SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ | જૈન દષ્ટિએ તિથિરિન અને પરાધન. પર્વતિથિનો ક્ષય આવ્યો હોય, ત્યારે તેઓ કલ્યાણકપર્વતિથિના ક્ષયના બદલે તે પર્વતિથિની પૂર્વની કે પછીની તિથિને ક્ષય માન્યા વિના જ, એટલે કે કઈ પણ દિવસે તે પર્વતિથિની માન્યતા કર્યા વિના જ, પછીની તિથિએ કલ્યાણકપર્વતિથિની આરાધના માને છે. અમે તેવા પ્રસંગમાં પૂર્વની તિથિ, કે જે પર્વો પૈકીની ક્ષીણકલ્યાણકપર્વતિથિયુક્ત પર્વતિથિ છે, તે તિથિએ જ બને ય પર્વતિથિઓનું આરાધન થાય છે–એમ. માનીએ છીએ. આ ઉપરાન્ત, બીજ આદિ ષવ પિકીની પર્વતિથિઓની હાનિ-વૃદ્ધિએ તેની પૂર્વની એકમ આદિ તિથિઓને “અપર્વતિથિ તરીકે માની-કહીને જ આચાર્ય શ્રી સાગારાનંદસૂરિજી એકમ આદિની હાનિ-વૃદ્ધિ કરે છે, એટલે એવા પ્રસંગમાં મૂકાએલી એકમ આદિ તિથિએ જ કલ્યાણકપર્વતિથિઓ હોય, તો તે પર્વતિથિઓને પણ આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજી અપર્વતિથિ તરીકે જ માને-કહે છે. વધુમાં, ષવી પૈકીની પર્વતિથિની હાનિ-વૃદ્ધિના બદલામાં પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની હાનિ-વૃદ્ધિ કરવાના પિતાના મન્તવ્યને અંગે, જે કલ્યાણકપર્વતિથિઓને ક્ષય ન હોય તે પર્વતિથિએને ક્ષય પણ માનવાને તથા કહેવાને પણ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી તત્પર બને છે અને જે કલ્યાણકપર્વતિથિઓની વૃદ્ધિ ન હોય તે પર્વતિથિઓની વૃદ્ધિ માનવાને તથા કહેવાને પણ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી તત્પર બને છે. એટલું જ નહિ, પણ તેવી ક્ષય-વૃદ્ધિની કલ્પના કર્યા પછીથી, “ક્ષયના પ્રસંગમાં પૂર્વ તિથિએ અને વૃદ્ધિના પ્રસંગમાં ઉત્તરતિથિએ. પર્વારાધન” કરવાના નિયમને પણ લાગુ પડે છે. અમારા અનેં આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીના મન્તવ્યભેદને લગતી ઉપર જણાવેલી મુખ્ય મુખ્ય બીનાઓને સંગ્રહીત કરીને મુખ્ય મુદ્દો તૈયાર કરાયે છે, અને અમે જે પચીસ મુદ્દાઓ તારવ્યા છે તે પણ ઉપર જણાવેલી મુખ્ય મુખ્ય બીનાઓને લક્ષ્યમાં રાખીને જ તારવ્યા છે. હવે અમે પચીસ મુદ્દાઓ પૈકીના પ્રશ્રમ મુદ્દાના સંબંધમાં અમારું જે મન્તવ્ય છે તે જણાવવા સાથે, તે સંબંધી જૈન શાઆધારને પણ જણાવીએ છીએ. ' અમારું મન્તવ્ય એવું છે કે-પર્વતિથિઓની આરાધનાને માટે, મળે ત્યાં સુધી, ઉદયતિથિને જ ગ્રહણ કરવાની જૈન શાસકાર-પરમર્ષિઓની આજ્ઞા છે. જે પર્વતિથિ ઉદયતિથિ તરીકે પ્રાપ્ત થતી હોય, તે પર્વતિથિની આરાધનાને માટે કઈ પણ સંગોમાં તે ઉદયતિથિથી લિન એવી તિથિને ગ્રહણ કરવાનું, જૈન શાસ્ત્રકાર-પરમર્ષિઓએ ફરમાવ્યું નથી. જૈન શાસ્ત્રકારપરમર્ષિઓએ ફરમાવ્યું છે કે સવારે પ્રત્યાખ્યાન વેળાએ જે દિવસે જે તિથિને ભોગવટે વિદ્યમાન હોય, તે દિવસે તે તિથિને પ્રમાણ કરવી. ચાતુર્માસિક, સાંવત્સરિક, પાક્ષિક, પંચમી અને અષ્ટમીમાં તે જ તિથિઓ પ્રમાણ જાણવી, કે જેમાં સૂર્યને ઉદય થાય છે–ીજી નહિ! જે તિથિમાં સૂર્ય ઉદય થાય છે, તે જ તિથિમાં પૂજા, પચ્ચખાણ, પ્રતિક્રમણ અને નિયમનું ગ્રહણ કરવું જોઈએ. સૂર્યોદયમાં જે તિથિ હોય તેને જ પ્રમાણ કરવી; બીજી તિથિને પ્રમાણ કરવામાં આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના પ્રાપ્ત થાય છે. પૂજયપાદ આચાર્યભગવાન શ્રીમદ રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાએ વિ. સં. ૧૫૦૬ માં રચેલા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy