________________
||
9
|
૧. લવાદી ચર્ચામાં આવેલા નિર્ણયને સમર્થક શ્રી અહતિથિભાસ્કર ] રાખ એ બુદ્ધિનું ફલ છે, એ કહેવત અનુસાર મારી પિતાની પૂર્વ સંમતિને હઠાગ્રહ ન રાખતાં, તેને રદ કરીને, “ભાસ્કરે' પ્રકાશેલા પક્ષને જ દઢ સંમતિ આપું છું.
દ: ભૂપનારાયણ ઝા, (૧૦) જયોતિષના આચાર્ય-માર્તડ વગેરે અનેક પદવી ધરનાર સં. સં. મહાવિદ્યાલયના મુખ્ય અધ્યાપક પંડિત સીતારામ ઝાની સંમતિ ––
શ્રી ચિસ્વામીજીએ સંપાદિત કરેલ શ્રી શાસનજયપતાકામાં મેં પહેલાં સહી કરી હતી. સહી કરવાનું કારણ એ હતું કે પતાકાનું લેખન પ્રમાણુવિરૂદ્ધ નથી, એમ એમણે અમોને જણાવ્યું હતું. પરંતુ હવે અહંત-તિથિ-ભાસ્કર નામને નિબંધ જેવાના અવસરે, એ પતાકાને જ્યારે હવે પ્રત્યક્ષથી જોઉં છું ત્યારે જ્યોતિષ શાસ્ત્ર, તત્વતગિણી, કલ્પસૂત્રદીપિકા, સેનપ્રશ્ન-હીરપ્રશ્ન, ઇત્યાદિ જૈનશાસ્ત્રગ્રંથેથી વિરૂદ્ધ રીતે અને તદ્દન અસંભાવનીયપણે આઠમ ચૌદશને ટીપ્પણમાં કહેલા કાળથી જુદી રીતે ફેરવી નાખવાનું પતાકામાં સ્થાપેલું મળ્યું, એટલે તે પતાકાકારના વિશ્વાસે તેમના વચન માત્રથી જે મેં સહી કરી હતી. તેનું મને દુઃખ થાય છે. એટલા માટે, પતાકાએ કહેલ પક્ષમાં જૈન જનતાએ સત્યતાને ભ્રમ થવામાં મારી સહી નિમિત્ત થાય તેમ હોવાથી, એ દોષને દૂર કરવાની મારી ખાસ ઈચ્છા છે. તેથી, કાશીના વિદર્યોએ અહંત-તિથિ-ભાસ્કરમાં ઘણા વિચારોથી સ્થાપન કરેલે સિદ્ધાંત જ જૈન શાસ્ત્ર અને સામાચારીને સંમત છે, અને જ્યોતિષ શાસ્ત્રાનુસારી છે, એવું હું સમર્થન કરૂં છું.
: સીતારામ ઝા, (૧૧) કાશી-ખેતાન મહાવિદ્યાલયના અધ્યક્ષ, વ્યા.-આચાર્ય, અનેક ગ્રન્થ નિર્માતા પંડિત બાલકૃષ્ણ શર્મા પંચોલીની સંમતિ --
પૂર્વે જૈન મતાનુસારે પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ બાબતમાં વિવાદ ઉત્પન્ન થયો. તે અંગે “શાસન જયપતાકા નામની વ્યવસ્થા મારી સામે આવી. ત્યારે જૈન ધર્મના ગ્રંથોનું અવલોકન કર્યા વગર જ એ વ્યવસ્થાના હિસાબે મેં સહી કરી; પરંતુ હવે પરસ્પર મતભેદ ધરાવતા બે જૈનાચાર્યોની બે વ્યવસ્થા પ્રાપ્ત કરીને તેના ઉપર સારી રીતે વિચાર કરીને અહંત-તિથિ-ભાસ્કરની વ્યવસ્થા એ જ પ્રમાણિક છે, એવું હું પ્રમાણપુરસ્સર કહું છું. કાશી-તા. ૨૫-૧૨-૪૯
દ, બાલકૃષ્ણ શર્મા પંચોલી, . (૧૨) ન્યાયકેસરી, તર્કતીર્થ, વગેરે અનેક પદવીધર, હિન્દુ વિશ્વવિદ્યાલયમાં દર્શનવિભાગના અધ્યાપક, તાર્કિકચક્ર-ચૂડામણિ શ્રી વામાચરણ ભટ્ટાચાર્ય - પૂર્વે જૈન ગ્રંથો જોયા વગર જ શાસન જયપતાકામાં મેં સહી કરી હતી. હવે, જૈન ગ્રંથે જેવાથી હું નિશ્ચય કરું છું કે અહંત-તિથિ-ભાસ્કરની વ્યવસ્થા સંપૂર્ણપણે સાચી છે. બીજા ધર્મની સામાચારીથી પણ જણાય છે કે-આ જ વ્યવસ્થા શાસ્ત્ર-સિદ્ધ છે. કાશી-મહા વદી ૪, વિ. સં. ૨૦૦૬
દ, વામાચરણ ભટ્ટાચાર્ય, ' (૧૩) ન્યાયશાસ્ત્રના ઉચ્ચ ગ્રંથના અજોડ વ્યાખ્યાકાર, નવ્ય ન્યાયશાસ્ત્રારમહાકેશરી, ગવર્મેન્ટ સંસ્કૃત કેલેજના મુખ્ય પ્રેફેસર પંડિત શિવદત્ત મિશ્ર–
મહામહોપાધ્યાય ૫. ચિસ્વામી શાસ્ત્રીએ રચેલ શ્રી શાસન જયપતાકાને અંદરથી સંપૂર્ણપણે તપાસીએ તે આદરવાને અગ્ય જ લાગે છે, કારણ કે-એક તે તેણે જ્યોતિષ શાસ્ત્રના અસાધારણ વિષયમાં ધર્મશાસ્ત્રના અનચિત પ્રવેશનું સમર્થન કર્યું છે. બીજું, ક્ષયે પૂર્વાઈત્યાદિ ઉમાસ્વાતિ મહારાજના વચનનું તત્ત્વતરંગિણી, કલ્પસૂત્ર દીપિકા આદિ જૈન શાસ્ત્રોથી વિરૂદ્ધ, અપ્રામાણિક અને યુતિ વગરનું વ્યાખ્યાન કર્યું છે. માટે તે શાસનજયપતાકાનું અકાટય ખંડન કરીને અહંત-તિથિ-ભાસ્કર નામના નિબંધે જે સિદ્ધાંત સ્થાપે છે, તે જ શાસ્ત્રીય અને અતિ પ્રાચીન જૈન સામાચારીને અનુકૂલ હોવાથી, ધાર્મિક જૈન સંઘે એને સારી રીતે આદર કરે જોઈએ એવું હું માનું છું.
દ, શિવદત્ત મિશ્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org