SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ પંચસંગ્રહ-૧ આ પ્રમાણે દરેક ગુણસ્થાનકોનો એક જીવ આશ્રયી કાળ કહ્યો. હવે કાયસ્થિતિનું પ્રમાણ કહે છે एगिदियाणणंता दोण्णि सहस्सा तसाण कायठिई । अयराण इग पणिदिसु नरतिरियाणं सगट्ठ भवा ॥४६॥ एकेन्द्रियाणामनन्ता द्वौ सहस्रौ त्रसानां कायस्थितिः । अतराणामेकः पञ्चेन्द्रियेषु नरतिरश्चां सप्ताष्टभवाः ॥४६॥ અર્થ–એકેન્દ્રિયોની કાયસ્થિતિ અનન્તા હજાર સાગરોપમ, ત્રસની બે હજાર સાગરોપમ, પંચેન્દ્રિયની એક હજાર સાગરોપમ અને મનુષ્ય તિર્યંચની કાયસ્થિતિ સાત આઠ ભવ છે. ટીકાન–વારંવાર તે જ એકેન્દ્રિયાદિ ભવોમાં ઉત્પન્ન થવું. જેમ કે એકેન્દ્રિયમાં મરી ફરી ફરી એકેન્દ્રિય થવું, બેઇન્દ્રિયમાં મરી ફરી ફરી બેઇંદ્રિય થવું. તે કાયસ્થિતિ કહેવાય છે. એકેન્દ્રિયની કાયસ્થિતિ અનંતા હજાર સાગરોપમ એટલે કે અનંતી ઉત્સપ્પિણી અવસપ્પિણી પ્રમાણ છે. પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે—હે પ્રભો ! એકેન્દ્રિયો એકેન્દ્રિયરૂપે કાળથી કેટલો કાળ હોય ? હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત હોય, ઉત્કૃષ્ટથી અનંત ઉત્સર્પિણી અવસપ્પિણી પ્રમાણ અનંતકાળ હોય, ક્ષેત્રથી અનંત લોક પ્રમાણ, આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલા અસંખ્યાતા સમય પ્રમાણ અસંખ્યાતા ક્ષેત્ર પુગલ પરાવર્તન જેટલી હોય છે.' અનંતા હજાર સાગરોપમ પ્રમાણ એકેન્દ્રિયોની આ કાયસ્થિતિ વનસ્પતિની અપેક્ષાએ જાણવી, શેષ પૃથ્વીકાયાદિની અપેક્ષાએ નહિ. કારણ કે વનસ્પતિ સિવાય પૃથ્વીકાયાદિ સઘળાની કાયસ્થિતિ અસંખ્ય કાળ પ્રમાણ જ છે. પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે – હે પ્રભો ! પૃથ્વીકાય જીવનો પૃથ્વીકાયપણામાં કેટલો કાળ જાય ? હે ગૌતમ ! કાળ આશ્રયી જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ અસંખ્યાતો કાળ જાય. ક્ષેત્રથી અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ કાળ જાય. એ પ્રમાણે અષ્કાય, તેઉકાય અને વાઉકાય માટે પણ સમજવું. હે પ્રભો ! વનસ્પતિકાયનો વનસ્પતિકાયપણામાં કાળ આશ્રયી કેટલો કાળ જાય ? હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અનંત ઉત્સર્પિણી અવસર્પિણીરૂપ અનંતોકાળ જાય. ક્ષેત્રથી અનંત લોકાકાશ પ્રદેશ પ્રમાણ, અથવા અસંખ્યાતા ક્ષેત્ર પુદ્ગલ પરાવર્તન પ્રમાણ કાળ જાય. અહીં અસંખ્યાતું આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ લેવાનું છે.” અહીં સૂત્રના પાઠમાં જે ક્ષેત્રથી અસંખ્યાતા લોક કહેલા છે, તેનો અર્થ આ પ્રમાણે છે – અસંખ્યાતા લોકાકાશમાં રહેલા પ્રદેશોમાંથી એક એક સમયે એક એક આકાશપ્રદેશનો અપહાર કરતાં જેટલી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી થાય, તેટલી ઉત્સર્પિણી અવસપ્પિણી કાળ પૃથ્વીકાયરૂપે રહે છે.
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy