________________
૨૧૦
પંચસંગ્રહ-૧ થાય છે. તેથી જ નવ દિવસના આયુવાળા અતિ વિશુદ્ધ સમ્યગ્દષ્ટિનું સહસ્ત્રાર દેવલોકપર્યત ગમન સંભવે છે.
આનત કલ્પથી આરંભી અશ્રુત દેવલોક સુધીના દેવોમાંથી અવી મનુષ્યમાં ઉત્પન્ન થઈ ફરી આનતાદિ દેવલોકમાં ઉત્પન્ન થવાનો જઘન્ય અંતરકાળ નવ માસ છે. આનત દેવલોકથી અશ્રુત દેવલોક સુધીમાં ઉત્પન્ન થવા યોગ્ય વિશિષ્ટ વિશિષ્ટતર પરિણામનો નવ માસના આયુવાળાને સંભવ છે. તેથી જ ઓછામાં ઓછા તેટલા આયુવાળો વિશિષ્ટ વિશિષ્ટતર પરિણામને યોગે આનતથી અશ્રુત દેવલોક સુધીમાં જવા યોગ્ય કર્મ ઉપાર્જન કરી ત્યાં જાય છે.
તથા પ્રથમ રૈવેયકથી આરંભી સર્વાર્થસિદ્ધ મહાવિમાન વર્જી શેષ ચાર અનુત્તર દેવ સુધીના દેવોમાંથી અવી મનુષ્ય થઈ ફરી પોતાના તે જ દેવલોકમાં ઉત્પન્ન થવાનું જઘન્ય અંતર નવ વર્ષ છે. પ્રકૃષ્ટ દ્રવ્ય અને ભાવ ચારિત્રની પ્રાપ્તિનો નવ વર્ષના આયુવાળાને સંભવ છે, તેથી જ તેવા આત્માનું અનુત્તરસુર પર્વત ગમન સંભવે છે.
| સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાંથી એવી મનુષ્ય થઈ ફરી સર્વાર્થસિદ્ધમાં કોઈ જતા જ નથી પરંતુ મોક્ષમાં જ જાય છે, તેથી તેનું વર્જન કર્યું છે. ૫૯ હવે પૂર્વોક્ત સ્થાનોનું ઉત્કૃષ્ટ અંતર કહે છે –
थावरकालुक्कोसो सव्वद्वे बीयओ न उववाओ । दो अयरा विजयाइसु नरएसु वियाणुमाणेणं ॥६०॥ स्थावरकाल उत्कृष्टः सर्वार्थे द्वितीयो नोपपातः ।
द्वे अतरे विजयादिषु नरकेषु विजानीहि अनुमानेन ॥६०॥
અર્થ નવમા સૈવેયક સુધીના સઘળા દેવોનું ઉત્કૃષ્ટ અંતર સ્થાવરનો કાળ સમજવો. સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં બીજી વાર ઉપપાત થતો નથી. વિજયાદિ ચારમાં બે સાગરોપમ અંતરકાળ છે. અને નરકોમાં આ જ અનુમાન વડે અંતરકાળ સમજવો.
ટીકાનુ—ભવનપતિથી આરંભી નવમ સૈવેયક સુધીના સઘળા દેવોમાંથી ઍવી ફરી પોતાની તે જ દેવનિકાયમાં ઉત્પત્તિનું ઉત્કૃષ્ટ અંતર સ્થાવરની સ્વકાસ્થિતિ આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમયરાશિપ્રમાણ અસંખ્યય પુદ્ગલપરાવર્તનરૂપ કાળ સમજવો.
સર્વાર્થસિદ્ધ મહાવિમાનના દેવો ત્યાંથી ચ્યવી મનુષ્ય થઈ તે જ ભવમાં મોક્ષમાં જાય છે. કારણ કે તેઓ સઘળા એકાવતારી છે. તેથી તેઓ ફરી તેમાં ઉત્પન્ન થતા નથી. એટલે તેઓમાં જઘન્ય કે ઉત્કૃષ્ટ કંઈપણ અંતર નથી માટે કહ્યું નથી.
તથા વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત એ ચાર અનુત્તર દેવોમાંથી અવી મનુષ્ય થઈ વિજયાદિ દેવોમાં ઉત્પત્તિનું ઉત્કૃષ્ટ અંતર બે સાગરોપમ છે. વિજયાદિમાંથી આવી ફરી વિજયાદિમાં ઉત્પન્ન થાય તો મનુષ્ય અને સૌધર્માદિ દેવભવોમાં ઉત્કૃષ્ટ બે સાગરોપમ કાળ