SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થદ્વાર ४४७ પુષ્કળ ધૂળ લાગવા વડે જેનું શરીર અત્યંત મલિન થયું છે છતાં પણ જેઓના ચિત્તમાં તે મેલને દૂર કરવાનો સંકલ્પ પણ નથી, પરંતુ સમ્યજ્ઞાન, દર્શન ચારિત્રરૂપ નિર્મળ જળના પ્રવાહ વડે કર્મરૂપ મેલને જ દૂર કરવા જેઓ પ્રયત્નવંત છે તેવા મુનિરાજે મળથી થતી પીડાને સમભાવે સહન કરવી તે મનપરિષહવિજય. ગચ્છમાં વસતા અગર ગચ્છમાં નહિ વસતા મુનિરાજને પોલાણ વિનાના દર્ભાદિ ઘાસના ઉપભોગની પ્રભુએ આજ્ઞા આપી છે. તેમાં જે મુનિરાજને પોતાના ગુરુએ દર્ભાદિ ઘાસ ઉપર શયન કરવાની અનુજ્ઞા આપી છે તે જ મુનિરાજો દર્માદિ ઘાસ ઉપર સંથારો અને ઉત્તરપટ્ટો પાથરીને સૂઈ જાય છે, અથવા જેનાં ઉપકરણોને ચોરો ચોરી ગયા છે અગર તો અતિજીર્ણ થવાથી ફાટી ગયા છે તેવા મુનિઓ પોતાની પાસે સંથારો અને ઉત્તરપટ્ટો નહિ હોવાથી દર્ભ આદિ પાથરી સૂઈ જાય છે, તેવા ઘાસ પર સૂતા, પૂર્વે અનુભવેલ મખમલની શપ્યા આદિને યાદ પણ નહિ કરતા તે ઘાસના અગ્રભાગાદિ ભોંકાવા દ્વારા થતી પીડાને સમભાવે સહન કરવી તે તૃણસ્પર્શપરિષહવિજય.. જે મહાશયોએ બંધ અને મોક્ષનું સ્વરૂપ જાણ્યું છે, જેઓ પવનની જેમ નિઃસંગતા ધારણ કરે છે, જેઓ દેશ અને કાળને અનુસરી સંયમવિરોધી માર્ગમાં જવાનો ત્યાગ કરનારા છે, તથા જેઓ આગમમાં કહેલ માસકલ્પની મર્યાદાને અનુસરી વિહાર કરનારા છે, એવા મુનિરાજે કઠોર કાંકરા અને કંટકાદિ વડે પોતાના પગમાં અત્યંત પીડા થવા છતાં પણ પૂર્વે પોતે સેવેલા વાહનાદિમાં જવાનું સ્મરણ નહિ કરતાં ગ્રામાનુગ્રામ વિહાર કરવો તે ચર્યાપરિષહવિજય. દેશપરિષદમાં દંશ શબ્દનું ગ્રહણ શરીરને ઉપઘાત કરનારાં સઘળાં જંતુઓને ગ્રહણ કરવા માટે છે. જેમ કાગડાથી ઘીનું રક્ષણ કરવું એમ કહેવામાં આવે ત્યાં કાગડા શબ્દનું ગ્રહણ ઘી ખાઈ જનાર કાગડા સિવાય અન્ય પક્ષીઓના ગ્રહણ માટે પણ કર્યું છે તેમ અહીં પણ સમજવું. તેથી ડાંસ, મચ્છર માંખીઓ, માંકડ, કીડા, કીડીઓ અને વીંછી આદિ જંતુઓ વડે પીડા પામવા છતાં પણ તે સ્થાનથી અન્યત્ર નહિ જતા અને તે દેશ-મચ્છરાદિ જંતુઓને ત્રિવિધ ત્રિવિધે પીડા નહિ કરતા તેમ જ વીંજણાઆદિ વડે તેને દૂર પણ નહિ કરતા તે ડાંશ-મચ્છરાદિથી થતી બાધાને સમભાવે સહન કરવી તે દેશપરિષહવિજય. આ અગિયારે પરિષહો સયોગી કેવલી ભગવાનને સંભવે છે. ૨૧ હવે કયા કર્મના ઉદયથી આ અગિયાર પરિષણો ઉત્પન્ન થાય છે તે કહે છે – वेयणीयभवा एए पन्नानाणा उ आइमे । अट्ठमंमि अलाभोत्थो छउमत्थेसु चोद्दस ॥२२॥ वेदनीयभवा एते प्रज्ञाऽज्ञाने तु आदिमे ।। अष्टमे अलाभोत्थः छद्मस्थेषु चतुर्दश ॥२२॥ અર્થ–પૂર્વોક્ત અગિયાર પરિષદો વેદનીયકર્મથી ઉત્પન્ન થયેલા છે. જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છતાં પ્રજ્ઞા અને અજ્ઞાન પરિષહ ઉત્પન્ન થાય છે અને અંતરાયનો ઉદય છતાં
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy