SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ [ જૈન દષ્ટિએ તિથિનિ અને પર્વારાધન. તિથિદિન” અને “પરાધન” સંબધી મન્તવ્યભેદને અંગે નિર્ણય કરવાને માટેના ૨૫ મુદ્દાઓ પૈકીનો, ઓગણીસ મુદ્દો નીચે મુજબ છે – (૧૯) ઉદ્ય, ક્ષય અને વૃદ્ધિ સબંધીના જે નિયમે ચતુષ્કર્વી, પંચપર્વ અને પર્વને લાગુ થાય તે જ નિયમે અન્ય સર્વ પર્વતિથિઓને પણ લાગુ થાય કે નહિ ?” આ મુદ્દાના સંબંધમાં અમારું મન્તવ્ય એવું છે કે-ઉદય, ક્ષય અને વૃદ્ધિ સંબંધીના જે નિયમે શ્રી જૈન શાસનમાં છે, તે નિયમો સર્વ પર્વતિથિઓને લાગુ થાય છે. આ વાતનું સમર્થન શાસ્ત્રપાઠની સાક્ષી સાથે બીજા મુદ્દાના વિવરણમાં કરેલું હોવાના કારણે, અત્રે વિસ્તાર કરતા નથી. “ તિથિદિન” અને “પરાધન” સંબંધી મન્તવ્યભેદને અંગે નિર્ણય કરવાને માટેના ૨૫ મુદ્દાઓ પૈકીને, વીસમે મુદ્દો નીચે મુજબને છે “(૨૦) પૂર્ણિમા અને કલ્યાણકતિથિઓએ બેમાં અવિશેષતા છે કે વિશેષતા ?” આ મુદ્દાના સંબંધમાં અમારું મન્તવ્ય એવું છે કે-પૂર્ણિમા અને કલ્યાણતિથિઓએ બેમાં આરાધ્યપણાને અંગે વિશેષતા નથી પણ અવિશેષતા છે. શ્રી તત્ત્વતરંગિણીમાં ચોથી ગાથાની વૃત્તિમાં કહ્યું છે કે “માધ્યત્વે શશીયાતિથ્યો વિરોફા” તિથિદિન” અને “પરાધન” સંબંધી મન્તવ્યભેદને અંગે નિર્ણય કરવાને માટેના ૨૫ મુદ્દાઓ પિકીને, એકવીસમે મુદ્દો નીચે મુજબને છે – (૨૧) બીજ, પાંચમ, આઠમ, અગીઆરસ અને ચૌદશે પરભવના આયુષ્યને બંધ પડવાની જેટલી અને જેવી સંભવિતતા છે, તેટલી અને તેવી સંભવિત અમાવાસ્યા કે અન્ય કલ્યાણકતિથિઓ આદિએ ખરી કે નહિ ?” આ મુદ્દાના સંબંધમાં અમારું મન્તવ્ય એવું છે કે બીજ, પાંચમ, આઠમ, અગીઆરસ અને ચૌદશે, પરભવના આયુષ્યને બંધ પડવાની જેટલી અને જેવી સંભવિતતા છે, તેટલી અને તેવી સંભવિતતા પૂર્ણિમા, અમાવાસ્યા કે અન્ય કલ્યાણકતિથિઓ આદિએ નથી જ. પૂજ્યપાદ આચાર્યભગવાન શ્રીમદ્ રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાએ વિ. સં. ૧૫૦૬ માં રચેલા સ્વપજ્ઞવુંત્તિવાળા શ્રી શ્રાદ્ધવિધિ નામના ગ્રન્થના “પર્વકૃત્ય-પ્રકાશક” નામક ત્રીજા પ્રકાશમાં ફરમાવેલું છે કે – "पर्वतिथिपालनं च महाफलं शुभायुर्बन्धहेतुत्वादिना । यदागमः - 'भयवं! बीअपमहास पंचसु तिहीसु विहि धम्माणुट्ठाणं किं फलं होइ ? गोयमा! बहुफलं होइ, जम्हा एआसु तिहीसु पारणं जीवो परभवाउं समजिणइ, तम्हा तवोविहाणाइधम्माणुहाणं कायव्वं । जम्हा सुहाउभं समन्जिणइत्ति' । आयुषि बद्धे तु दृढधर्माराधनेऽपि बद्धायुर्न टलति।" ઉપરના પાઠમાં સાક્ષી રૂપે આપેલા શ્રી જિનાગમમાંના પ્રશ્નોત્તરમાં જે બીજ આદિ પાંચ તિથિઓ કહી છે, તેમાં બીજ સિવાયની ચાર તિથિઓ પાંચમ, આઠમ, અગીઆરસ અને ચૌદશ જ છે તે જાણવાને માટે, શ્રી શ્રાદ્ધવિધિકાર આદિ મહાપુરૂએ સંગૃહીત કરેલી નીચેની ગાથા પણ ઉપયોગી નિવડે તેમ છે. “વીરા વિમી ગદ્દી, સી વડલી પણ રિહીશો . . एआओ सुअतिहीओ, गोयमगणहारिणा भणिआ ॥१॥" Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy