SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ [ જૈન દૃષ્ટિએ તિથિદિન અને પર્વોરાધન... કારશ્રીએ પણ— પૂનમના ક્ષયે તમારી પણ શી ગતિ થાય છે?’–એવા પ્રશ્ન કરીને ચૌદશના ક્ષયે પૂનમે ૫ખ્ખી કરવાની પેાતાની વાતનું સમર્થન કરવાને ઈચ્છતા ખરતરગચ્છીયને, કહ્યું કે પૂનમના ક્ષયે ચૌદશે ચૌદશ-પૂનમ બન્નેયનું વિદ્યમાનપણું હોવાથી, ચૌદશે ચૌદશ-પૂનમ બેયનું આરાધન થઈ જ ગયું!' આમ કહ્યા પછીથી, ગ્રન્થકારશ્રીએ ખરતરગચ્છીયને એમ પણ સૂચવ્યું કે—અમારી માફક તમારે ચૌદશના ક્ષયે પૂનમે ચૌદશ-પૂનમ બેયનું આરાધન નથી થતું, કારણ કે-પૂનમમાં ચૌવંશના ભાગની ગંધના ય અભાવ છે! આ રીતિએ પૂનમના ક્ષયની વાતમાં કાંઈ નિપજ્યું નહિ, ત્યારે ખરતરગચ્છીયે કલ્યાણકતિથિઓની આરાધનાની વાતને યાદ કરી: કારણ કેકલ્યાણકતિથિઓના આરાધકે અન્તરરહિતપણે રહેલી બે, ત્રણ કે વધુ કલ્યાણકતિથિઓ પૈકીની ખીજી કલ્યાણકતિથિ આદિના ક્ષય આવતા હતા, ત્યારે તે તિથિએ કરવાના તપને માટે કાં ત અન્તરરહિતપણે રહેલી કલ્યાણકતિથિઓના અનન્તર ઉત્તરદિનને ગ્રહણ કરતા હતા, કાં તેા પછીના વર્ષમાંના તે કલ્યાણકતિથિયુક્ત દિવસને ગ્રહણ કરતા હતા. આથી ખરતરગચ્છીયે અન્તરરહિતપણે રહેલી કલ્યાણકતિથિએ વિષે એવા આશયથી પ્રશ્ન કર્યો કે ગ્રન્થકારશ્રીએ પૂનમના ક્ષયે ચૌદશે ચૌદશ-પૂનમ બન્નેયની આરાધના થાય છે એમ જે કહ્યું, તે ખાટું ઠરે અગર જે નિયમને પૂનમના ક્ષયમાં ગ્રન્થકારશ્રી ઉપયાગ કરે છે, તે નિયમ મુજબ તેઓ કલ્યાણકપર્વતિથિઓમાં વર્તતા નથી—એમ સાખીત થઈ શકે! પરન્તુ, તે વખતે ય શ્રી તપાગચ્છીય જૈન સમાજ ઉદ્દય, ક્ષય અને વૃદ્ધિ સંબંધી જે નિયમા છે, તે નિયમા જેમ ષપર્વાંને લાગુ કરતા હતા, તેમ કલ્યા ણુકપર્વતિથિને પણ લાગુ કરતા હતા અને તેમ છતાં પણ જરૂર પડયે કલ્યાણકપર્વતિથિના ક્ષયે અનન્તર ઉત્તરદિનને લઈને કે પછીના વર્ષના તત્કાણુકતિથિયુક્ત દિનને લઈને ક્ષીણકલ્યાશુકતિથિના તપ કરતા હતા. આથી જ, ‘તમે શું પૂનમના ક્ષયે ચૌદશ-પૂનમ એ બન્નેનું આરાધન ચૌદશે સ્વીકારો છે, તેમ જ અન્તરરહિતપણે રહેલી બે, ત્રણ આદિ કલ્યાણકતિથિઓમાં પણ સ્વીકારી છે ?’–એવા ભાવના ખરતરગચ્છીયના પ્રશ્નના ઉત્તર આપતાં, ગ્રન્થકારશ્રી ફરમાવે છે કે અમારે તા અગ્રેતનકલ્યાણકતિથિના ક્ષયે પ્રાચીન કલ્યાણકતિથિમાં અગ્રેતન અને પ્રાચીન–ઉભય કલ્યાણકતિથિનું વિદ્યમાનપણું હાવાના કારણે, ઇષ્ટાપત્તિ જ છે; પ્રાચીના કલ્યાણકતિથિના ક્ષયે કે ઉત્તરા કલ્યાણકતિથિના ક્ષય-મને ય પ્રસંગમાં તમારે જ આકાશ સામે જોવું પડે તેમ છે.’ ગ્રન્થકારશ્રીએ આવા ભાવના ઉત્તર આપ્યા, એટલે ખરતરગચ્છીય પ્રશ્ન કરે છે કે- તા પછી કલ્યાણકતિથિના ક્ષયના કારણે અનન્તર દિને અને પછીના વર્ષના કલ્યાણુકદિને કેમ પૃથ તપ આચરવામાં આવે છે ? ’ આ પ્રશ્નનું નિરાકરણ કરતાં, ગ્રન્થકારશ્રી ફરમાવે છે કે કલ્યાણકાના આરાધક પ્રાયઃ તાવિશેષકરણના અભિગ્રહી હોય છે અને તે એ પ્રકારના હોય છે : એક નિરંતર તપ કરવાની ઇચ્છાવાળા અને ખીન્ને સાન્તર તપ કરવાની ઇચ્છાવાળા, નિરન્તર તપ કરવાની ઈચ્છાવાળા એક દિવસે અન્ને ચ કલ્યાણુકતિથિઓનું વિદ્યમાનપણું હોવાથી તે એક જ દિવસે બન્ને ય કલ્યાણકપર્વતિથિઓના આરાધક બન્યા થકા અનન્તર ઉત્તરદિનને લઇને જ તપઃપૂરક થાય છૅ, પણ અન્ય પ્રકારે તપઃપૂરક થતા નથી. જેમ કે ચૌદશ-પૂનમના (પાક્ષિક અને) ચાતુર્માસિક છ તપના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy