________________
| જૈન દષ્ટિએ તિયિદિન અને પરાધન... પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજે પોતાના રજૂ કરેલા
૨૫ મુદ્દાઓને અનુસરીને કરેલું નિરૂપણ
णमोत्थु णं सभणस्स भगवओ महावीरस्स ।
अनन्तलब्धिनिधानाय श्रीगौतमगणधरेन्द्राय नमो नमः। તિથિદિમ” અને “પરાધન” સંબંધી મન્તવ્યભેદને અંગેના નિર્ણય માટે અમેએ તારવેલા પચીસ મુદ્દાઓ પૈકીને પહેલો મુદ્દો નીચે મુજબને છે—
જ (૧) પતિથિઓની આરાધનાને માટે, મળી શકે ત્યાં સુધી, ઉદયતિથિને જ ગ્રહણ કરવાની આજ્ઞા
આ મુદ્દો ઉપસ્થિત કરવાને હેતુ એ છે કે સામા પક્ષે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી : શાંશુચં પંચાંગમાં જ્યારે જ્યારે પૂનમને અને અમાસને ક્ષય આવે છે, ત્યારે ત્યારે જે દિવસે ચૌદશ ઉદયતિથિ રૂપે પ્રાપ્ત થઈ હોય છે–તે દિવસે ચૌદશ માનવા-કહેવાને ઈનકાર કરે છે અને તેરશે ચૌદશ માનવા-કહેવાનું પ્રતિપાદન કરે છે. એ જ રીતિએ, ચંડાશુગંડૂ પંચાંગમાં જયારે જયારે ભાદરવા સુદ ૫ ને ક્ષય આવ્યે હોય ત્યારે ત્યારે જે દિવસે ભા. સુ.૪ ઉદયતિથિ રૂપે પ્રાપ્ત થયેલ હોય તે દિવસે ભા. સુ. ૪ નહિ માનવી જોઈએ, પણ ભા. સુ. ૩ ના દિને જ ભા. સુ. ૪ માનવી જોઈએ, એમ કહે છે. પૂનમ, અમાસ અને ભાદરવા સુદ ૫ ની - વૃદ્ધિના પ્રસંગમાં પણ જે દિવસે ઉદયતિથિ રૂપે ચૌદશ અને ભા. સુ. ૪ પ્રાપ્ત થયેલ છે તે દિવસે બીજી તેરશ અને ભા. સુ. બીજી ત્રીજ માનવા-કહેવાનું તથા પહેલી પૂનમ-અમાસે ચૌદશ અને ભા. સ. પહેલી પાંચમે ભા. સુ. ૪ માનવા-કહેવાનું પ્રતિપાદન કરે છે. આને અંગે કલ્યાણક-પર્વતિથિ ઉદયતિથિ તરીકે પ્રાપ્ત થઈ હોય તે છતાં પણ, જે દિવસે તેના ભોગવટાનો અંશ પણ ન હોય તેવા દિવસે માનવા-કહેવાને પ્રસંગ ઉભો કરે છે. આચાર્ય શ્રી સાગરાનન્દસરિઝ આવું જે કાંઈ માનવા-કહેવાનું પ્રતિપાદન કરે છે. તે જૈન શાસ્ત્રાધારથી કેવી કેવી રીતિએ વિરૂદ્ધ છે–એ દર્શાવવાને માટે તથા અમારું મન્તવ્ય કેવી કેવી રીતિએ જૈન શાઆધારેને સમ્મત છે–એ દર્શાવવાને માટે, આ અને આની પછીના ચોવીસ મુદ્દાઓની તારવણી કરવામાં આવી છે.
તિથિદિન” અને “પર્વારાધન” સંબંધી મન્તવ્યભેદને અંગે નિર્ણય કરવાને માટેના ખાસ મુદ્દાઓ તરીકે અમેએ જે પચીસ મુદ્દાઓ તારવીને રજૂ કર્યા છે, તે જેમ અમારા મન્તવ્યને લક્ષ્યમાં રાખીને રજૂ કર્યા છે તેમ જ સામા પક્ષે આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીનું જે મનવ્ય છે તેને પણ લક્ષ્યમાં રાખીને જ રજૂ કર્યા છે. કારણ એ છે કે–અમે બન્નેનાં મન્તમાંથી તેનું મન્તવ્ય જૈન શાસ્ત્રધારેને સમ્મત છે એ વસ્તુને નિર્ણય કરવાનું કાર્ય જેમને સોંપાયું હોય, તેમને અમારે અમારું મન્તવ્ય કેવી કેવી રીતિએ શાસ્ત્રાધારેને અનુસરતું છે -એ એમ જણાવવું જોઈએ, તેમ સામા પક્ષે આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીનું મન્તવ્ય કેવી કેવી રીતિએ શાઆધારેથી વિરૂદ્ધ છે–એ પણ અમારે જણાવવું જ જોઈએ.
આવા લક્ષ્યથી તારવવામાં આવેલા મુદ્દાઓ વિષે વિવેચન કરતાં, પ્રત્યેક મુદ્દાના વિવેચન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org