SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ યોગોપયોગમાર્ગણાનો વિચાર કરવા ઇચ્છતા શરૂઆતમાં યોગોનું સ્વરૂપ કહે છે— सच्चमसच्चं उभयं असच्चमोसं मणोवई अट्ठ । वेउव्वाहारोरालमिस्ससुद्धाणि कम्यगं ॥४॥ सत्यमसत्यमुभयमसत्यामृषं मनो - वचांस्यष्टौ । वैक्रियाहारोरालमिश्रशुद्धानि कर्मजकम् ॥४॥ પંચસંગ્રહ-૧ અર્થ—સત્ય, અસત્ય, ઉભય-મિશ્ર અને અસત્યામૃષા એમ મન અને વચન ચાર પ્રકારે હોવાથી કુલ આઠ, તથા વૈક્રિય, આહારક અને ઔદારિક એ ત્રણ મિશ્ર અને શુદ્ધ તથા કાર્પણ એ પ્રમાણે કાયયોગના સાત મળી કુલ યોગના પંદર ભેદ થાય છે. ટીકાનુ—જો કે મન, વચન અને કાયાનાં પુદ્ગલોના અવલંબનથી ઉત્પન્ન થયેલો જે વીર્યવ્યાપાર તે યોગ કહેવાય છે, છતાં અહીં જે પુદ્ગલો વીર્ય-વ્યાપારમાં કારણ છે તે મન, વચન અને કાયાનાં પુદ્ગલોમાં જ કાર્યનો આરોપ કરીને તે પુદ્ગલોને યોગ શબ્દથી વિવશ્યા છે. તેમાં સત્ય, અસત્ય, સત્યાસત્ય, અને અસત્યામૃષા એમ મન ચાર પ્રકારે છે. તેમાં સત્ય શબ્દનો અર્થ આ પ્રમાણે-‘સન્તો મુનય: પવાર્થા વા તેષુ-સત્તુ સાધુ સત્સં’-સત્ એટલે મુનિ અથવા પદાર્થ. તે મુનિ અને પદાર્થને સાધુ-હિતકર તે સત્ય મન કહેવાય. કારણ કે તે મુનિઓને મુક્તિ પ્રાપ્ત કરાવનાર અને પદાર્થના યથાર્થ સ્વરૂપનું ચિંતન કરનાર છે. જેમકે જીવ છે, તે દ્રવ્યરૂપે સત્ અને પર્યાયરૂપે અસત્ છે અને પોતપોતાના શરીરપ્રમાણ છે ઇત્યાદિરૂપે જે પ્રકારે વસ્તુ સ્વરૂપ છે તે જ પ્રકારે તેનો વિચાર કરવામાં તત્પર મન તે સત્યમન છે. સત્યથી વિપરીત તે અસત્ય, જેમકે જીવન નથી, અથવા એકાંત નિત્ય કે એકાંત અનિત્યરૂપ છે ઇત્યાદિ જે પ્રકારે વસ્તુ સ્વરૂપ નથી તે પ્રકારે તેનો વિચાર કરવામાં તત્પર મન તે અસત્ય મન કહેવાય. સત્યાસત્ય એટલે કંઈક સત્ય, કંઈક અસત્ય, મિશ્રિત થયેલ હોય તે. જેમકે ધવ, ખેર અને પલાશાદિ વડે મિશ્ર ઘણા અશોક વૃક્ષવાળા વનને, ‘આ અશોકવન જ છે' એવો વિકલ્પ કરવામાં તત્પર તે સત્યાસત્ય-મિશ્ર મન કહેવાય. અહીં ઘણાં અશોકવૃક્ષો હોવાથી સત્ય છે અને ધવાદિ બીજાં વૃક્ષો હોવાથી અસત્ય છે. આ પ્રમાણે કંઈક સત્ય અને કંઈક અસત્ય હોવાથી મિશ્ર મનોયોગ કહેવાય છે. વ્યવહાર નયના મતની અપેક્ષાએ આ પ્રમાણે બોલાય છે, વાસ્તવિક રીતે (નિશ્ચયનયથી) તો અસત્યમાં જ તેનો અંતર્ભાવ થાય છે, કારણ કે જે સ્વરૂપે વસ્તુનો વિચાર કર્યો છે તે પ્રકારે તે વસ્તુ નથી. તથા જે મન સત્યરૂપ નથી તેમ જ અસત્યરૂપ પણ નથી, તે અસત્યામૃષા મન કહેવાય છે. એટલે કે જ્યારે મન દ્વારા જે વિચાર થાય છે તે સત્યરૂપ ન હોય તેમ જ અસત્યરૂપ પણ ન હોય ત્યારે તે અસત્ય-અમૃષા કહેવાય છે. અહીં સત્ય અને અસત્યનું સ્વરૂપ કહે છે—જ્યારે વિપત્તિપત્તિ-વિવાદ ઉપસ્થિત થાય ત્યારે પદાર્થને સ્થાપન કરવાની બુદ્ધિથી સર્વજ્ઞના મતને અનુસરીને જે વિકલ્પ-વિચાર કરવામાં આવે, જેમકે—જીવ છે અને તે દ્રવ્યરૂપે સત્ અને પર્યાયરૂપે અસત્ છે તે સત્ય કહેવાય. કારણ કે આ પ્રમાણે નિર્ણય કરવામાં આરાધક ભાવ છે. અને જ્યારે વિવાદ થાય ત્યારે પોતાના મત પ્રમાણે વસ્તુનું સ્થાપન કરવાની બુદ્ધિથી સર્વજ્ઞના મતથી વિપરીત વિકલ્પ-વિચાર કરવામાં આવે, જેમકે—જીવ નથી, અથવા
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy