SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ લવાદી ચર્ચામાં પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ કરેલું નિરૂપણ ] મસંગે બન્નેનાં મન્તનું પણ વિગતવાર વર્ણન કરવું પડે. એમ કરવાથી શ્રમમાં વધારે થાય, પુનરૂક્તિઓ વધી જવા પામે અને તે કંટાળો પેદા કરનાર પણ બને. આ વિચારથી, અને પ્રથમ મુદ્દાના વિવેચનના પ્રસંગમાં જ, અમે બન્નેનાં મન્તમાંની મુખ્ય મુખ્ય બીનાઓ રજૂ કરવાનું ઉચિત ધાર્યું છે, કે જેથી પ્રત્યેક મુદ્દાના વિવરણમાં તે મુદ્દાની તારવણી પાછળના હેતુનું વિગતવાર સ્પષ્ટીકરણ કરવાની જરૂર ઉભી રહેવા પામે નહિ અને પુનરૂક્તિપણાને પણ ઘણે ખરે અંશે ઢાળી શકાય. અમે બનેનાં તિથિદિન અને પરાધન સબંધી મામાની મુખ્ય મુખ્ય ભીનાએ – (૧) ચંડાશુગંડુ પંચાંગમાં જ્યાં સુધી કઈ પણ પર્વતિથિની હાનિ અગર વૃદ્ધિ આવતી નથી, ત્યાં સુધી તે તિથિરિન અને પર્વારાધન સંબંધીના અમે બન્નેના મન્તવ્યમાં કશે જ * ભેદ પડતું નથી. (૨) ચંડાશુચÇ પંચાંગમાં જ્યારે પર્વ પિકીની કેઈ પણ પર્વતિથિની અગર વાર્ષિક પર્વસ્વરૂપ ભાદરવા સું. ૪ ની હાનિ અગર તે વૃદ્ધિ આવે છે, ત્યારે અમે બન્નેનાં લિથિલિન અને પવરાધન સંબંધીનાં મન્તમાં જે ભેદ પડે છે, તેના બે વિભાગ પણ પાડી શકાય. (બ) જે પર્વતિથિની હાનિ અગર વૃદ્ધિ આવવા પામી હોય, તે પર્વતિથિની પૂર્વની તિથિ અપર્વતિથિ હોય તેવા પ્રસંગને મન્તવ્યભેદ અને– (૪) જે પર્વતિથિની હાનિ અગર વૃદ્ધિ આવવા પામી હોય, તે પર્વતિથિની પૂર્વની તિથિ પણ પર્વતિથિ હોય તેવા પ્રસંગને મન્તવ્યભેદ. . (૩) જે પર્વતિથિની પૂર્વની તિથિ અપર્વતિથિ હોય, એવી પર્વતિથિને જ્યારે ક્ષય આવ્યો હોય છે ત્યારે અમે બન્નેનાં મન્તોમાં જે ભેદ ઉપસ્થિત થવા પામે છે, તે દષ્ટાન્તપૂર્વક સૂચવીએ એ છીએ. માને કે–સાતમ એ અપર્વતિથિ છે અને તેની પછીની આઠમ એ તો પર્વતિથિ છે જ. એ આઠમના ક્ષયના પ્રસંગમાં-બક્ષીણાષ્ટમીયુક્ત સપ્તમીમાં ક્ષીણાષ્ટમીની આરાધના કરવાનું, એ દિવસે સપ્તમી તથા અષ્ટમી બન્નેને ગૌ-મુખ્ય ભેદે વ્યપદેશ કરવાનું અને સાતમના સૂર્યોદયને સાતમનો સૂર્યોદય માનવા સાથે અષ્ટમીનો પણ સમાતિસૂચક સૂર્યોદય માનવાનું અમારું મન્તવ્ય છે. સામા પક્ષે આચાર્ય શ્રી સાગરનંદસૂરિજીનું, આ વિષયમાં, એવું મન્તવ્ય છે કે-આઠમના ક્ષયના બદલામાં સાતમનો ક્ષય કરે, તે દિવસે જે સાતમપણું છે તેને ઉડાવી દઈને માત્ર આઠમપણું જ કામ કરવું અને તે પછી જ તે દિવસે અષ્ટમીની આરાધના કરવી. આઠમના ક્ષયના દષ્ટાન્તપૂર્વક રજૂ કરાએલે આ મન્તભેદ માત્ર આઠમ પૂરતું જ નથી, પણ બીજ, પાંચમ આદિ જે કઈ પર્વતિથિઓ છે–તે પર્વતિથિઓને જયારે જ્યારે ક્ષય આવે છે અને તે ક્ષીણ પર્વતિથિઓની પૂર્વતિથિ અપર્વતિથિ હોય છે, ત્યારે ત્યારે આવો જ મન્તવ્ય અમો બન્ને વચ્ચે ઉદ્દભવે છે. () જે પર્વતિથિની પૂર્વની તિથિ અપર્વતિથિ હેય, એવી પર્વતિથિની જયારે વૃદ્ધિ આવી હોય ત્યારે અમે વૃદ્ધા તિથિના પ્રથમ અવયવસ્વરૂપ પ્રથમા તિથિને પવરાધનને અંગે અવગણવાનું, અને વૃદ્ધા તિથિના બીજા અવયવસ્વરૂપ દ્વિતીયા તિથિએ પરાધન કરવાનું અને સંજ્ઞા તો તેની જે હોય તે જ કાયમ રાખવાનું માનીએ છીએ. માને કે સાતમ એ અપર્વતિથિ છે અને તેની પછીની પર્વતિથિસ્વરૂપ આઠમ વૃદ્ધિને પામેલી છે. આવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy