SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ પંચસંગ્રહ-૧ ઉત્તર–મૂળ મતે આઠ રાજ, ક્ષાયિક સમ્યક્ત સહિત ત્રીજી નરકે જાય તે મતે નવ રાજ, અને ક્ષાયોપશમ સમ્યક્ત લઈ છ8ી નરકે જાય તે મતે બાર રાજની સ્પર્શના હોય. પ્રશ્ન–૨૫. અહીંથી સામાન્યથી ત્રીજી નરકે ત્રણ રાજ અને છઠ્ઠી નરકે છ રાજ થાય છે તો ત્રીજી નરકમાં જતાં બે રાજ અને છઠ્ઠી નરકમાં જતાં પાંચ રાજની સ્પર્શના કેમ કહી ? ઉત્તર–ત્રીજી અને છઠ્ઠી નરકના નીચેના અંત ભાગ સુધી એટલે ચોથી અને સાતમી નરકના ઉપરના ભાગ સુધી ત્રણ અને છ રાજ થાય એ વાત બરાબર છે પરંતુ નરક પૃથ્વી ત્રીજા તથા છઠ્ઠા રાજમાં શરૂઆતના એક લાખ અઠ્યાવીસ હજાર, અને એક લાખ સોળ હજાર યોજન પ્રમાણ ભાગમાં છે અને તે રાજની અપેક્ષાએ તદ્દન અલ્પ હોવાથી તેની અવિવક્ષા કરી અનુક્રમે બે રાજ અને પાંચ રાજ કહ્યા છે. પ્રશ્ન-૨૬. ઉપરના સાત રાજની ગણતરીમાં શું મતાન્તર છે ? ઉત્તર–જીવસમાસાદિના મતે તિચ્છલોકના મધ્યભાગથી ઈશાને દોઢ, મહેન્દ્ર અઢી, સન્નારે પાંચ, અચ્યતે અને લોકાન્ત સાત રાજ થાય છે. અહીં આ મત ગ્રહણ કરેલ છે. પરંતુ બૃહત્સંગ્રહણી આદિના મતે સૌધર્મે એક, માહેન્દ્ર બે, લાન્તકે ત્રણ, સહસ્રાવે ચાર, અચ્યતે પાંચ, રૈવેયકે છે અને લોકાન્ત સાત રાજ થાય છે. પ્રશ્ન–૨૭. ક્યાં સુધીના દેવો ગમનાગમન કરે ? ઉત્તર-બાર દેવલોક સુધીના. પ્રશ્ન-૨૮. સાસ્વાદન ગુણસ્થાનક લઈને કોઈ જીવ અધોલોકમાં જાય કે ન જાય ? ઉત્તર–સાસ્વાદન ગુણસ્થાનક લઈને ઘણું કરી અધોલોકમાં ન જાય પણ ઊર્ધ્વલોકમાં જાય. પ્રશ્ન–૨૯. એવા કયા જીવો છે કે જેનું જઘન્ય-ઉત્કૃષ્ટ બન્ને પ્રકારનું આયુ અન્તર્મુહૂર્ત હોય પણ તેથી અધિક ન હોય? ઉત્તર–સૂક્ષ્માદિક સાતે અપર્યાપ્ત તથા સૂક્ષ્મ પર્યાપ્ત. પ્રશ્ન-૩૦. એવા કયા દેવો છે કે જેનું ઉત્કૃષ્ટ અને જઘન્ય આયુ તુલ્ય હોય. ઉત્તર-સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો. પ્રશ્ન-૩૧. ચાર નિકાયના દેવોમાંથી કઈ નિકાયના દેવોનું જઘન્ય આયુ દસ હજાર વર્ષ હોય ? ઉત્તર–ભવનપતિ અને વ્યંતર પ્રશ્ન–૩૨. સાદિ સપર્યવસિત મિથ્યાત્વ ગુણસ્થાનકનો જઘન્ય-ઉત્કૃષ્ટ કાળ કેટલો ? ઉત્તર–જઘન્ય અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન. પ્રશ્ન–૩૩. છ માસની ઉંમરે ભાવ ચારિત્રનો સ્વીકાર કોણે કર્યો? ઉત્તર–શ્રી વજરવામીએ.
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy