________________
..લવાદી ચર્ચાને અંગેનાં પરિશિષ્ટ |
૩૨૭
૧૯૫૨, ૧૯૧, ૧૯૮૯ અને ૧૯૯૨ માં, તિથિની ક્ષય–વૃદ્ધિ આવે ત્યારે કેમ કરવું, એ અંગે આપણા પૂર્વના મહાપુરૂષોના ગ્રન્થમાં ઘણા - સ્પષ્ટ ખુલાસાઓ છે, પણ વચલા કાળમાં કેટલીક ગેરસમજે ફેલાવા પામી અને એથી ગેરરીતિઓ પણ ચાલવા માંડી. એમાં જે મહાપુરૂષની આપણે આજે વાત કરી, તે મહાપુરૂષ જે સાલમાં કાલધર્મને પામ્યા, તે સંવત ૧૯૫૨ માં સંવત્સરીની તિથિના દિવસને અંગે પ્રશ્ન ઉભો થવા પામ્યો હતો. તે સમયે શાસ્ત્રાનુસારી રીતિને સાચવવાનો સુયશ જેમ આ સ્વર્ગસ્થ મહાપુરૂષને ફાળે જાય છે, તેમ તે સમયે અને તે પછીથી ૫ શાસ્ત્રાનુસારી રીતિને સાચવવાનો સુયશ અત્રે વિરાજમાન શ્રીસંઘસ્થવિર, વયોવૃદ્ધ આચાર્યદેવ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજને ફાળે પણ જાય છે. સંવત્ ૧૯૫૨ માં આપણા સમાજને સર્વાનુમતે માન્ય ચંડાશુગંડૂ પંચાંગમાં ભાદરવા સુદ પાંચમનો ક્ષય આવ્યો. એ વખતે ભરૂચના સુશ્રાવક અનુપચંદભાઈ, કે જે તે સમયે એક પીઢ સુશ્રાવક ગણતા હતા, જેમની સંધમાં તત્ત્વવેત્તા તરીકેની ખ્યાતિ હતી, જેમણે અનેક તાવિક પ્રશ્નોના અનેકેને ખૂલાસાઓ આપેલા જે ગ્રંથ રૂપે પ્રગટ થઈ ગયેલ છે અને જેમનું વચન બને ત્યાં સુધી સાધુઓ પણ ઉત્થાપતા નહિ, કેમ કે એ જે વાત કહે તે માનવા જેવી જ વાત કહે, એવી છાપ હતી, તેમણે ભાદરવા સુદ પાંચમના ક્ષાના સંબંધમાં શ્રી આત્મારામજી મહારાજને પૂછયું. એ કાળમાં શ્રી આત્મારામજી મહારાજ એવા અહમતમખ્ય હતા કે શાસ્ત્રીય બાબતોમાં જ્યારે પૂછવું પડે, ત્યારે સુત્રાવક અનુપચંદભાઈ શ્રી આત્મારામજી મહારાજને પૂછાવતા હતા. શ્રી આત્મારામજી મહારાજે ભાદરવા શદ પાંચમને ક્ષય માન્ય રાખવામાં સંમતિ જણાવી. બીજા પણ બહુશ્રુતિએ ચોથ–પાંચમ એક દિવસે જ ગણી ભાદરવા સુદ ચોથ ઉદયતિથિના દિવસે જ સંવત્સરી કરવી એમ જણાવેલું. મૂળ તે સંવત્સરી ભાદરવા સુદ પાંચમની હતી. પણ યુગપ્રધાન આયાયં ભગવાન શ્રીમત કાલિકસૂરીશ્વરજી મહારાજાથી સંવત્સરીની તિથિ તરીકે ભાદરવા શદ ચોથ પ્રવતી. એ વખતે ભાદરવા સુદ પાંચમ અને ચોમાસીની ત્રણ પૂનમે, એ મહાપ ગણાતાં. પંખી તો પહેલેથી જ ચૌદશે હતી. આચાર્યભગવાન શ્રીમત્ કાલિકસૂરીશ્વરજી મહારાજ યુગપ્રધાન હોઈને, તેઓશ્રીએ, સંગવશાત્ પણ શાસ્ત્રને આંખ સામે રાખીને, સંવત્સરી ભાદરવા સુદ ચોથે કરી. કેઈ કહેશે કે—“ કારણે ચેક કરી, પણ પછી પાંચમે કેમ ન ફેરવાય ?” પણ શાસ્ત્રનું વિધાન એવું છે કે એક વાર કર્યો પછીથી પાંચમે સંવત્સરી થાય જ નહિ. એક પણ તિથિ આગળ તે જવાય જ નહિ. ખુદ યુગપ્રધાન પણ, તે પછીથી ચોથની પાંચમ કરી શકે નહિ. જે એક વાર ચોથે સંવતસરી કર્યા પછી પાંચમે સંવત્સરી થઈ શકતી હતી, તે આચાર્યભગવાન શ્રીમત કાલિકસૂરીશ્વરજી મહારાજા સંવત્સરીની તિથિ તરીકે ચૂથને પ્રવર્તાવત નહિ; પરન્તુ શાસ્ત્રના નિયમને બાધ આવતો હોવાથી અને જે કઈ આગળ જાય તે વિરાધનાના પાપને ભાગીદાર થાય તેમ હોવાથી, ત્યારથી ચોથે સંવત્સરી નિયત થઈ. શાસ્ત્રના નિયમને અબાધિત રાખવાને માટે ચોથ કાયમ રાખી, એટલે સંવત્સરીને લગતા ૫૦-૭૦ દિવસના નિયમને જાળવવાને માટે મારી પૂનમે થતી હતી તે ચૌદશે નિયત કરી. ત્યારથી ત્રણ માસીમાં ૫મ્મીનો સમાવેશ પણ થઈ ગયો. અંચલ ગચ્છાદિને કેટલોક વખત થયો? એ કાંઈ સે બસો વર્ષોથી જ પડેલા ભેદો નથી. એમાં કેટલીક વાર મહિનાફેર પજુસણ આવે છે ને ? આવો મોટો ફેર કેમ ટાળી શકાય નહિ? જ્યારે જૈન પંચાંગો હતાં, ત્યારે પોષ અને આષાઢ માસ સિવાયના મહિનાઓ વધતા નહિ, પણ જેને પંચાંગનો વિચ્છેદ થતાં લૌકિક પંચાંગને સ્વીકારવું પડ્યું અને એથી લૌકિક પંચાંગમાં આવતા બે શ્રાવણ, બે ભાદરવા આદિને સ્વીકાર કરવો પડ્યો. જ્યારે બે શ્રાવણ કે બે ભાદરવા મહિના આવે છે, ત્યારે ૫૦ દિવસેને બદલે ૮૦ દિવસોએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org