રાપ્ત કરતો નથી. તે ત્રેવીસ અને ચોવીસના ઉદયસ્થાન સાથે પ્રત્યેક, ઉપઘાત, ઔદારિકદ્ધિક, છ સંસ્થાનમાંથી કોઈપણ એક સંસ્થાન અને પ્રથમ સંઘયણ એ છ પ્રકૃતિઓ જોડતાં ઓગણત્રીસ અને ત્રીસ એ બે ઉદયસ્થાન થાય છે. આ બે ઉદયસ્થાનક અનુક્રમે ઔદારિકમિશ્રયોગે વર્તતા સામાન્ય કેવળી તથા તીર્થંકર ભગવાનને હોય છે. ઔદારિકકાયયોગે વર્તતા તથા સ્વભાવસ્થ તેઓને પરાઘાત, વિહાયોગતિ, ઉચ્છવાસ અને સ્વરના ઉદય સાથે અનુક્રમે તેત્રીસ અને ચોત્રીસનો ઉદય થાય છે. યોગનો રોધ કરતા જ્યારે સ્વરનો રોધ થાય એટલે કે સ્વરનો ઉદય બંધ પડે ત્યારે પૂર્વોક્ત તેત્રીસ અને ચોત્રીસમાંથી એ એક પ્રકૃતિ ઓછી થતાં બત્રીસ અને તેત્રીસનો ઉદય થાય છે. ત્યારપછી શ્વાસોચ્છવાસનો રોધ થતાં શ્વાસોચ્છવાસનો ઉદય રોકાય ત્યારે એકત્રીસ અને બત્રીસનો ઉદય થાય છે. આ પ્રમાણે દશ ઉદયસ્થાનકો કેવળી મહારાજને હોય છે. . એ દશ ઉદયસ્થાનોમાં છ ભૂયસ્કાર થાય છે અને તે સામાન્ય કેવળી અને તીર્થકરને ૧. અહીં ટીકામાં કેવળી મહારાજના દશ ઉદયસ્થાનમાં ૨૯-૩૦-૩૧-૩૨-૩૩ અને ૩૪ ૩૫ ભૂયસ્કાર કહ્યા છે, પરંતુ ચાર થાય છે તે આ પ્રમાણે–સમુઘાત અવસ્થામાં કાર્પણ કાયયોગે વર્તતા સામાન્ય કેવળી તથા તીર્થકરને અનુક્રમે ત્રેવીસ અને ચોવીસનો ઉદય હોય છે તેમાં સાતમે સમયે ઔદારિક મિશ્રયોગે વર્તતા તેઓને પ્રત્યેક આદિ છ પ્રકૃતિનો ઉદય વધે એટલે ઓગણત્રીસ અને ત્રીસનો ઉદય થાય છે. તથા તેઓને આઠમે સમયે ઔદારિક કાયયોગે વર્તતા સ્વર વગેરે ચાર પ્રકૃતિનો ઉદય વધે એટલે તેત્રીસ અને ચોત્રીસનો ઉદય થાય છે. આ પ્રમાણે ઓગણત્રીસ, ત્રીસ, તેત્રીસ અને ચોત્રીસના ઉદયરૂપ ચાર ભૂયસ્કરોદય થાય છે, પરંતુ કોઈ રીતે એકત્રીસ અને બત્રીસના ઉદયરૂપ ભૂયસ્કાર ઘટતા નથી. ( અલ્પતરોદય તો ઘટે છે. તેત્રીસ અને ચોત્રીસના ઉદયવાળા સ્વરનો રોધ કરે ત્યારે તેઓને બત્રીસ અને તેત્રીસનો ઉદય થાય અને ઉચ્છવાસનો રોધ થતાં એકત્રીસ અને બત્રીસનો ઉદય થાય, એટલે અહીં તેત્રીસ, બત્રીસ અને એકત્રીસ એ ત્રણે અલ્પતરોદય થાય. આ રીતે એકત્રીસ અને બત્રીસ એ અલ્પતર થાય છે, પરંતુ ભૂયસ્કાર થતા નથી. પછી તો જ્ઞાનીમહારાજ જાણે.
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy