________________
લવાદી ચર્ચામાં પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ કરેલું નિરૂપણ ] રૂપે પ્રાપ્ત થએલી ચતુર્દશીમાં ફેરફાર કરવું જોઈએ, એટલે કે તેરશે ચૌદશ માનવી જોઈએ અને ઉદયતિથિ ચૌદશે માત્ર ક્ષીણપૂર્ણિમાને જ ઉદયતિથિ રૂપ બનાવીને માનવી
જોઈએ.” આવું અમાસના ક્ષયે તથા ભા. સુ. ૫ ના ક્ષયે પણ સમજી લેવાનું છે. (૮) જ્યારે એવી પર્વતિથિની વૃદ્ધિ આવે છે, કે જે પર્વતિથિની પૂર્વની તિથિ પણ પર્વતિથિ હોય
છે, ત્યારે અમારા અને આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીના મન્તવ્ય વચ્ચે જે ભેદ ઉપસ્થિત થવા પામે છે, તે પણ અત્રે પૂનમના દષ્ટાન્તપૂર્વક સૂચવાય છે. “પૂનમની વૃદ્ધિના પ્રસંગે પ્રથમ પૂર્ણિમા અને દ્વિતીયા પૂર્ણિમા એવી સંજ્ઞા કાયમ રાખીને, પર્વારાધનને અંગે પ્રથમા પૂર્ણિમાની અવગણના કરીને દ્વિતીયા પૂર્ણિમાએ પૂર્ણિમાનું પર્વારાધન કરવું જોઈએ.”–આવું અમારું માનવું છે. સામા પક્ષે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીનું, આ વિષયમાં, એવું માનવું છે કે-“પૂનમની વૃદ્ધિના પ્રસંગે પ્રથમ પૂર્ણિમા અને દ્વિતીયા પૂર્ણિમાએવી સંજ્ઞા થઈ શકે જ નહિ. પૂનમની વૃદ્ધિના બદલે તેરશની વૃદ્ધિ કરવી જોઈએ અને તેમ કરીને ઉદયતિથિ રૂપે પ્રાપ્ત થએલી ચૌદશને બીજી તેરશ બનાવી, પ્રથમા પૂર્ણિમાને ચૌદશ બનાવી, પ્રથમ પૂર્ણિમાએ ચૌદશની અને દ્વિતીયા પૂર્ણિમાએ પૂનમની આરાધના
કરવી જોઈએ.” (૯) કલ્યાણકપર્વની તિથિઓને અપર્વતિથિ કહેવાય-મનાય કે નહિ અને પર્વતિથિઓના
આરાધનને અંગે જૈન શાસ્ત્રકાર મહાપુરૂષોએ ફરમાવેલા ઉદય, ક્ષય તથા વૃદ્ધિ સંબંધીના નિયમે જેમ ચતુષ્કર્વી, પંચપર્વ અને પર્યાવ તેમ જ વાર્ષિકપર્વ ભા. સુ. ૪ ને લાગુ પડે તેમ કલ્યાણકપર્વની તિથિઓને પણ લાગુ પડે કે નહિ–એ સબંધમાં પણે અમારા અને આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીના મન્તવ્ય વચ્ચે ભેદ પડે છે. અમારું મન્તવ્ય એવું છે કે-“કલ્યાણકપર્વની તિથિઓને પણ અપર્વતિથિ કહેવાય-મનાય જ નહિ. તેમ જ ઉદય, ક્ષય તથા વૃદ્ધિ સંબંધીના નિયમો જેમ ચતુષ્કર્વી, પંચપર્વી, જવ અને વાર્ષિક પર્વ ' ભા. સુ. ૪ ને લાગુ પડે છે તેમ જ કલ્યાણકપર્વતિથિઓને પણ લાગુ પડે છે.”આચાર્ય
શ્રી સાગરાનંદસૂરિજી કલ્યાણકપર્વતિથિઓને પર્વતિથિ તરીકે માનીને કલ્યાણકપર્વતિથિન ક્ષય આવ્યો હોય તે પૂર્વની તિથિએ અને કલ્યાણકપર્વતિથિની વૃદ્ધિ આવી હોય તો , પવરાધનને અંગે પ્રથમાને અવગણીને, દ્વિતીયા (ઉત્તરા) તિથિએ પરાધનને માને છે, એટલે એમ પણ મનાય કે-“ઉદય, ક્ષય અને વૃદ્ધિના જે નિયમને શાસ્ત્રાધારે અમે પર્વતિથિઓને લાગુ પાડીએ છીએ, તે નિયમને આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજી કલ્યાણકપર્વતિથિઓને અંગે, શાસ્ત્રાધારે અમે જે રીતિએ લાગુ પાડીએ છીએ તે રીતિએ સર્વથા લાગુ પાડતા નથી–એમ તે નહિ જ.” કલ્યાણકપર્વતિથિઓની હાનિ-વૃદ્ધિને તેઓ કબૂલ રાખે છે, એટલે એમ પણ મનાય કે-કેઈ પણ પર્વતિથિની હાનિ-વૃદ્ધિ મનાય જ નહિ અને એથી પર્વતિથિની હાનિ-વૃદ્ધિએ પૂર્વની અપર્વતિથિની અને પૂર્વની તિથિ પણ પવતિથિ હોય તો તેની ય પૂર્વની અપર્વતિથિની હાનિ-વૃદ્ધિ માનવી જોઈએએવી જે તેમની માન્યતા છે, તેમાંથી કલ્યાણકપર્વતિથિઓને બાતલ કરી નાખે છે.” વળી, કોઈ પણ કલ્યાણકપર્વતિથિની પૂર્વની તિથિ ષડૂ પૈકીની હોય અને તેવી કલ્યાણક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org