SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ४८८ * * * પંચસંગ્રહ-૧ सायासायाऊणं जाव पमत्तो अजोगि सेसुदओ । जा जोगी उरिज्जइ सेसुदया सोदयं जाव ॥ सातासातायुषां यावत्प्रमत्तोऽयोगिशेषोदयः । . यावत् सयोगी उदीर्यते शेषोदयाः स्वोदयं यावत् ॥७॥ અર્થ સાત, અસાતવેદનીય અને મનુષ્યાયુની ઉદીરણા પ્રમત્તસંયત પર્યત થાય છે. આ ત્રણ પ્રકૃતિ સિવાય અયોગી ગુણસ્થાનકે જેનો ઉદય છે તેની ઉદીરણા સયોગી ગુણસ્થાનક પર્યત થાય છે. અને ઉદયપ્રાપ્ત શેષ પ્રકૃતિઓની ઉદીરણા પોતાના ઉદય પર્યત થાય છે. ટીકાનુ–સાત, અસાતવેદનીય અને મનુષ્યાયુની ઉદીરણા પ્રમત્ત સંયત ગુણસ્થાનક પર્યત થાય છે, અપ્રમત્તાદિ ગુણસ્થાનકે થતી નથી. કારણ કે એ ત્રણ પ્રકૃતિની ઉદીરણામાં પ્રમત્તદશાના પરિણામ હેતુ છે, છઠ્ઠા સુધી જ પ્રમત્ત દશા છે માટે ત્યાં સુધી જ ઉદીરણા થાય છે, આગળના ગુણસ્થાનકે અપ્રમત્તદશા હોવાથી થતી નથી. સાત–અસાતવેદનીય અને મનુષ્ય આયુ વિના જે પ્રકૃતિઓનો અયોગી કેવળી ગુણસ્થાનકે ઉદય છે તેની ઉદીરણા સયોગીકેવળી ગુણસ્થાનક પર્યત થાય છે. એટલે કે સાતઅસાત વેદનીય અને મનુષ્ય આયુ વિના શેષ જે ત્રસ, બાદર, પર્યાપ્ત, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, તીર્થકર નામકર્મ, સૌભાગ્ય, આદેય, યશકીર્તિ અને ઉચ્ચ ગોત્ર એ દશ પ્રકૃતિઓનો અયોગી કેવળી ગુણસ્થાનકે ઉદય છે, પરંતુ તેઓની ઉદીરણા સયોગી કેવળીગુણસ્થાનકના ચરમસમય પર્યત થાય છે. અયોગીકેવળી ભગવાન યોગના અભાવે કોઈપણ કર્મપ્રકૃતિને ઉદીરતા નથી. તથા પૂર્વોક્ત તેર પ્રકૃતિ સિવાય શેષ પ્રકૃતિઓની ઉદીરણા તે તે પ્રકૃતિઓનો જ્યાં સુધી ઉદય હોય ત્યાં સુધી થાય છે. એટલે કે જે ગુણસ્થાનક પર્યત તેનો ઉદય હોય ઉદીરણા પણ ત્યાં સુધી થાય છે. માત્ર ચરમાવલિકામાં ઉદીરણા થતી નથી, એટલે કે કોઈપણ કર્મપ્રકૃતિની ભોગવતાં ભોગવતાં સત્તામાં એક આવલિકા જ સ્થિતિ શેષ રહે ત્યારે ઉદીરણા થતી નથી. હવે કયા ગુણસ્થાનક પર્યત કઈ કઈ પ્રકૃતિઓની ઉદીરણા પ્રવર્તે છે? તે કહે છે? મિથ્યાત્વમોહનીય, આતપ, સૂક્ષ્મ, સાધારણ, અને અપર્યાપ્તનામરૂપ પાંચ પ્રકૃતિઓની મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક પર્યત ઉદીરણા થાય છે. કારણ કે મિથ્યાત્વમોહનીયનો ઉદય પહેલા ગુણસ્થાનકે જ છે અને આતપાદિ પ્રકૃતિઓના ઉદયવાળા જીવોને પહેલું જ ગુણસ્થાનક હોય છે. અનંતાનુબંધી ચતુષ્ક, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉન્દ્રિયજાતિ સ્થાવર નામકર્મ એ નવપ્રકૃતિની ઉદીરણા સાસ્વાદન ગુણસ્થાનક પર્યત થાય છે. કારણ કે અનંતાનુબંધીનો ઉદય બીજા ગુણસ્થાનક સુધી જ છે, અને શેષ એકેન્દ્રિય જાતિનામકર્માદિ પ્રકૃતિઓના ઉદયવાળા જીવોમાં કરણા પર્યાપ્તાવસ્થામાં જ બીજું ગુણસ્થાનક હોય છે. તે સિવાય હંમેશાં પહેલું ગુણસ્થાનક હોય છે એટલે તે પ્રકૃતિઓને ઉદય બીજા ગુણસ્થાનક સુધી હોવાથી તેની ઉદીરણા પણ બીજા ગુણસ્થાનક સુધી જ થાય છે.
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy