SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ४४४ પંચસંગ્રહ-૧ આ પ્રમાણે વિચાર કરે– અહો ! આ આશ્ચર્ય છે કે સકળગુણસંપન્ન તીર્થકરોએ પ્રરૂપેલ, હુરાયમાન તેજવાળું પ્રવચન વિદ્યમાન છતાં પણ મહામોહરૂપ અંધકાર વડે અવરાઈ ગયેલો છે સાચો માર્ગ જેની અંદર એવા આ ગહન સંસારમાં દુઃખથી ભરેલું છે અંતઃકરણ જેઓનું એવા મૂઢમનવાળા આત્માઓ ભમ્યા જ કરે છે. માટે હું આ જીવોને આ સંસારમાંથી આ પવિત્ર પ્રવચન વડે યથાયોગ્ય રીતે પાર ઉતારું ! આ પ્રમાણે વિચાર કરે. અને એ પ્રમાણે વિચારીને પરાર્થવ્યસની કરુણાદિ ગુણયુક્ત અને પ્રત્યેક ક્ષણે પરોપકાર કરવામાં જ વધતી જતી છે ઇચ્છા જેની એવા તે મહાત્મા હંમેશાં જે જે રીતે બીજાનો ઉપકાર થાય, બીજાનું ભલું થાય એટલે તેઓના આત્માનો ઉદ્ધાર થાય છે તે રીતે પ્રવૃત્તિ કરે છે. માત્ર વિચાર કરી બેસી રહેતા નથી. આ પ્રમાણે પ્રાણીઓનું કલ્યાણ કરવા દ્વારા ઉપકાર કરતા તીર્થકર નામકર્મ ઉપાર્જન કરીને પરમપુરુષાર્થનું–મોક્ષનું સાધન તીર્થંકરપણું પ્રાપ્ત કરે છે. ' કહ્યું છે કે સમ્યક્તના બળથી સંસારની નિર્ગુણતાને સમ્યક્ઝકારે જોઈને તથાભવ્યત્વના યોગે તે મહાશય તેની વિચિત્રતાનો વિચાર કરે. ૧. વિચાર આ પ્રમાણે કરે–આ સર્વજ્ઞભાષિત ધર્મનું તેજ છતાં પણ મહામોહરૂપ અંધકાર વડે ગહન આ સંસારમાં દુઃખ પામતા આત્માઓ પરિભ્રમણ કર્યા જ કરે છે. ૨. માટે આ સઘળા જીવોને દુઃખથી ભરેલા આ સંસારમાંથી યથાયોગ્યપણે કોઈ પણ રીતે આ પરમ પવિત્ર પ્રવચન વડે પાર ઉતારું, એવો શ્રેષ્ઠ સમ્યક્ત યુક્ત તે મહાત્મા વિચાર કરે. ૩ એ પ્રમાણે વિચાર કરીને કરુણાદિ ગુણયુક્ત, પરોપકાર કરવામાં વ્યસની અને અન્ય આત્માઓના કલ્યાણ કરવાની જ વધતી જતી છે ભાવના જેની એવા તે બુદ્ધિમાનું મહાત્મા તે તે પ્રકારે પ્રવૃત્તિ કરે. ૪ આ પ્રમાણે પ્રાણીઓનું કલ્યાણ કરતા સત્ય અર્થવાળું અને પરમ પુરુષાર્થનું સાધન તીર્થંકરપણું પ્રાપ્ત કરે. ૫ અહીં પહેલી ગાથામાં અને એ પદ વડે સમ્યક્તનું ગ્રહણ કર્યું છે. આ પ્રમાણે સઘળા આત્માઓને સંસારમાંથી પાર ઉતારવાની તીવ્ર ભાવના વડે આત્મા તીર્થંકર નામકર્મ બાંધે છે. તથા સમ્યક્ત પ્રાપ્ત કરીને પોતાના સ્વજનાદિના વિષયમાં યથોક્ત ચિંતા કરે એટલે માત્ર સ્વજનોને જ તારવાનો વિચાર કરે અને તે પ્રમાણે પ્રવૃત્તિ કરે તે ધીમાન્ આત્મા ગણધર લબ્ધિ પ્રાપ્ત કરે છે. જે આત્મા સમ્યક્ત પ્રાપ્ત થયે છતે ભવની નિર્ગુણતાને જોઈને નિર્વેદ થવાથી માત્ર પોતાનો જ ઉદ્ધાર ઇચ્છે અને તે પ્રમાણે પ્રવૃત્તિ કરે છે તે મુંડકેવળી થાય છે. કહ્યું છે કે – જે સ્વજનાદિ સંબંધે જ તારવાનો વિચાર કરે અને તે પ્રકારે પ્રવૃત્તિ કરે તે બુદ્ધિમાનું ૧. ગણધર અને આચાર્ય આદિ થવાનાં હેતુભૂત કર્મનો તીર્થંકરનામકર્મમાં જ સમાવેશ થયેલો છે એમ સમજવું.
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy