SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ લવાદી ચર્ચામાં પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ કરેલું નિરૂપણ ] થાય કે નહિ?”—એવે પ્રશ્ન ઉભો કરત જ અહીં તે તેવો પ્રશ્ન ઉ કરવામાં આવ્યો નથી અને પૂર્ણિમાએ ચૌદશના ભેગની ગબ્ધ નહિ હોવાના કારણને જણાવીને, ચકારશ્રીએ ખરતરૂ ગચ્છીયને આરોપ કરીને આરાધના કરનારે કરાવી, તેના આરોપને મિયાજ્ઞાન તરીકે જણાવેલ છે. - હવે આગળ ચાલતાં ગ્રન્થકારશ્રી ખરતગચ્છીને ઉદ્દેશીને એવા ભાવને પ્રશ્ન કરે છે કેક્ષીણપાક્ષિકના અનુષ્ઠાનને પૂર્ણિમામાં આચરતાં, તે અનુષ્ઠાનને તમે પાક્ષિકનું અનુષ્ઠાન કહેશો કે પૂર્ણિમાનું અનુષ્ઠાન કહેશે?” આ પ્રશ્ન કરીને ગ્રન્થકારશ્રી કહે છે કે- જે આ પ્રશ્નના ઉત્તરમાં તમે એમ કહેશે કે-એ પૂર્ણિમાનું અનુષ્ઠાન છે, તો પાક્ષિકના અનુષ્ઠાનના વિલેપની આપત્તિ આવશે અને એમ કહેશે કે-એ પાક્ષિકનું અનુષ્ઠાન છે, તે પૂર્ણિમાને જ ચતુર્દશીપણે વ્યપદેશ કરવાના કારણે, તે સ્પષ્ટ મૃષાભાષણ જ ગણાશે.” અહીં ખાસ ધ્યાન ખેંચનારી બીના એ છે કે પૂર્ણિમાનું અનુષ્ઠાન કહેનારને માટે પાક્ષિકનુષ્ઠાનના વિલેપની આપત્તિ જણાવી, પણ પાક્ષિકનું અનુષ્ઠાન કહેનારને પૂર્ણિમાના અનુષ્ઠાનના વિલેપની આપત્તિ જણાવી નહિ કારણ કે–પાક્ષિકાનુષ્ઠાનમાં પૂર્ણિમાના અનુષ્ઠાનનો સમાવેશ થઈ શકે છે અને શ્રી તપાગચ્છીય સમાજ પણ પૂર્ણિમાના ક્ષયે પાક્ષિકાનુષ્ઠાનમાં પૂર્ણિમાના અનુષ્ઠાનને સમાવેશ કરે છે, એ વાત ગ્રન્થકારશ્રીના ધ્યાનમાં જ હતી. વળી, પૂર્ણિમાને જ ચતુર્દશી તરીકે વ્યપદેશ કરે, એ સ્પષ્ટ મૃષાભાષણ જ છે –એમ ગ્રન્થકારશ્રીએ કહ્યું છે, પરંતુ આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીની માફક જે તેઓ પૂર્ણિમાની વૃદ્ધિએ પ્રથમ પૂર્ણિમાએ ચતુર્દશીને અને ચતુર્દશીએ બીજી ત્રયોદશીને વ્યપદેશ કર–એને ઇષ્ટ માનતા હતા, તે એમ કહેત જ નહિકારણ કેએ સ્પષ્ટ મૃષાભાષણનું પિતાનું કથન પિતાને પણ લાગુ પડે તેમ છે, એ સમજવાને માટે પણ તેઓશ્રી પૂરતા સમર્થ હતા. પૂર્ણિમાના ચતુર્દશી તરીકેના વચપદેશને સ્પષ્ટ મૃષાભાષણ તરીકે જ ઓળખાવ્યા બાદ, સ્થકારશ્રીએ “ચતુર્દશીના ક્ષયે તેમાં ચતુર્દશીનું જ્ઞાન આપ રૂપ નથી એ વાતુનું સમર્થન કર્યું છે અને એ પછી, ખરતગ્નછીયન કલ્યાણતિથિએના આરાધનને લગતા પ્રશ્ન મૂકીને, તેને ઉત્તર આપે છે.. ખરતરગચ્છીયે એવા ભાવને પ્રશ્ન કર્યો છે કે-“પૂનમના શયે તમે ચૌદશે ચૌદશ અને પૂનમબન્નેયનું આરાધન થવાનું કહે છે, તે શું અન્તરરહિતપણે રહેલી બે, ત્રણ કે તેથી પણ વધારે કલ્યાણુકતિથિઓ પિકીની બીજી, ત્રીજી આદિ કલ્યાણતિથિને ક્ષય આવે ત્યારે પણ તમે પૂનમના ક્ષયે ચૌદશે ચૌદશ-પૂનમ બન્નેના આરાધનની જેમ ક્ષીણામૂલ્યાણુકતિથિ અને તેની પૂર્વી કલ્યાણતિથિએ બેચનું ક્ષીણકલ્યાણતિથિયુક્ત પૂર્વા કલ્યાણતિથિએ આરાધના કરવાનું સ્વીકારે છે? ખરતરગચછીચના આવા પ્રશ્નના ઉદ્દભવને અવકાશ શાથી મળ્યો? ગ્રન્થકારશ્રીએ જે પૂર્ણિમાના ક્ષયે ચતુર્દશીએ જ ચતુર્દશીનું અને ક્ષીણ પૂર્ણિમાનું પણ આરાધના થાય એમ જે પિતાના પક્ષે ન જડ્ડાવ્યું હોય તેમ જ પૂર્ણિમાના ક્ષયે ચતુર્દશીએ માત્ર પૂર્ણિમાનું અને ત્રદશીએ જ ચતુર્દશીનું આરાધન થાય-એમ જ જણાવ્યું હોય, તે આ પ્રશ્ન ઉત્પન્ન થવાને અવકાશ જ મળે નહિ! પરંતુ જૈન શાસ્ત્રાધાર મુજબ પર્વતિથિઓનું આરાધન કરનાર શ્રી તપાગચ્છીચ સમાજ, તે વખતે પૂનમના યે ચૌદશે જ ચૌદશ અને પૂનમ-એ અનેરની આરાધના કરી હતી, એટલે જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy