________________
ચતુર્થદ્વાર
હવે અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકે બંધહેતુના ભાંગા કહે છે—અનિવૃત્તિ બાદર સંપરાય ગુણઠાણે જધન્યપદે બે બંધહેતુ હોય છે અને તે આ સંજ્વલન ચાર કષાયમાંથી કોઈ પણ એક ક્રોધાદિ કષાય અને નવ યોગમાંથી કોઈ પણ એક યોગ. ચાર કષાયને નવ યોગ સાથે ગુણતાં બે બંધહેતુના છત્રીસ થાય.
ઉત્કૃષ્ટપદે ત્રણ હેતુઓ હોય છે. તેમાં બે તો પહેલાં કહ્યા તે અને ત્રીજો કોઈ પણ એક વેદ. આ ગુણઠાણે જ્યાં સુધી પુરુષવેદ અને સંજ્વલનની ચાર એમ પાંચ પ્રકૃતિઓનો બંધ હોય છે ત્યાં સુધી વેદનો પણ ઉદય હોય છે. માટે ત્રણ વેદમાંથી કોઈ પણ એક વેદ મેળવતાં ત્રણ બંધહેતુ થાય છે. તે ત્રણ હેતુના પૂર્વોક્ત છત્રીસને ત્રણે ગુણતાં એકસો આઠ ૧૦૮ ભાંગા થાય.
સઘળા મળી અનિવૃત્તિ બાદર સંપરાય ગુણઠાણે એકસો ચુંમાળીસ ૧૪૪ ભાંગા થાય. સૂક્ષ્મ સંપ૨ાય ગુણઠાણે સૂક્ષ્મકિટ્ટિરૂપે કરાયેલ સંજ્વલન લોભરૂપ કષાય અને નવ યોગ એમ દશ બંધહેતુ હોય છે. એક જીવને એક સમયે લોભ કષાય અને એક યોગ એમ બે હેતુ હોય છે અને અનેક જીવઆશ્રયી તે એક કષાયને નવ યોગ સાથે ગુણતાં નવ ભાંગા થાય.
૪૨૯
ઉપશાંતમોહ ગુણસ્થાને માત્ર યોગ જ બંધહેતુ છે અને તે નવમાંથી કોઈ પણ એક એક યોગ એક કાલે બંધહેતુ હોવાથી તેના નવ ભાંગા થાય છે.
એ પ્રમાણે ક્ષીણમોહ ગુણસ્થાનકે પણ નવ ભાંગા થાય છે.
સંયોગી કેવળી ગુણસ્થાનકે સાત યોગ થવાથી સાત ભાંગા થાય છે. ૧૩
હવે સઘળા ગુણસ્થાનકના બંધહેતુના ભાંગાની સંખ્યા કહે છે—
सव्वगुणठाणगेसु विसेसहेऊण एत्तिया संखा ।
छायाललक्ख बासीइ सहस्स सय सत्त सयरी अ ॥१४॥
सर्व्वगुणस्थानकेषु विशेषहेतूनामेतावती संख्या ।
षट्चत्वारिंशल्लक्षाः द्व्यशीतिसहस्राणि शतानि सप्त सप्ततिश्च ॥१४॥
અર્થસધળાં ગુણસ્થાનકોમાં એક સાથે સંભવતા દશાદિરૂપ વિશેષ બંધહેતુના સઘળા ભાંગાની સંખ્યા આટલી થાય અને તે આ પ્રમાણે—છેતાળીસ લાખ બ્યાશી હજાર સાતસો અને સિત્તેર ૪૬૮૨૭૭૦, ૧૪
આ પ્રમાણે ગુણસ્થાનકોમાં યુગપત્ કાળભાવિ બંધહેતુઓ અને તેના ભાંગાની સંખ્યા કહી. હવે જીવસ્થાનકોમાં યુગપત્કાળભાવિ બંધહેતુની સંખ્યાનું પ્રતિપાદન કરવા કહે છે सोलसद्वारस हेऊ जहन्न उक्सया असन्नीणं । चोद्दसद्वारसऽपज्जस्स सन्निणो सन्निगुणगहियो ॥१५॥
षोडशाष्टादश हेतू जघन्योत्कृष्टकावसंज्ञिनाम् । चतुर्दशाष्टादशापर्याप्तकस्य संज्ञिनः संज्ञी गुणगृहीतः ॥ १५ ॥