________________
૧૫૨
પંચસંગ્રહ-૧
બેથી નવ સુધીની સંખ્યાને પૃથક્ત કહે છે. એ જૈન સિદ્ધાંતનો પારિભાષિક શબ્દ છે..
તેથી પંદર કર્મભૂમિમાં પ્રમત્તસંવત મુનિઓ જઘન્યથી પણ બે હજાર ક્રોડથી અધિક હોય છે, અને ઉત્કૃષ્ટથી નવહજાર ક્રોડ હોય છે. તથા અપ્રમત્ત સંયત મુનિઓ પ્રમત્ત સંયતથી અત્યંત અલ્પ છે. ૨૨
एगाइ चउप्पण्णा समगं उवसामगा य उवसंता । अद्धं पडुच्च सेढीए होंति सव्वेवि संखेज्जा ॥२३॥ एकात् चतुःपञ्चाशत् समकमुपशमकाश्चोपशान्ताः ।
अद्धां प्रतीत्य श्रेण्याः भवन्ति सर्वेऽपि संख्येयाः ॥२३॥ અર્થ_એકથી આરંભી ચોપન પર્યત એક સાથે ઉપશમક અને ઉપશાંતમોહી જીવો હોય છે, અને શ્રેણિના કાલ આશ્રયી સઘળા મળીને પણ સંખ્યાતા જ હોય છે.
ટીકાનુ–ઉપશમક એટલે ઉપશમ ક્રિયા કરનારા આઠમા, નવમા અને દસમા ગુણસ્થાનકવર્તી જીવો, અને ઉપશાંત એટલે જેઓએ મોહને સર્વથા શાંત કર્યો છે, તે ઉપશાંતમો ગુણસ્થાનકવર્તી જીવો. આ બંને પ્રકારના જીવો કોઈ વખતે હોય છે, કોઈ વખતે નથી પણ હોતા. કારણ કે ઉપશમશ્રેણિનું અંતર પડે છે. કેટલું અંતર પડે છે તે આગળ ઉપર અંતરદ્વારમાં કહેશે. તેથી ઉપશમક-અપૂર્વકરણ અનિવૃત્તિ બાદરસપરાયવર્તી જીવો તથા ઉપશાંતઉપશાંતમોહ ગુણસ્થાનકવર્તી જીવો જ્યારે હોય છે, ત્યારે જઘન્યથી એક, બે કે ત્રણ હોય છે, અને ઉત્કૃષ્ટથી ચોપન જીવો હોય છે.
આ પ્રમાણ પ્રવેશ કરનાર આશ્રયી કહ્યું છે. એટલે કે આટલા જીવો એક સમયે એક સાથે ઉપશમ શ્રેણિમાં અપૂર્વકરણાદિ ગુણસ્થાનકોની અંદર પ્રવેશ કરતાં હોય છે.
ઉપશમશ્રેણિના સંપૂર્ણ કાલ આશ્રયી વિચારીએ તો સઘળા મળીને પણ સંખ્યાતા જીવો જ હોય છે.
તાત્પર્ય એ કેન્ઉપશમશ્રેણિનો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. તે અંતર્મુહૂર્ત પ્રમાણ ઉપશમશ્રેણિના સઘળા કાળમાં ઉત્તરોત્તર સમયે અન્ય અન્ય જીવો પ્રવેશ કરે તોપણ સંખ્યાતા જીવો જ હોય છે.
પ્રશ્ન—ઉપશમશ્રેણિના અંતર્મુહૂર્ત પ્રમાણ કાળના અસંખ્યાતા સમય થાય છે. તે કાળમાં એક એક સમયે એક એક જીવ પ્રવેશ કરે તો પણ શ્રેણિના સંપૂર્ણ કાળમાં અસંખ્યાતા જીવો સંભવે છે, તો પછી બે, ત્રણથી આરંભી ઉત્કૃષ્ટથી ચોપન સુધીની સંખ્યા પ્રવેશ કરે તો અસંખ્યાતા કેમ ન થાય ? થાય જ. પછી એમ કેમ કહો છો કે ઉપશમ શ્રેણિના સઘળા કાળ આશ્રયી પણ સંખ્યાતા જ જીવો હોય છે ?
ઉત્તર–તમારી આ કલ્પના ત્યારે જ થાય કે જ્યારે શ્રેણિના અંતર્મુહૂર્ત કાળમાં દરેક સમયે જીવો પ્રવેશ કરતા હોય. પરંતુ પ્રત્યેક સમયે જીવો પ્રવેશ જ કરતા નથી પરંતુ કેટલાક સમયોમાં જ કરે છે, તેથી જ ઉપરોક્ત સંખ્યા ઘટી શકે છે.