SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ | [ જૈન દૃષ્ટિએ તિથિદિન અને પરાધન.. એમ કહેલું હોવાથી, નિયમવિધિ તેને કહેવાય છે કે જે બે પક્ષો પડવાથી સંભવિત બને. અહીં વૃદ્ધી કાર્યો તથોરા' એ શાસ્ત્ર નિયમવિધિ કરનારું છે. તિથિની વૃદ્ધિ આવે ત્યારે તે નિયમવિધિ કરનારા શાસ્ત્રના આધારે બીજી તિથિમાં જ ઔદયિક-તિથિપણું નિયમિત કરાય છે. એટલે આ શાસ્ત્રથી નક્કી થયેલી બીજી તિથિ જ આરાધના માટે ઉપયોગમાં લેવી જોઈએ એમ ફલિત થાય છે. ઉમાસ્વાતિના વચનના પ્રશેષ તરીકે પ્રસિદ્ધ એવા (તથા) અપૂર્વવિધિ અને નિયમવિધિ કરનારા “ક્ષકે પૂર્વ તિથિ વા વૃૌ સાથ તથોત્તર' એ શ્લોકાર્ધને મીમાંસકેનાં વાક્યર્થને નિર્ણય કરનારાં નૈતિક ધરણેને અનુસરીને, આ (ઉપર જણાવ્યા) પ્રમાણેને અર્થ થા. આ અર્થ જ શાસ્ત્રસિદ્ધ અને પ્રામાણિક છે, તેથી તપાગચ્છના સઘળા ય જૈનોએ આ અર્થને સ્વીકાર, એવો નિર્ણય કરવામાં આવે છે. હવે ઉમાસ્વાતિના વચનના પ્રઘોષને જે અર્થ આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીને અભિપ્રેત છે, તે અર્થને વિચારીએ. તેમાં પ્રથમ તો “ો પૂર્વ તિથિઃ વાય' એ શ્લેકચરણ પર્વતિથિએને જ લાગુ પડે છે, સાધારણ શુભતિથિઓ અને અપર્વતિથિઓને નહિ–આ જે તેઓનું કથન, એ તેમને અભિનિવેશ (દુરાગ્રહ) છે. વળી તેઓ પ્રગટ રીતે એમ કહે છે કે સૂર્યપ્રજ્ઞપ્તિ વગેરે આગમગ્રન્થમાં તિથિઓની વૃદ્ધિને નિર્દેશ નથી, તેથી કના બીજા પાદરના પ્રામાણ્ય વિષયે જ અમને સંશય છે. તેમાં છઠ્ઠા મુદ્દાની વિચારણા વખતે અમે નિર્ણય કર્યો છે કે શાસ્ત્રોમાં કઈ પણ પ્રાચીન આચાર્ય “ પૂર્વ તિથિ ” એ ચરણને અર્થ કરતાં પર્વ અને અપર્વ એ શબ્દને પ્રયોગ કર્યો નથી, તેથી તેઓને પર્વ અને અપર્વ એ શબ્દના અધ્યાહાર દ્વારા કરાતે વાક્યર્થ જ અયુક્ત છે એવો અમારે મત છે. સિદ્ધાન્તટિપ્પણના વ્યુચ્છેદ પછી શ્રી જૈન સંઘ, લૌકિક ટિપ્પણને તેનાં દરેક અંગો સાથે સ્વીકાર કરેલું હોવાથી, અને તેમાં તિથિની વૃદ્ધિ આવે છે તેથી, બીજા ચરણને પણ જીતવ્યવહારપરંપરાથી સિદ્ધ એવા પ્રામાયને તપાગચ્છના શાસ્ત્રકારેએ ઘણાં સ્થળમાં સ્વીકારેલું છે, તેથી તેના પ્રામાણ્યના વિષયમાં આધુનિકેને આ સંશય અત્યન્ત જ અયુક્ત છે. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીને ફળે પૂર્વ તિથિ વા એનો અર્થ આ પ્રમાણે અભિપ્રેત છે કે જ્યારે લૌકિક ટિપ્પણ પ્રમાણે ચૌદશ વગેરે પર્વતિથિને ક્ષય જણાય ત્યારે તે પર્વતિથિની પહેલાંની અપર્વતિથિ તેરશ (વગેરે)ને જ ક્ષય કરે. એ રીતે જ્યારે લૌકિક ટિપ્પણ પ્રમાણે પૂનમ, અમાસ અને ભાદ્રસુદ પાંચમને ક્ષય જણાય, ત્યારે ચૌદશનું અને ભાદ્રપદની સુદ ચોથનું પર્વતિથિપણું હોવાથી તેને ક્ષય ન કરતાં તેની પણ પહેલાં રહેલી અપર્વતિથિ તેરશ અને ભાદ્રપદ સુદ ત્રીજને ક્ષય કરે. હવે પૂર્વ તિથિ એને તે આ અર્થ, દેષદ્રષિત હવાના કારણે જ અમને અગ્રાહ્ય જણાય છે. પર્વ અને અપર્વ શબ્દને અધ્યાહાર કરીને જ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી આ પાદને અર્થ કરે છે. તે અધ્યાહાર માટે શાસ્ત્રોમાંથી કઈ પણ પ્રમાણ નજરે ચડતું નથી. અમે પણ એવો અર્થ શાસ્ત્રમાં કઈપણ સ્થળે જે નથી. તત્વતરંગિણાકાર આદિના સ્વપજ્ઞ વ્યાખ્યાવાળા પણ ગ્રન્થમાં તપાગચ્છવાળાઓએ આને આવો અર્થ કરવો’ એ લેશ પણ નિર્દેશ કરેલો મળી આવતું નથી. તેથી) આ કપાદ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ અભિપ્રેત કરેલા અર્થને જણાવવામાં અસમર્થ જ છે એવો અમારે સિદ્ધાન્ત છે. પર્વતિથિઓને ક્ષય નથી જ થતું, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy