SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ લવાદી ચર્યાને અંગેનાં પરિશિ ] ૪૩ ચીઠ્ઠી નં. : આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજી, આપે આપના નિરૂપણમાં–વર્તમાન દેવમૂર તપાગચ્છના મુખ્ય નાયક શ્રી વિજયદેવસૂરિજી મહારાજના પિતાના પક” તરીકે જણાવેલ પટ્ટકની મૂળ પ્રતિ સુશ્રાવક મગનલાલ રણછોડદાસ સાથે મોકલી આપવાનું આપને જણાવેલ તે મુજબ આપે મજકુર પટ્ટકની મૂળ હસ્તલિખિત પ્રતિ એકલી નથી તે તે મોકલી આપશોજી. આપના નિરૂપણમાં જણાવેલી શાસ્ત્રીય પુરાવાની ચોપડીમાં છપાયેલા નં. ૧ થી ૧ સુધીના પુરાવાઓની મૂળ હસ્તલિખિત પ્રતિએ માટે આપે સુરત પત્ર લખવાનું અમને જણાવેલું છે તે અમે આજે સુરત પત્ર લખીશું. હાલ એજ. વિ. સં. ૧૯૯૯ ના માગશર શુ. ૮ મંગલવાર ? વિજ્યરામચન્દ્રસૂરિ. શ્રી જન સાહિત્ય મંદિર-પાલીતાણા. ચીઠ્ઠી નં. ૪: આચાર્ય શ્રી સાગરીનંદસૂરિજી, આપે આપના નિરૂપણમાં– “વર્તમાન શ્રીદેવસૂર તપાગચ્છના મુખ્ય નાયક શ્રી વિજ્યદેવસૂરિજી મહારાજના પિતાના પક” તરીકે જણાવેલ પટ્ટકની મૂળ હસ્તલિખિત પ્રતિ વગેરે સુશ્રાવક મગનલાલ રણછોડદાસ સાથે મોકલવાનું અમે આપને ગઈ કાલે ચીઠ્ઠી લખીને જણાવેલું. તેના ઉત્તરરૂપે આજે આપે એક ચીઠ્ઠી સાથે બે પ્રતે મોકલી. તે બે પ્રતે શ્રીવિજયદેવસૂરિજી મહારાજના પટ્ટકની હસ્તલિખિત મૂળ પ્રતિઓ નહિ લાગવાથી આપને આજે બીજી ચીઠ્ઠી લખીને તે મોકલી આપવા વિષે જણાવવા સાથે દશ પુરાવા વિગેરેની બાબત જણાવી, જેના મૌખિક ઉત્તરમાં આપે મજકુર પટ્ટક વિષે કાંઈ તે જણાવ્યું પણું નહિ અને મંગાવેલ પ્રતિ મોકલી પણ નહિ. આથી ત્રીજી વાર ચીઠ્ઠી લખીને સુશ્રાવક મગનભાઈ સાથે મજકુર પટ્ટકની મૂળ હસ્તલિખિત પ્રતિ મોકલી આપવા જણાવ્યું. આ ત્રીજી ચીઠ્ઠીના ' જવાબમાં આપે સુત્રાવક મગનભાઈ સાથે એમ કહેવડાવ્યું છે કે-“ શ્રી વિજયદેવસૂરિજી મહારાજના પેતાના પટ્ટકની હસ્તલિખિત મૂળ પ્રતિઓ અમે આજે સવારે જે મોકલી છે તેજ છે.” આથી આપને જણાવવાનું કે આજે સવારે આપે મોકલેલી પ્રતિ એ- વર્તમાન શ્રીદેવસૂર તપાગ ના મુખ્ય નાયક શ્રી વિજયદેવસૂરિજી મહારાજના પિતાના પદકનીજ હસ્તલિખિત મૂળ પ્રતિએ! હોવાનું આપ જે જે કારણોસર માનતા હો તે વિગતવાર લખી જણાવશે, જેથી અમે તે વિષે વિચાર કરી શકીએ. આપે મોકલેલ બે પ્રતિઓમાં શ્રીવિજ્યદેવસૂરિ મહારાજનો નામોલ્લેખ પણ નથી અને તેઓશ્રી કાળધર્મ પામ્યા પછી ઘણાં વર્ષો બાદ લખાયાને લેખ પણ બે પૈકીની એકજ પ્રતિમાં છેવિગેરે ઘણાં કારણો એવાં છે કે જેને અંગે આપને આ ખુલાસો પૂછાવવાની જરૂર પડી છે. વધુમાં, -ગઈ કાલો આપતા નિરૂપ ગુમાં આપે સૂયલ “શાસ્ત્રીય પૂરાવા’ની ચેપડીમાં છપાયેલા નં. ૧ થી ૧૧ સુધીના દશ પૂરાવાઓની મૂળ હસ્તલિખિત પ્રતિ મોકલી આપવાને માટે ગઈ કાલની ચીકીમાં જણાવતાં તેના જવાબરૂપે આજની આપની ચીકીમાં આપે જણાવ્યું કે-“ નં. ૧ થી ૧૦ છાપેલા છે લખેલી પ્ર સુરત જે નાનંદ પુસ્તકાલયમાં મળશે.” આથી આપને અમારી બીજી ચીકીમાં “તે હસ્તલિખિત મૂળ પ્રતિઓ સુરત છે તે તે પણ તરત જ મંગાવીને અત્રે મોકલી આપશે.” એમ જણાવ્યું, ત્યારે આપે કહેવડાવ્યું કે “તમે સુરત પત્ર લખો અને આજે હું પણ સુરત પત્ર લખું છું. તરત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy