________________
તા. ૨૫-૬-૫૦
,
૧. લવાદી ચર્ચામાં આવેલા નિર્ણયને સમર્થક શ્રી અતિથિભાસ્કર ]
(૧૮) બેડ એફ સંસ્કૃત સ્ટડીઝ (યુ. પી. ગવર્મેન્ટ),ગવર્મેન્ટ સંસ્કૃત કેલેજ (બનારસ)ની પરીક્ષાની પાક્યકમ સમિતિ, યુક્ત પ્રાંત નાગરી લિપિ સુધાર-સમિતિ, સંસ્કૃત પાઠશાળાઓની નિરીક્ષણ સમિતિ, ઈત્યાદિ અનેક સુપ્રતિષ્ઠિત સમિતિઓના સભાસદ, કાનપુર-બળદેવસહાય સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રિન્સિપાલ, વ્યાકરણ-સાહિત્યચાર્ય-કાવ્યતીર્થંદિપદવીધર, પંડિતપ્રવર ચંદ્રશેખર શાસ્ત્રીની સંમતિઃ
શાસ્ત્ર-પ્રમાણ પર રચાયેલ પંચાંગે દર્શાવેલ કોઈ પણ તિથિના પ્રમાણિક પ્રારંભકાળ વગેરે જરા ય ફેરવવા યોગ્ય નથી જ-એ કાશીના વિદ્વાનોને સંમત સિદ્ધાન્ત, હું સર્વ પ્રકારે માનું છું.” તા. ૧૧-૧-૫૦
દ, ચંદ્રશેખર શાસ્ત્રી, ' (૧૯) સાહિત્ય-વ્યાકરણાચાર્ય, શાસ્ત્રાચાર્ય, અનેક છાત્રાચાર્ય, મુંબઈ ભારતીય વિદ્યાભવનમાં સાહિત્ય-વ્યાકરણ વિભાગના મુખ્ય આચાર્ય, પંડિતપ્રવર શ્રી શિવનાથ શર્મા ઉપાધ્યાયની સંમતિ –
કાશીના માન્ય પંડિતોએ સંપાદિત કરેલ અહંત-તિથિ-ભાસ્કર ગ્રંથ મેં સાવધાની સાથે સારી રીતે નીરખ્યો. એમાં શ્રી સાગરાનન્દસૂરિજીના મતપોષણ માટે પ્રવર્તેલી “શાસન જયપતાકા’નું એવું ખંડન વિદ્વાનોને આકર્ષક રીતથી કર્યું છે. કે જેને પ્રતીકાર સંભવિત નથી. ક્ષયવૃદ્ધિવાળી જૈન પર્વતિથિઓની આરાધના અંગેના જૈન શાસ્ત્રપાઠોનાં ઉદ્ધરણ, એમાં વિસ્તારથી લીધાં છે. શ્રી ઉમાસ્વાતિ આચાર્યના “ક્ષયે પૂર્વા વાળા પ્લેકની વ્યાખ્યા પંચાંગની પ્રમાણતાને રક્ષે, એવી જે સુંદર રીતથી કરી છે, તે અત્યંત નિષ્કટક છે અને વિદ્વાનોની પ્રશંસાને આકર્ષે છે. અહંતતિથિભાસ્કરમાં સમર્થન કરાયેલ શ્રી રામચન્દ્રસૂરિજીનો મત યોગ્ય છે, એમ હું માનું છું.”
દ, શિવનાથ ઉપાધ્યાય, (૨૦) શાન્તિનિકેતન (બંગાળ)ના ભૂતપૂર્વ અધ્યાપક, માનવભારતી નામની સુપ્રસિદ્ધ આંતર રાષ્ટ્રિય સાંસ્કૃતિક શિક્ષણ સંસ્થાના પ્રતિષ્ઠાપક, સાહિત્યાચાર્ય, પંડિત શ્રી દુર્ગાપ્રસાદ પાન્ડેય
Ph. D., D. Lit ( ફીલેસોફીકલ ડોક્ટરેટ, ડેકટર ઓફ લીટરેચર) મહોદયની સંમતિ– “તિથિઓના પ્રારંભાદિના સમયનિર્ણયમાં માત્ર પ્રામાણિક પંચાગ અધિકારી છે. એમાં ધર્મશાસ્ત્રને હસ્તક્ષેપ કરાવે એ અત્યંત અનુચિત છે. કેમ કે, જે વિષય જે શાસ્ત્રને અંગત હોય, તે વિષયમાં બીજું શાસ્ત્ર ભાથું મારવા અશક્ત છે; આ સર્વ મતને સિદ્ધાન્ત છે. આથી પંચાંગના ખાસ વિષય તરીકે તિથિના પ્રારંભાદિ કાળની જે ગણત્રી છે તેમાં ફેરફાર થઈ જવા પામે એવા પ્રકારની ઉમાના “ક્ષયે પૂર્વા’વાળા જૈન શાસ્ત્રની કોઈ પણ વ્યાખ્યા શાસ્ત્રના રહસ્યના જ્ઞાતાને માન્ય થઈ શકે નહિ. આવા મારા નિશ્ચયને અનુરૂપ કાશીના વિદ્વાનોના મતનું હું સમર્થન કરૂં છું.” માનવભારતી–મસૂરી, તા. પ-૧-૫૦
દ, દુર્ગાપ્રસાદ પડેય. (૨૧) અયોધ્યાના રાજગોપાલ સંસ્કૃત પાઠશાળાના મુખ્ય અધ્યાપક, ન્યાયાચાર્ય, વ્યાકરણાચાર્ય, સંયુક્ત પ્રાંતીય સંસ્કૃત અધ્યાપક સંઘના પ્રમુખ, પંડિતરાજ શ્રી રુદ્રપ્રસાદ અવસ્થીની જાહેરાત –
કાશીના સમર્થ વિદ્વાને જે એમ કહે છે કે તે તે સંપ્રદાયમાં તિથિઓના નિર્ણય માટે પ્રમાણિત કરેલ પંચાંગે જે તિથિઓને જે પ્રવેશાદિકાળ બતાવ્યો હોય, તેમાં ફેરફાર કઈ પણ રીતે કોઈ જ કરી શકે નહિ.” આને શાસ્ત્રીય સિદ્ધાન્ત તરીકે હું જાહેર કરૂં છું.” તા. ૮-૧-૫૦.
દ, રુદ્રપ્રસાદ અવસ્થી, (૨૨) ગવર્મેન્ટ ઈ. કોલેજ-ફેઝાબાદ નામના શિક્ષાસ્થાનમાં સંસ્કૃત વિભાગના મુખ્ય અધ્યાપાક, વ્યાકરણાચાર્ય શ્રી સિંહનાથ ત્રિપાઠી મહોદયની જાહેરાત –
સર્વ તિથિઓના પ્રવેશાદિ કાળમાં શુદ્ધ પંચાંગ જ પ્રમાણ છે. તેણે કહેલું કોઈપણ તિથિને કાળ સહેજ પણ કરાવી શકાય નહિ. માટે ક્ષયવાળી પર્વતિથિમાં સૂર્યોદય સાથે સંબંધની કલ્પના, વૃદ્ધ પર્વતિથિને પહેલા દિવસમાં સંબંધ લેપવાની કલ્પના અને બીજા દિવસમાં સંબંધ નિયમિત કરવાની કલ્પના, એ શાસ્ત્રરહસ્યના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org