SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ } [જૈન દૃષ્ટિએ તિચિસ્ક્રિન અને પર્વોરાધન–સંગ્રહવિભાગ પ્રધાન સંપાદક, સાહિત્ય-વ્યાકરણ-દનાદિ શાસ્ત્રોના આચાર્યોમાં આગેવાન, કવિ અને તાર્કિકામાં ચક્રવર્તી, શ્રી મહાદેવ પાંડેયની સમ્મતિઃ— (૧) બુદ્ધિનું ફળ અનાગ્રહ છે, અને (૨) સત્યમાં કયાંય પણ ભય નથી–એવા પ્રકારના વ્યવહારો સારા વિચાર કરીને, તેમ જ (૩)પતિજનાની પહેલી બુદ્ધિ એ પાછળથી પ્રાપ્ત થયેલા પ્રમાણ નિશ્રયથી બાધ્ય થાય છે, એ તાર્કિકાના રિવાજને અનુસરીને, ધણા પાસેથી લીધેલા પાપોની માફક પ્રમાણાભાસ રૂપ કચરાથી ભરાયેલી એવી શાસનજયપતાકાને પહેલાં જોયા પછી વિદ્રાનામાં અગ્રણીઓએ રચેલ અને વિકટ તર્કની કસોટીથી કસાયેલ સુવર્ણ હાર સમાન એવા અદ્-તિથિ-ભાસ્કરને જોતાં કયા અંતર્વાણી વિદ્વત્સમૂહમાં શિરામણિ વારંવાર આનંદ ન પામે ? કાણુ એવા પ્રતિષ્ઠિત મધ્યસ્થ હશે, કે જે ઈચ્છા ન હોવા છતાં પણુ, પ્રશંસનીય એવું આ નિબંધરત્ન પામીને કંઠને વિષે ધારણ ન કરે ? (૧) હું પણ વિદ્વાનાના ન્યાયી મા ંને અનુસરવા માટે, રચાતા 'ચાંગાનાં કથા જેવાં કહ્યાં હાય તેવાં ગ્રહણ કરવામાં પ્રમાણિકતા માનું છું. સાથે જ, (૨) પતિથિઓની ક્ષયદ્ધિને સંપ્રદાયના ગ્રંથ રૂપી શેરીઓમાં અને પ્રાચીન શિષ્ટ પુરુષોની પારસ્પરિક ર આચરણામાં ઘણે સ્થળે જોઉ બ્રુ. (૩) એ પતિથિમાં એકનો સૂર્યાધ્યકાળે ક્ષય પ્રાપ્ત થાય ત્યાં, વિવાદ ઉભા થતાં, એક સાથે (એક જ વારમાં ) બન્ને પતિથિના કાર્યનો પ્રારંભ પ્રમાણાબાધિત નથી એવું માનું શ્રુ, એથી જ અર્હતિથિભાસ્કર ગ્રંથની પ્રામાણિકતાના વારંવાર ખૂબ જ આદર કરૂં છું. કાશી—મહા વદ ૨,વિ. સં. ૨૦૦૬ ૬: મહાદેવ પાંડેય. (૭) કાશીના રામાનુજ સંસ્કૃત મહાવિદ્યાલયના અધ્યક્ષ, શાસ્ત્રારબ્ધર, વ્યાકરણાદિ અનેક શાસ્ત્રોના અધ્યાપકામાં શ્રેષ્ઠ, વૈષ્ણવપ્રવર, વિદ્યુલાલ કાર પૂર્ણ ચંદ્ર આચાર્યની સમ્મતિઃ— પૂર્વે સ. મ. ૫. ચિન્નસ્વામીજીએ કાંઈક ઉપલકીયું સુંદર કહીને પોતે રચેલી શાસનજયપતાકામાં મારી સહી લીધી હતી, પરંતુ હવે પ་તિથિ-ક્ષયવૃદ્ધિ સંબધી જૈન શાસ્ત્રાદિની સહાયથી તે વિષયમાં ઉંડા પ્રવેશ કરીને તપાસતાં, · શાસનજયપતાકા 'માં સમન કરેલો મત અપસિદ્ધાન્ત રૂપી ખાડામાં પડેલો છે' એમ પ્રમાણપુરસ્કર માનું છું. વિદ્વાનોની સમિતિએ લખેલ અર્હત્-તિથિભાસ્કરમાં જે અનેકાનેક યુક્તિ અને પ્રમાણથી સ્થાપન કરેલા સિદ્ધાંતા છે, તેજ જૈન પર'પરા અને જૈન શાસ્ત્રાદિને સમ્મત છે, એવા મને નિશ્ચય છે. એના જ ધાર્મિક જૈનસધ ઉપાદેય તરીકે સ્વીકાર કરે, એમ હું દૃઢતાપૂર્વક કહું છું. કાશી—મહા વદ ૩, વિ. સં. ૨૦૦૬ ૬: પૂર્ણ ચંદ્રાચાય . (૮) કાશીના શ્યામા મહાવિદ્યાલયના પ્રધાન અધ્યાપક ઉગ્રાનન્દ આની સમ્મતિઃ— મ. મ. ૫. ચિન્નસ્વામીજીએ રચેલ શાસનજયપતાકાનું યુક્તિથી અને પ્રમાણેાથી સારી રીતે ખંડન કરીને જે સિદ્ધાંત કાશીની વિદ્વત્સમિતિએ નિર્ણિત કર્યો છે, એ જ જૈન ધર્માંના ગ્રંથને અનુસારે હોવાથી, જૈન ધાર્મિક જનતાને આદરણીય છે. મેં પહેલાં આ સબંધી જૈન ગ્રંથ જોયા વગર પતાકાને ઉપરછલ્લી રીતે જોઈને સમ્મતિ આપી હતી, પરંતુ શ્રીરામચંદ્રસૂરિના પક્ષ જ વ્યાજખી છે એવું હું સમર્થન કરૂ છું. દ: ઉગ્રાનન્દ ઝા (૯) વ્યાકરણ–મિમાંસા-સાંખ્યયોગ-વેદાંતના આચાય, ધમ શાસ્ત્રાદિના મહાપંડિત, શાબ્દિકશિરોમણિ, પંડિત ભૂપનારાયણ ઝાની સંમતિઃ— · અનેક કલ્પનાના જોર પર કાઈ એ ઉભી કરેલી, દેખાવમાં સુંદર એવી શાસનજયપતાકાને અંદર ઉતરીને જોયા વગર માત્ર એના રચનાર ઉપર વિશ્વાસ રાખીને, તથા કદાચ તે જુઠી હોય એ શંકાથી ઉના શ્વાસે મેં સંમતિ આપી હતી, પરંતુ આજે વિદ્વત્સમિતિ થકી અતિથિભાસ્કર' નામના સૂ સમાન ગ્રંથ ઉય પામે છે, તેને સર્વ પ્રકારે માન્ય એવા શ્રીરામચંદ્રસૂરિના પક્ષ જ ન્યાયી કરે છે. આગ્રહ નહિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy