________________
૨૪૦
[ જન દૃષ્ટિએ તિથિદિન અને પરાધન...
કરવાથી, અને પિતાના મુદ્દાબેન તથા તે ઉપરના પોતાના નિરૂપણના સમર્થન માટે પૂ. આ.. શ્રી સાગરાનંદસૂરિજી બે રજૂ કરેલા પૂરાવાઓની મૂળ નક, પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજે માંગવા છતાં પૂરી પાડી નહિ, તેથી તેમના ખાવા અન્યાયી વલણની પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજે શેઠ શ્રી કસ્તુરભાઈને જાણ કરી. તેના જવાબમાં શેઠશ્રીએ જણાવ્યું કે-“પાલીતાણામાં ગોઠવાયેલી વ્યવસ્થા બાબત, તે વખતે આપ બને પૂની એકમતિ જણાયાથી, અને મારી નાદુરસ્ત તબિયતને કારણે મેં કશી નેંધ રાખી નથી. તેથી હવે તે આ મતભેદનો નિકાલ સરપંચ સમક્ષ જ કરી લે ઠીક રહેશે.”
આ પછી શેઠશ્રી, લવાદ શ્રી વેલને લઈને પાલીતાણુ આવ્યા અને ત્યાં ત્રણ દિવસ સુધી લવાશ્રીએ બને પૂ. આચાર્ય ભગવતેની સાથે મૌખિક પ્રશ્નોત્તરી કરી. મૌખિક ચર્ચા સમેટાઈ ગયા પછી અંતમાં પૂ આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજે લવાઇશ્રીને જણાવ્યું કે
આ. શ્રી સાગરનન્દસૂરિજીએ પોતાના સમર્થન માટે રજૂ કરેલા પૂરાવાઓની મૂળ ન અમને આપી નથી અને અમારાં નિરૂપણના તેઓશ્રીએ કરેલા ખંડનની નકલ પણ અમને આપી નથી. આ પરિસ્થિતિમાં તેઓશ્રીએ રજૂ કરેલા પૂરાવાઓ અંગે અને તેઓ શ્રી બે કરેલા અમારા ખંડનના લખાણ અંગે અમારા મનમાં શંકા રહ્યા કરે એ સ્વાભાવિક છે. કારણ કે–તેમણે રજૂ કરેલા પૂરાવાઓની મૂળ નકલે, તેમણે કરેલું અમારું ખંડન અને તેમાં જે કંઈ નવા શાસ્ત્રપાઠો રજૂ કર્યા હોય તો તે, આ બધું જોયા વગર એ બધા અંગે અમારો મૂવસે કયી રીતે જણાવી શકીએ ? અને આ રીતે અમને ખૂલાસો કરવાની તક ન મળે, છતાં જો લવાદી ચૂકાદામાં એ પૂરાવા, ખંડન કે શાસ્ત્રપાઠે ધ્યાનમાં લેવામાં આવે, તે તે ન્યાયયુક્ત ગણાય નહિ.”
પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજની આ રજૂ ખાતના જવાબમાં શ્રી વૈધે જણાવ્યું કે “જે પૂરાવાઓની મૂળ નકલે પૂરી પાડીને, એ અંગે ખૂલાસ કરવાની આપશ્રીને તક આપવામાં આવી હશે, તેવા જ પૂરાવા હું ધ્યાનમાં લઈશ. તે સિવાયના પૂરાવાઓ જે રજૂ કરાયા હશે, તે તેની મૂળ નકલે આપશ્રીને મોકલીને અને તે અંગે ખૂલાસે કરવાની આપશ્રીને તક આપીને જ તે પૂરાવાઓ હું ધ્યાનમાં લઈશ.”
આવું જણાવવા સાથે શ્રી વૈધે પૂ. આ. શ્રી સાગરાનંદસૂરિજી પાસેથી ખંડનની નકલ તેઓશ્રીની સહી કરાવવાપૂર્વક, પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજને અપાવી. આ વખતે ય પૂ. આ. શ્રી સાગરાનંદસૂરિજીએ, તેમના નિરૂપણના પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજે કરેલા ખંડનની નકલ લેવાને તે ઈન્કાર જ કર્યો.
આ બધી હકીક્ત, ચીટ્રીવ્યવહાર પ્રગટ કરવા દ્વારા અત્રે રજૂ કરવાનું એ કારણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org