SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ...લવાદી ચર્ચામાં પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ કરેલું નિરૂપણ ]. પણ. પર્વતિથિના દિવસને નક્કી કરવાનું વિધાન છે જ નહિ અને આરોપને નિષેધ સ્પષ્ટ રૂપે કરાએલો છે. બીજા મુદ્દાના વિવેચનમાં આપના નિષેધની વાત શાસ્ત્રપાઠની સાક્ષી પૂર્વક કહેવાઈ છે. આથી સિદ્ધ થાય છે કે-પહેલી પૂનમે કે અમાસે ચતુર્દશી વિદ્યમાન નહિ હોવાથી અને તે પૂર્વે તે વ્યતીત થઈ ગયેલી હોવાથી, પહેલી પૂનમે કે અમાસે ચતુર્દશીનું આરોપણ કરીને પણ, પાક્ષિક કે ચોમાસી માનવામાં આવે તે પણ, અનુક્રમે ૧૫ અને ૧૨૦ રાત્રિ-દિવસનું ઉલ્લંઘન કર્યું એમ જ કહેવાય. એ જ રીતિએ, ભા. સુ. પહેલી પાંચમે ભા. સુ. ૪ને આપ કરીને વાર્ષિક પર્વનું અનુષ્ઠાન કરવામાં આવે, તે પણ ૩૬૦ રાત્રિ-દિવસનું ઉલ્લંઘન કર્યું કહેવાય. પંદર રાત્રિ-દિવસ આદિના ઉલ્લંઘનથી, પ્રત્યાખ્યાનાવરણીયાદિ કષામાં આવી જવાનું થતું તહેવાશી, પંદર રાત્રિ-દિવસ આદિના ઉલ્લંઘનને દેષપાત્ર ગણાય, તે પણ સ્વાભાવિક જ છે. તિથિદિન” અને “પરાધન” સંબંધી મન્તવ્યભેદને અને નિર્ણય કરવાને માટેના ૨૫ મુદ્દાઓ પૈકીને, સત્તરમે મુદ્દો નીચે મુજબને છે– “(૧૭) આરાધનાને અંગે, ક્ષયના પ્રસંગે ક્ષીણતિથિના ભોગવટાની સમાપ્તિ પૂર્વની તિથિના દિવસે હોય છે અને વૃદ્ધિના પ્રસંગે વૃદ્ધા તિથિના ભગવટાની સમાપ્તિ ઉત્તરા તિથિના દિવસે હોય છે, એ જ એક હેતુથી-“ક્ષથે પૂર્વ તિથિa (તિથિ વા), વૃત ગ્રાહ્ય (વા) તો ”—એવા કથન દ્વારા, ક્ષયના પ્રસંગે પૂર્વી તિથિ અને વૃદ્ધિના પ્રસંગે ઉત્તરા તિથિ ગ્રહણ કરવાની આજ્ઞા કરાઈ છે કે તેવી આશા કરવામાં ભગવટાની સમાપ્તિ સિવાયનો કોઈ હેતુ રહેલું છે?” આ મુદ્દાના સંબંધમાં અમારું મન્તવ્ય એવું છે કે-ક્ષયના પ્રસંગમાં સમાપ્તિ પૂર્વી તિથિના દિવસે હોય છે અને વૃદ્ધિના પ્રસંગમાં સમાપ્તિ વૃદ્ધા તિથિના દ્વિતીયાવયવસ્વરૂપ ઉત્તરા તિથિના દિવસે હોય છે, એ જ એક હેતુથી આરાધનાને અંગે “ પૂર્વ તિપિયા (તિથિ થાય), ની દયા (1) તથા ”-એવા કથન દ્વારા, ક્ષયના પ્રસંગે પૂર્વી તિથિ અને વૃદ્ધિના પ્રસંગે ઉત્તર તિથિ ગ્રહણ કરવી-એવી આજ્ઞા કરવામાં આવી છે. શ્રી તત્ત્વતરંગિણીની છાપેલી પ્રતના પ્ર. ૧૨ માં નીચે મુજબને જે પાઠ છે, તેથી પણ આ વાતને પુષ્ટિ મળે છે. - "अथ तिथीनां हानौ वृद्धौ च का तिथिः स्वीकार्येत्यत्रोभयोः साधारणं लक्षणमुत्तरार्द्धनाह'जं.जा जमि'त्ति यद्-यस्माद् या-तिथिर्यस्मिन्-आदित्यादिवारलक्षणदिवसे समाप्यते स एव दिवसो-चारलक्षणः प्रमाणमिति-तत्तिथित्वेनैव स्वीकार्यः ।" તિથિદિન” અને “પરાધન” સંબંધી મન્તવ્યભેદને અંગે નિર્ણય કરવાને માટેના ૨૫ મુદ્દાઓ પૈકીને, અઢારમે મુદ્દો નીચે મુજબને છે– “(૧૮) કલ્યાણકતિથિઓ, એ પર્વતિથિઓ ગણાય કે નહિ ?” આ મુદ્દાના સંબંધમાં અમારું મન્તવ્ય એવું છે કે શ્રી જૈન શાસનમાં કલ્યાણતિથિઓને પણ પર્વતિથિ તરીકે જણાવેલી છે. વિ. સં. ૧૭૩૧ માં પાકપ્રવર શ્રીમન માનવિજયજી વાણિવરે રચેલા શ્રી ધર્મસંગ્રહ નામના ગ્રન્થની છાપેલી પ્રતિમાં પૃ. ર૩૯ મા ઉપર નીચે મુજબને પાઠ છે – ___"तथा -- वर्षामध्येऽश्विनचैत्रचातुर्मासिकवार्षिकाष्टाह्निकाचतुर्मासकत्रयसांवत्सरपर्वादिदिवसा मर्हजन्मादिपञ्चकल्याणकदिवसाश्चापि पर्वतिथित्वेन विज्ञेयाः॥" * T = Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy