SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ પંચસંગ્રહ-૧ સંપરાયયરૂપ સર્વવિરતિ ચારિત્ર એ અઢાર ગુણો પ્રગટ થાય છે. અહીં શંકા થાય કે–જ્ઞાન એ આત્માનો મૂળગુણ હોવાથી ગાથામાં જ્ઞાનાદિ ગુણો છોડીને “ગુ વરિત્તા ચારિત્રાદિ ગુણો એમ કેમ કહ્યું? તેના ઉત્તરમાં જણાવે છે કે ચારિત્રગુણ જ્યારે પ્રગટ થાય છે ત્યારે જ્ઞાન અને દર્શન અવશ્ય હોય જ છે એ જણાવવા ગાથામાં એમ કહ્યું છે. ક્ષાયિક ભાવ જ્યારે પ્રવર્તે ત્યારે કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિક સ ત્ત્વ, યથાખ્યાત ચારિત્ર, અને દાનાદિ પાંચ લબ્ધિ, એ નવ ગુણો ઉત્પન્ન થાય છે. તેમાં જ્ઞાનાવરણીયનો સર્વથા ક્ષય થવાથી કેવળજ્ઞાન, દર્શનાવરણીયનો ક્ષય થવાથી કેવળદર્શન, મોહનીય કર્મનો ક્ષય થવાથી ક્ષાયિક સમ્યક્ત અને યથાખ્યાત ચારિત્ર, અને અંતરાયકર્મનો ક્ષય થવાથી પૂર્ણ દાનાદિ પાંચ લબ્ધિ પ્રગટ થાય છે. તેમજ સઘળા કર્મનો ક્ષય થવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. ઔદાયિકભાવ જ્યારે પ્રવર્તે ત્યારે તે તે કર્મના ઉદયને અનુસરીને આત્માનો વ્યપદેશ થાય છે. જેમ કે–પ્રબળ જ્ઞાનાવરણીયના ઉદયે અજ્ઞાની, પ્રબળ દર્શનાવરણીયના ઉદયે અંધ બધિર-બહેરો બોબડો એમ કોઈપણ એક અંગની ચેતના રહિત ઇત્યાદિ, વેદનીયના ઉદયે સુખી દુઃખી, ક્રોધાદિના ઉદયે ક્રોધી, માની, માયી, લોભી ઇત્યાદિ, નામકર્મના ઉદયે મનુષ્ય દેવ ૧. ક્ષાયિક ભાવના નવ ભેદોમાંથી સિદ્ધના જીવોને ફક્ત કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બે ભેદ હોય છે. બાકીના ક્ષાયિક સમ્યક્ત, ક્ષાયિકચારિત્ર અને દાનાદિ લબ્ધિઓ એ સાત ભેદ હોતા નથી. દર્શનમોહનીયત્રિક અને અનન્તાનુબંધીચતષ્કના ક્ષય રૂપ નિમિત્તથી પ્રાપ્ત થયેલી તત્ત્વચિ તે ક્ષાયિક સમ્યગ્દર્શન કહેવાય છે, અને તે રુચિ મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી પ્રગટ થયેલ મતિજ્ઞાનના અપાયરૂપ છે. મતિજ્ઞાનના અપાયાંશરૂપ રુચિ કેવલજ્ઞાની કે સિદ્ધને હોતી નથી, માટે તેમને ક્ષાર્ષિક સમ્યક્ત નથી પરનું દર્શનમોહનીય અને અનંતાનુબંધી કષાયના ક્ષયથી જે આત્મિક ગુણ રૂપ ક્ષાયિક સમ્યગ્દર્શન પ્રગટ થાય છે તે કેવળજ્ઞાની કે સિદ્ધને હોય છે. ક્ષાયિક ચારિત્ર સિદ્ધાત્માઓનું હોતું નથી, કારણ કે હિંસાદિ સાવદ્યયોગનો ત્યાગ કરી અહિંસાદિ નિરવદ્ય યોગનું સેવન કરવું તેને ચારિત્ર કહે છે, અને સિદ્ધના જીવો યોગ રહિત હોવાથી તેને યોગની પ્રવૃત્તિરૂપ ચારિત્ર નથી. પરન્તુ મોહનીયકર્મના ક્ષયથી પ્રગટ થયેલ સ્વરૂપમાં રમણતા રૂપ જે ક્ષાયિકચારિત્ર તે સિદ્ધને વિષે અવશ્ય હોય છે. વળી સિદ્ધોને વિષે પ્રવૃત્તિરૂપ દાનાદિક નથી, પણ લબ્ધિરૂપે તો હોય છે. કારણ કે અન્તરાય કર્મના ક્ષયથી, આત્મિકગુણરૂપ દાનાદિક લબ્ધિઓ ક્ષાયિક ભાવે પ્રકટ થાય છે, અને તે સિદ્ધોને અવશ્ય હોય છે પ્રશ્ન–હે ભગવન્! સિદ્ધના જીવોને અત્તરાયકર્મના ક્ષયથી દાનાદિક લબ્ધિઓ પ્રગટ થાય છે, પરંતુ તેઓની દાનાદિને વિષે પ્રવૃત્તિ હોતી નથી, તો શું દાનાદિક લબ્ધિઓ નિષ્ફળ છે ? ઉત્તર–બાપુ ! તમારી શંકા ઉચિત છે. સિદ્ધને વિષે દાનાદિક લબ્ધિઓ હોય છે, પરન્તુ તેઓની વ્યાવહારિક દાનાદિકને વિષે પ્રવૃત્તિ નથી પણ તેઓને નૈૠયિક દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યલબ્ધિ હોય છે. તેઓમાં પરભાવ-પૌદ્ગલિક ભાવના ત્યાગરૂપ દાન, આત્મિક શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિરૂપ લાભ, આત્મિક શુદ્ધ સ્વરૂપના અનુભવવારૂપ ભોગ-ઉપભોગ અને સ્વભાવમાં પ્રવૃત્તિરૂપ વીર્ય હોય છે. પોતાની વસ્તુને આપવી, ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ થવી, ભોગ્ય અને ઉપભોગ્ય વસ્તુનો ઉપયોગ કરવો, અને પોતાની શક્તિનો ઉપયોગ કરવો તે ક્ષાયોપથમિક અને વ્યાવહારિક દાનાદિક કહેવાય છે. અને તે સિદ્ધના જીવોને હોતા નથી, પણ ક્ષાયિક અને નૈઋયિક દાનાદિ સિદ્ધાત્મામાં હોય છે, માટે દાનાદિ લબ્ધિઓ નિષ્ફલ નથી. જુઓ પંડિત ભગવાનદાસભાઈએ લખેલ નવતત્ત્વવિવરણ પાનું ૧૫૬.
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy