SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ...લવાદી ચર્ચામાં આ॰ શ્રી સાગરાનન્દસૂરિજીએ રજૂ કરેલું ખંડન ] દેશીનો ક્ષય હોય તો તેરશનું નામ નહિ લેવામાં અને ચૌદશનુંજ નામ લેવામાં સમ્મત થયેલા શાસ્ત્રકારને ખરતર ગચ્છવાળાએ મૃષાવાદના પ્રસંગ આપ્યા વગર રહે નહિ, એમજ માનવું પડે. અર્થાત્ પૂર્વાચાર્યએ પ્રવર્તાવેલા વ્યવહારને અંગે બ્યપદેશ કરનારાઓને માટે ખરતરગચ્છ સરખા વિધિઓએ પણ આરોપ, મૃષાવાદ જેવા દોષો આપવાની હિંમત નથી કરી ત્યારે એ વર્ગે એવું કરનારના ઉપર દોષાનો ડુંગર ઠાલવવામાં બાકી રાખી નથી. એટલે કહેવું જોઈએ કે વિરોધિ ગચ્છવાળાઓને જેટલી પૂર્વાચાર્યાંના વચનની મગજમાં કઈંક પણ અસર હશે તેટલી પણ આ વર્ગના મગજમાં ન હોય, એ ન બનવાજોગ નથી. | () અષ્ટમી ચતુર્દશી આદિ પર્વતિથિએ કરતાં કલ્યાણકની પર્વતિથિઓનું ભિન્નપણું હવેજ નહીં માનનાર એ વર્ગ જો અન્તઃકરણથી સાચી રીતે એ આ પંક્તિઓને ઉકેલે તે તેને ફરજિયાત ચતુષ્પર્ધીના અનુષ્ઠાન અને મરજીયાત કલ્યાણકપર્વોની આરાધનામાં કેટલું બધું પ્રમળ અંતર છે એ વાત સ્હેજે સમજી શકાય તેમ છે. એ વર્ગને આ વસ્તુ યથાર્થ સમજાઈ હોત તો તેઓ હવે જે શાસ્ત્રને ‘ તપાગચ્છની આચરણા વિરૂદ્ધ ’ કલ્યાણુક તિથિઓના નામે ચતુષ્પર્ધી તથા ષટ્ચર્વી તિથિઆને ભેળી કરવાનું, ભેળી આરાધવાનું અને ભેળી કહેવાનું કાર્ય કરે છે, પ્રરૂપે છે અને આચરે છે તે સ્વપ્ન પણ કરત, પ્રરૂપત કે આચરત નહિં, | (F) પૂર્ણિમાના ક્ષયે આ નવા વર્ગની માફક જો ગ્રન્થકારને ચૌદશને દિવસે અન્ને તિથિઓનું આરાધન થઈ ગયું એમ ગણવાનું હોત તે પછી ભેળી આવેલી કલ્યાણકતિથિઓ માટે પણ ‘પત્ત નિમાવાયેય તપઃપૂત મતિ ’(ત. મુ. રૃ. ૬) એમ કહીને ઉત્તરદિન લેવાની અને તે ભેળી તિથિનો અલગ તપ કરી આપવાની વાત ગ્રન્થકારને કહેવાનું સ્વપ્ને પણ રહેત નહિં એટલું જ નહીં, પરંતુ ખરતરાને આપત્તિ આપી છે કે (તમા ચૌદશના ક્ષયે તે પૂનમના દિવસે પક્ષી કે ચામાસીના એક ઉપવાસ કરી લેા પરંતુ ‘થયા પૂળિમાપાત્તે પક્ષિવાતુર્માસિષતપોડમિન્હીતિ’ (૪. મુ. ૬) જ્યારે પૂનમનો ક્ષય હોય અને ચૌદશ પૂનમ એ તિથિના છતપ (એ ઉપવાસ લાગલાગઢ) ના અભિગ્રહ હાય ત્યારે તમે આગળના દિવસ (પડવા) લઈનેજ જેમ તપ પુરા કરો છે (તેવી રીતે કલ્યાણકની આરાધના કરનાર, નહિ કે ક્રૂરજિયાત ચતુષ્પર્ધીની આરાધના કરનાર આગળના (ઔ) પૂર્ણિમાના ક્ષયની વખતે જો એ વર્ગના કહેવા પ્રમાણે ચતુર્દશી અને પૂર્ણિમા અન્ને પર્વતિથિઓનું એકજ દિવસે આરાધન કરી શકાતું હાત તા અનન્તરસ્થિત એ ત્રણ આદિ કલ્યાણકાના પ્રશ્નનો અવકાશજ નહાતા. તેમજ ઉત્તરમાં પણ શાસ્ત્રકારે ગમયત પારાનુઁ ની આપત્તિ આપવાનો પણ પ્રસંગ નહાતા. એટલુંજ નહિ પરંતુ ગ્રન્થકારને તે સ્થળે કલ્યાણકનો આરાધક તપસ્યા કરનારજ હાય છે એમ કહીને પૂર્ણિમા આદિ ફરજિયાત તિથિએ કરતાં કલ્યાણકની મરજિયાત પર્વતિથિએ માટેની આરાધના જુદી રીતે કરવાનું પણ કહેવું પડત નહિં. તેમજ એવા વખતે અનંતર દિવસે તપ કરી લેવા એમ ઉત્તર દેવા પડત નહિં છતાં એમ કહ્યું છે તથા ઉત્તર આપ્યા છે તેથી સ્પષ્ટ થાય છે કે પૂનમના ક્ષયે તેઓ તેરશનો ક્ષય કરીને તેરશે ચૌદશ ને ચૌદશે પૂનમ કરતા હતા. | અને તેથીજ કચાં સુધી તિથિઓ ફેરવશે ? એમ સામા પક્ષવાળાને ગ્રન્થકારની સામે આ પ્રશ્ન ઉભા કરવા પડચો. અર્થાત્ એક દિવસે નવા વ-| ર્ગની માફક અનેક પર્વોની આરાધના થતી હેત તા ન તા ખરતરાને ‘અયાનન્તસ્થિતાનુ દિવ્યા વિજ્ઞાાન્નતિથિવુ॰ એમ જણાવીને ' ત્રણ કલ્યા Jain Education International ૬૫ લુકાના પ્રશ્ન કરવા પડત કે ન તે શાસ્ત્રકારે તેને અનન્તર દિન લઈને તપ પુરવાની વાત જણા વવી પડત. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy