SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ [ જૈન દૃષ્ટિએ તિથિદિન અને પરાધન... શ્રાવણ અને ભાદ્રપદ વગેરે અધિક માસે પણ સ્વીકારેલા છે, તેથી એ પ્રમાણે વિકમના ૧૪૭૩ મા વરસથી પર્યુષણ પર્વ, દીક્ષા, પ્રતિષ્ઠા, વગેરેમાં ઉપયોગી તિથિઓ તથા અધિક માસો વગેરે સંપ્રતિ ટિપ્પણ પ્રમાણે જ પ્રવૃત્ત છે. લૌકિક ટિપ્પણ વિના દીક્ષા, પ્રતિષ્ઠા, વગેરે પણ યથાયોગ્ય કરવું એ શક્ય જ નથી. પંદરમી સદીથી શિવ ટિપ્પણો અથવા કઈ પણ બીજા સાંપ્રતિક ટિપ્પણને સ્વીકાર જૈન સંઘે કરે છે એમ પ્રમાણુથી સિદ્ધ થાય છે. તે ટિપ્પણમાં તિથિઓને વૃદ્ધિ-ક્ષય, અને પિષ અને આષાઢની પેઠે શ્રાવણ વગેરે બીજા માસની અધિક માસ તરીકે પ્રાપ્તિ થતી હતી. તે જ પંચાંગ લૌકિક અને લોકેત્તર બધા જ વ્યવહારમાં સર્વસામાન્ય રીતે ઉપયોગી થતું. અત્યારના જૈન સંઘના પુરુષોએ તેવા સાંપ્રતિક ટિપ્પણને સ્થાને જોધપુરી ચડશુગંડૂ નામના પંચાંગને સ્વીકારેલું છે. આમ છતવ્યવહારથી સિદ્ધ એવું ચંડાશુગંડૂ નામનું પંચાંગ, તેમાં આપેલા વૃદ્ધિ-ક્ષય વગેરે વિસ્તાર સાથે, લૌકિક અને લકત્તર વ્યવહાર માટે વર્તમાનમાં ઉપયોગમાં લેવાય છે. તે જ ટિપ્પણને તે ટિપ્પણમાંના વૃદ્ધિ-ક્ષય વગેરે વિસ્તાર સાથે શ્રી જૈન સંઘે પ્રમાણભૂત માનવું જોઈએ એ નિર્ણય કરવામાં આવે છે. બને ય આચાર્યો જોધપુરી ચંડાશુગંડૂ પંચાંગનું લેકવ્યવહારમાં પ્રામાણ્ય સ્વીકારે છે. આચાર્ય શ્રી વિજયરામચન્દ્રસૂરિજી લો કેત્તર વ્યવહારમાં પણ તેનું પ્રામાણ્ય માને છે. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી તો લોકોત્તર વિષયોમાં તેનું પ્રામાણ્ય સ્વીકારતા નથી જ. પર્વતિથિઓના વૃદ્ધિક્ષયની બાબતમાં શાસ્ત્રોએ જે નિર્ણય કર્યો છે અને જે દેવસૂર તપાગચ્છવાળાઓની વ્યવહારપરંપરાથી સિદ્ધ આચાર–પ્રણાલિકાને અનુસરે છે, તે જ મત ગ્રહણ કરે જોઈએ એ તેમને આગ્રહ છે. તે અમને યોગ્ય લાગતું નથી. સિદ્ધાન્તટિપ્પણને અત્યારે વ્યુછેદ થયો હોવાથી, અને તેને સ્થાને શ્રી જૈન સંઘે લૌકિક ટિપ્પણને સ્વીકારેલું હોવાથી, સિદ્ધાન્તમાં જણાવેલા ટિપ્પણવિશે વ્યવહારમાં ઊતરી શકે જ નહિ. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ કબૂલ્યું જ છે કે સિદ્ધાન્તટિપ્પણનું પુનરૂજજીવન અથવા પુનઃ પ્રચાર હવે શક્ય જ નથી, કેમ કે ટિપ્પણુ રચવામાં ઉપયોગી ગ્રહ તથા નક્ષત્રની ગતિઓ જૈન આગમાં અત્યારે દેખાતી નથી. વળી, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી લકત્તર વિષયમાં પણ લૌકિક પંચાંગમાં આવતા શ્રાવણ-ભાદ્રપદને અધિક માસે તરીકે સ્વીકારે જ છે અને તે પંચાંગમાં આવતા તિથિએના વૃદ્ધિ-ક્ષયને જ માત્ર નથી સ્વીકારતા, તે અર્ધજરતીય (દહીંદુધમાં પગ રાખવા જેવું) છે એમ અમે માનીએ છીએ. લૌકિક ટિપ્પણ પ્રમાણે આવતી તિથિઓના વૃદ્ધિ-ક્ષય વિષે આગમ પ્રમાણે અને વ્યવહારપરંપરાથી સિદ્ધ થયેલી વ્યવસ્થા તરીકે તેઓ જે પ્રતિપાદન કરે છે, તે આ પ્રમાણે છે: ૧. લૌકિક પંચાંગમાં જ્યારે પર્વતિથિઓને ક્ષય જણાય ત્યારે પર્વતિથિની પૂર્વની અપર્વતિથિને ક્ષય કરે. ૨. લૌકિક પંચાંગમાં જ્યારે પર્વતિથિઓની વૃદ્ધિ જણાય ત્યારે પર્વતિથિની પૂર્વની અપર્વતિથિની વૃદ્ધિ કરવી. ૩. લૌકિક પંચાંગમાં જ્યારે પર્વની પછીની તિથિની (એટલે પૂર્ણિમા, અમાવાસ્યા અને ભાદ્રપદની સુદ પાંચમની) વૃદ્ધિ તથા ક્ષય જણાય ત્યારે ચૌદશ અને ભાદ્રપદ સુદ ચોથ પર્વતિથિ હેવાથી તેમને વૃદ્ધિ-ક્ષય નહિ કરતાં તેની પૂર્વતર તેરશને અને ભાદ્રપદની સુદ ત્રીજને જ વૃદ્ધિ-ક્ષય કરે. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy