________________
...લવાદી ચર્ચાને અને આવેલ લવાશ્રીને નિર્ણય ]
२८७ છઠ્ઠો વિવાદાસ્પદ મુદ્દો : ઉમાસ્વાતિના વચનના પ્રોષ તરીકે પ્રસિદ્ધ કાર્યને જે રીતે અમે અર્થ કર્યો તે અર્થને અનુસરીને જ તે પ્રઘોષને પર્વ તેમ જ અપર્વ–સઘળી ક્ષય તિથિઓમાં અને વૃદ્ધિ તિથિઓમાં સર્વસામાન્યપણે ઉપયોગ કરે, એ અમારો છઠ્ઠા વિવાદાસ્પદ મુદ્દા સંબંધી નિર્ણય છે. તપાગચ્છનાં શાસ્ત્રોમાં કે બીજે, આ શાસ્ત્ર સંબંધી પર્વ અને અપર્વતિથિઓને વિભાગ કઈ જગ્યાએ પણ અમારા જેવામાં આવ્યો નથી. ટિપ્પણને અનુસરતા સઘળા ય જેને આરાધનમાં બધી તિથિઓને ભેદ પાડ્યા વિના ટિપ્પણમાં આવે તેમજ સ્વીકારતા જણાય છે. (ક્ષય–વૃદ્ધિના આ વિષયમાં) અમે એવું કોઈ શાસ્ત્ર પૂર્વે જોયું નથી, તેમ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ એવું કઈ શાસ્ત્ર પ્રમાણુ તરીકે દર્શાવ્યું નથી, કે જેના આધારે પર્વ અને અપર્વતિથિઓને વિભાગ કરી શકાય અને ઉમાસ્વાતિના વચનનો પ્રઘોષ અપર્વતિથિ માટે છે એ નિયમ કરી શકાય. પ્રકરણથી એટલે પ્રસંગના સંબંધથી તિથિઓને વિભાગ થાય છે, એમ જે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી માનતા હેય તે, પ્રકરણ એ વાક્યર્થનિર્ણયમાં બહુ જ દુર્બળ પ્રમાણ છે, એમ અમે કહીએ છીએ. વળી, એમ કરીએ તે અનવસ્થા થાય, કેમ કે દરેક પક્ષની આઠમ અને ચૌદશ તથા પૂનમ અને અમાસ’ એ પ્રમાણે દરેક માસમાં છ તિથિઓ આગમમાં કહેલી પ્રધાન પર્વતિથિઓ છે. તેમજ તીર્થંકરના કલ્યાણકની તિથિઓ પણ પર્વતિથિઓ તરિકે સમજવી એમ શ્રાદ્ધવિધિપ્રકરણના કર્તા, તપાગચ્છના પ્રધાન નેતા શ્રી રત્નશેખરસૂરિજી કહે છે અને શ્રી સાગરાનન્દસૂરિજીએ પણ ગમે તેમ તેને પર્વતિથિ તરીકે માન્ય કરી છે. અને પ્રધાન પર્વતિથિએ સિવાય પણ, પ્રતિવર્ષ એ તિથિઓ સિત્તેર જેટલી આવે છે. વળી દરેક પક્ષની બીજ, પાંચમ, અગિયારશ-એ ત્રણ તિથિઓ શુભ દિવસ રૂપ હોવાથી પર્વની પેઠે આરાધવી એવું શાસ્ત્ર છે. એમ કહેવાથી, આ શાસ્ત્રને ઉદ્દેશીને જે તિથિઓને પર્વ અને અપર્વ એ વિભાગ કરવામાં આવે, તો તે ઘણે ભાગે એવી અનવસ્થા ઉત્પન્ન કરે, કે જે અનવસ્થા મૂળ વ્યવહારને નાશ કરનારી જ નિવડે; તેથી પર્વ અને અપર્વતિથિઓના ભેદને આશ્રય લીધા વિના જ, ટિપ્પણમાં જે પ્રમાણે આવે તે પ્રમાણે તિથિ વગેરેનો નિર્ણય સ્વીકારવો જોઈએ અને વૃદ્ધિ–ક્ષયના વિષયમાં ‘ક્ષથે પૂર્વ તિથિ વા વૃદ્ધો ય તથોર' એ શાને અમે જે અર્થ કર્યો છે તે માર્ગને અનુસરીને વ્યવસ્થા કરવી, એ જ એગ્ય માર્ગ છે એવો અમારે અભિપ્રાય છે.
સાતમે વિવાદાસ્પદ મુદ્દો : તપાગચ્છનાં શાસ્ત્રો પ્રમાણે પાક્ષિક પ્રતિક્રમણ એ ચૌદશ તિથિએ તિથિનિયત આરાધન છે, અને સાંવત્સરિક પ્રતિકમણ એ ભાદ્રપદ સુદ એથે તિથિનિયત આરાધન છે. એ પ્રમાણે બે જ આરાધને તિથિનિયત છે એ અમારો નિર્ણય છે. બીજી આરાધનાઓ તપ વિશેષ રૂપ હોઈને, તિથિનિયત નથી; રોગાદિક કેઈ કારણે બીજી તિથિઓમાં આગળ અગર પાછળ શક્તિ પ્રમાણે આરાધી શકાય છે, એમ ઘણાં શાસ્ત્રોમાં કહેલું છે. તીર્થંકરનાં કલ્યાણક વિગેરે પણ તિથિનિયત છે. કલ્યાણક-તિથિઓ ક્ષીણ થાય ત્યારે આગલી તિથિએ આરાધવા, વૃદ્ધિ પામી હોય ત્યારે પછીની તિથિએ આરાધના અને કલ્યાણકતિથિ પછીની કલ્યાકતિથિ ક્ષીણ હોય તો ઔદયિકીપણાએ કરીને મુખ્ય એવી તિથિએ એ આરાધવાં.
કલ્પસૂત્ર વગેરે આગમગ્રન્થ પ્રમાણે પહેલાં સાંવત્સરિક પ્રતિકમણ ભાદ્રપદની સુદિ પાંચમે નિયત હતું. તે તિથિ ચોમાસાના પ્રારંભના આષાઢ પૂર્ણિમાના દિવસ પછી ઘણે ભાગે એક માસ ઉપર વીસ રાત વીત્યા પછી આવે છે. આષાઢની પૂનમે ચાતુર્માસિક અને પાક્ષિક પ્રતિકમણ એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org