________________
ક્લિીયવાર
૧૩૩ ટીકાનુ–સાધારણ વનસ્પતિકાયના સૂક્ષ્મ બાદર પર્યાપ્ત અપર્યાપ્ત એ ચારે ભેદો અનંત સંખ્યા પ્રમાણ છે, કારણ કે તે દરેક જીવો અનંત લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે.
શેષ પૃથ્વી, અપુ, તેલ અને વાયુ તે દરેક ભેદ સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત અપર્યાપ્ત એમ ચાર ચાર પ્રકારે, પ્રત્યેક બાદર વનસ્પતિકાય પર્યાપ્ત, અપર્યાપ્ત એ બે પ્રકાર તથા બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞીપંચેન્દ્રિય અને સંજ્ઞીપંચેન્દ્રિય તે દરેક પર્યાપ્ત અપર્યાપ્ત એમ બબ્બે પ્રકારે કુલ અઠ્ઠાવીસ પ્રકારના જીવોની સંખ્યા અસંખ્યાત પ્રમાણ છે. કારણ કે તે દરેક ભેદેવાળા જીવો અસંખ્યાતા છે.
શંકા–અપર્યાપ્ત સંજ્ઞી જીવો અસંખ્યાતા કઈ રીતે કહેવાય? કારણ કે તેઓ હંમેશાં હોતા નથી. કેમ કે તેઓનું આયુ અંતર્મુહૂર્ત છે, અને વિરહકાળ બાર મુહૂર્ત છે, એટલે કંઈક અધિક અગિયાર મુહૂર્ત સુધી તો એક પણ અપર્યાપ્ત સંજ્ઞી જીવ હોતો જ નથી, તો પછી અસંખ્યાતા કઈ રીતે ઘટી શકે ?
ઉત્તર–ઉપરોક્ત દોષ ઘટતો નથી. કારણ કે જો કે તેઓ હંમેશાં હોતા નથી તોપણ જ્યારે હોય છે, ત્યારે જઘન્યથી એક છે અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા હોય છે. જ્યારે હોય ત્યારે ઉપરોક્ત સંખ્યાનો સદ્ભાવ છે, માટે અસંખ્યાતા કહેવામાં કોઈપણ વિરોધ નથી. તે કહ્યું છે કે એક સમયમાં એક બે ત્રણ સંખ્યાતા અથવા અસંખ્યાતા ઉત્પન્ન થાય છે.” આ પ્રમાણે જીવભેદ આશ્રયી સંખ્યા કહી.
હવે ગુણસ્થાનક આશ્રયી જીવોની સંખ્યા કહે છે–મિથ્યાદષ્ટિ આત્માઓ અનંત છે. કારણ કે તેઓ અનંત લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. નિગોદીયા સઘળા જીવો મિથ્યાત્વી છે. અનંત સંખ્યાને પૂરનાર તે જ જીવો છે. : સાસ્વાદન સમ્યગ્દષ્ટિ, મિશ્રદૃષ્ટિ, અવિરતિસમ્યગ્દષ્ટિ, અને દેશવિરતિ ગુણસ્થાનકવાળા જીવો પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. અહીં પલ્યોપમ એ ક્ષેત્ર પલ્યોપમ સમજવું, તેથી તે ચાર ગુણઠાણાવાળા જીવો ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે.
અહીં સાસ્વાદન અને મિશ્રદષ્ટિ ગુણસ્થાનકવાળા જીવો હંમેશાં હોતા નથી, કેમ કે તે બંને ગુણસ્થાનકો અધ્રુવ છે. પરંતુ જયારે હોય છે ત્યારે જઘન્યથી એક બે અને ઉત્કૃષ્ટથી ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોય છે.
અવિરતિસમ્યગ્દષ્ટિ અને દેશવિરતિ આત્માઓ હંમેશાં હોય છે. કેમ કે તે બંને ગુણસ્થાનકો ધ્રુવ છે. માત્ર કોઈ વખતે ઓછા હોય છે, તો કોઈ વખતે વધારે હોય છે. તે બંને ગુણસ્થાનકવાળા જીવો જઘન્યથી પણ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશ રાશિ પ્રમાણ છે, ઉત્કૃષ્ટથી પણ એટલા જ છે. પરંતુ અસંખ્યાતાના અસંખ્યાતા ભેદ હોવાથી જઘન્યથી પલ્યોપમના અસંખ્યાત ભાગથી ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અસંખ્યાત ગુણ મોટો સમજવો. અને દેશવિરતિથી અવિરતિ સમ્યગ્દષ્ટિ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી ઘણા વધારે - સમજવા. કારણ કે અવિરતિસમ્યગ્દષ્ટિ ચારે ગતિમાં હોય છે, અને દેશવિરતિ માત્ર મનુષ્ય,