SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ [ જૈન દષ્ટિએ તિથિદિન અને પર્વરાધન. તે પર્વતિથિની પૂર્વની તિથિ જે પર્વતિથિ હોય, તો પૂર્વની તે પર્વતિથિના દિવસે બન્ને ય પર્વતિથિઓના આરાધક બની શકાય અને એ જ રીતિએ જે એક દિવસે જેટલાં પર્વોને વેગ થઈ જતો હોય તે સર્વ પેન પણ તે જ એક દિવસે આરાધક બની શકાય. બીજા મુદ્દાના વિવેચનમાં આ વાતને શાસ્ત્રપાઠથી સિદ્ધ કરવામાં આવી છે, એટલે અત્રે વિસ્તાર કરતા નથી. તિથિદિન” અને “પરાધન” સંબંધી મન્તવ્યભેદને અંગેના નિર્ણયને માટે તારવવામાં આવેલા ૨૫ મુદ્દાઓમાં, પંદરમે મુદ્દો નીચે મુજબને છે – “(૧૫) માસી તપમાં પાક્ષિકના તપન અને માસી પ્રતિક્રમણમાં પાક્ષિક પ્રતિક્રમણને સમાવેશ થાય છે કે નહિ ?” આ મુદ્દાના સંબંધમાં અમારું મન્તવ્ય એવું છે કે–ચમાસી તપમાં પાક્ષિકના તપને અને ચુંમાસી પ્રતિક્રમણમાં પાક્ષિક પ્રતિક્રમણને સમાવેશ થાય છે. શ્રી જૈન શાસનમાં પાક્ષિકને એક ઉપવાસ અને ચોમાસને બે ઉપવાસ રૂ૫ છઠ કરવાની ખાસ આજ્ઞા કરેલી છે અને .. તે નહિ કરનારને પ્રાયશ્ચિત્ત કહેલું છે. યુગપ્રધાન આચાર્યભગવાન શ્રીમત્ કાલિકસૂરીશ્વરજી મહારાજાએ, તેવા પ્રકારનું કારણ ઉપસ્થિત થયેથી, શાસ્ત્રની આજ્ઞાને અનુસરતી રીતિએ વાર્ષિક પર્વ જે ભા. સુ. ૫ માં હતું તે ભા. સુ. ૪ માં આપ્યું અને એમ કરવાના કારણે ચોમાસી જે આષઢ, કાર્તિક અને ફાગણની પૂર્ણિમાએ હતી તે આષાઢ, કાર્તિક અને ફાગણની શુક્લા ચતુર્દશીએ નિશ્ચિત કરવી પડી. આમ થવા પૂર્વે આષાઢ, કાર્તિક અને ફાગણની શુક્લા ચતુર્દશીએ પાક્ષિકાનુષ્ઠાન આચરાતું હતું તથા આષાઢ, કાર્તિક અને ફાલ્સનની પૂર્ણિમાએ ચોમાસી અનુષ્ઠાન આચરાતું હતું. આમ છતાં, વાર્ષિક પર્વને ભા. સુ. ૫ માંથી ભા. સુ. ૪ માં આણતાં, ચોમાસી પૂનમને બદલે ચૌદશે આણું; પણ આષાઢ, કાર્તિક અને ફાલ્યુનના પાક્ષિકને તેરશે નિશ્ચિત કર્યું નહિ! આથી તે વખતથી આષાઢ, કાર્તિક અને ફાલ્યુનની શુક્લ ચતુર્દશીએ જે પાક્ષિકાનુષ્ઠાન પૃથફ આચરાતું હતું તે બંધ થયું. જે માસી તપમાં પાક્ષિકના તપને અને ચોમાસી પ્રતિક્રમણમાં પાક્ષિકના પ્રતિક્રમણ સમાવેશ ન થઈ શકતે હેત, તે વાર્ષિક પર્વ અને ચોમાસી પને પૂર્વની તિથિએ નિશ્ચિત કરતી વેળાએ આષાઢ, કાર્તિક અને ફેબ્રુનના શુકલ પક્ષના પાક્ષિકને પણ શુક્લા તેરશે નિશ્ચિત કરવું જ પડત, પણ તેમ કર્યું નથી જ. એથી પણ સમજી શકાય તેમ છે કે-એક દિવસે બે પર્વતિથિઓ આવી જવા પામી હોય, અગર એકથી વધુ પેને વેગ થઈ જવા પામ્યું હોય, તે મુખ્ય પર્વને અનુષ્કાનમાં તેની અપેક્ષાએ ગૌણું પર્વેનાં અનુષ્ઠાને પણ સમાવેશ થઈ જ જાય. તિથિદિન” અને “પરાધન” સંબંધી મન્યવ્યભેદને અંગે નિર્ણય કરવાને માટે તારવવામાં આવેલા ૨૫ મુદ્દાઓ પૈકીને, સલમે મુદ્દો નીચે મુજબને છે“ (૧૬) પહેલી પૂનમે કે અમાસે ચતુર્દશીના આરોપ દ્વારા પાક્ષિક કે માસી માનવામાં આવે, તે અનુક્રમે ૧૫ અને ૧૨૦ રાત્રિ-દિવસનું ઉલ્લંઘન તથા ભા. સુ. પહેલી પાંચમે આરોપ દ્વારા ભા. સુ. ૪ માની સંવત્સરી કરવામાં આવે તે ૩૬૦ રાત્રિ-દિવસનું ઉલ્લંધન થાય કે નહિ? અને તેને જે ઉલ્લંઘન કર્યું કહેવાય, તે તેવા ઉલ્લંઘનને દુષપાત્ર કહેવાય કે નહિ ?” . આ મુદ્દાના સંબંધમાં અમારું મન્તવ્ય એવું છે કે શ્રી જૈન શાસનમાં આરોપ દ્વારા કઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy