SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ [ જૈન દષ્ટિએ તિયિદિન અને પરાધન પ્રસંગમાં અમે પ્રથમા અષ્ટમી અને દ્વિતીયા અષ્ટમી–એવી સંજ્ઞાને કાયમ રાખીને જ પવરાધનને અંગે પ્રથમાષ્ટમીને અવગણવાનું અને દ્વિતીયા અષ્ટમીએ અષ્ટમીનું પર્વારાધના કરવાનું માનીએ છીએ. સામા પક્ષે આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીનું, આ વિષયમાં, એવું મન્તવ્ય છે કે-“પર્વતિથિની વૃદ્ધિને બદલે પૂર્વની અપર્વતિથિની વૃદ્ધિ કરવી, પૂર્વની અપર્વતિથિની તથા વૃદ્ધા પર્વતિથિની સંજ્ઞા પણ આ ફેરફાર કરીને કરવી અને તે પછી જ વૃદ્ધા પર્વતિથિના બીજા દિવસે પર્વારાધન કરવું.” અર્થાત-બે આઠમ આવી હોય તે તેને બદલે બે સાતમ કરવી, એટલે કે-પહેલી આઠમની પણ બીજી સાતમ એવી સંજ્ઞા કરવી . અને તે પછી બીજી આઠમના દિવસ માત્રને જ આઠમ કહીને આઠમની આરાધના કરવી.” (૫) ચંડાંચડૂ પંચાંગમાં જ્યારે જ્યારે એવી પર્વતિથિની હાનિ અગર વૃદ્ધિ આવે છે, કે જે હીના અગર વૃદ્ધા પર્વતિથિની પૂર્વની તિથિ અપર્વતિથિ હોય છે, ત્યારે ઉપર, કલમ ૩ અને કલમ ૪ માં જણાવ્યો છે તે અમે બન્નેનાં મન્તમાં ભેદ પડતો હોવા છતાં - પણ, હીના કે વૃદ્ધા પર્વતિથિની આરાધના તે અમે બન્ને એક જ દિવસે કરીએ છીએ. તેવા પ્રસંગમાં પરાધનના દિવસમાં અમે બન્નેને કેર પડતો નથી. તેમ તેવા પ્રસંગમાં જે દિવસે પરાધન કરાય છે તે દિવસે આરાધાતી પર્વતિથિનું હેવાપણું છે એમ પણ અમે બને માનીએ છીએ. (૯) ચંડાશુચં પંચાંગમાં જ્યારે જ્યારે એવી પર્વતિથિની હાનિ અગર વૃદ્ધિ આવે છે, કે જે હીના અગર વૃદ્ધા પર્વતિથિની પૂર્વની તિથિ પણ પર્વતિથિ જ હોય, ત્યારે તે અમારા અને સામા પક્ષે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીના મન્તવ્ય વચ્ચે એ ભેદ ઉપસ્થિત થવા પામે છે કે-એ પ્રસંગોમાં ઉપરની કલમ પાંચમીમાં જણાવ્યું છે તેટલું પણ સામ્ય અમારી–તેમની વચ્ચે રહેવા પામતું નથી. () જ્યારે એવી પર્વતિથિને ક્ષય આવે છે, કે જે પર્વતિથિની પૂર્વની તિથિ પણ પર્વતિથિ હોય છે, ત્યારે અમારા અને આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીના મન્તવ્ય વચ્ચે જે ભેદ ઉપસ્થિત થવા પામે છે, તે દષ્ટાન્તપૂર્વક સૂચવ ઠીક થઈ પડશે. અહીં સૂચવાતે મન્તવ્યભેદ ત્યારે જ ઉપસ્થિત થવા પામે છે, કે જ્યારે પૂનમ, અમાસને અગર તે ભા. સુ. ૫ ને ક્ષય આ હેય. એમાંથી કઈ પણ એકનું દષ્ટાન્ત લઈએ. જેમ કેપૂનમને ક્ષય. “પૂનમના ક્ષયના પ્રસંગે ચૌદશે જ ચૌદશના અને પૂનમના એમ બન્નેય પર્વતિથિઓના એક જ દિવસે આરાધક બની શકાય છે અને જરૂર મુજબ મુખ્યગૌણ રીતિએ તે દિવસે ચૌદશની તથા પૂનમની પણ સંજ્ઞા થઈ શકે છે. પૂનમે તપ કરવાનું હોય તેવા પ્રસંગમાં પૂનમે કરવાને ત૫ તેરશે અને તેરશે રહી જવા પામે તે વદ એકમે પણ થઈ શકે છે–આવું અમારું મન્તવ્ય છે. સામા પક્ષે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીનું, આ વિષયમાં, એવું મન્તવ્ય છે કે પૂનમના ક્ષયના પ્રસંગે ચૌદશે ચૌદશપૂનમ એ બનેય પર્વતિથિઓના આરાધક પણ બની શકાય નહિ અને તે બન્ને પતિથિઓની તે એક દિવસે સંજ્ઞા પણ થઈ શકે નહિ. પૂનમના ક્ષયે પૂનમના ક્ષયના બદલામાં તેરશને જ ક્ષય કર જોઈએ. પૂનમના ક્ષયના બદલે તેરશને ક્ષય કરીને, ઉદયતિથિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy